ફરજમાં ગંભીર બેદરકારી બદલ જિલ્લા પોલીસવડાની કાર્યવાહી
ભરૂચ. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા ગંભીર ગુના ના 2 કેદી રૂમની વેન્ટીલેશનની કાચની બારીમાંથી ફરાર થઈ જવાની ઘટનામાં લોકઅપ ગાર્ડની ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 11 સિક્યોરિટી જવાન અને 4 પોલીસ કર્મચારીઓ તહેનાત હોવા છતાં ગંભીર ગુનાના સારવાર અર્થે લેવાયેલા 2 કેદી અર્જુન ઉર્ફે અજજુ જેન્તી પરમાર અને આકાશ સંજય વસાવા પોલીસ તેમજ સિક્યોરિટી ને ચકમો આપી નાસી છૂટતા દોડધામ મચી ગઇ હતી. બન્ને કાચા કામના કેદી હત્યા, પોસ્કો, અપહરણ અને મારામારીના ગંભીર ગુનામાં સબજેલ ધકેલાયા હતા. જેઓની તબિયત બગડતા સિવિલમાં લવાતા રાતે સિવિલના ગાર્ડ રૂમની 8 ફૂટ ઊંચાઈ એ આવેલી વેન્ટીલેશનની બારીમાંથી પલાયન થઈ ગયા હતા.
સિવિલના રૂમની વેન્ટીલેશન ની કાચની બારીમાંથી આ બન્ને કેદી ભાગી જતા ચકચાર મચી જવાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી બદલ હે.કો. તખ્તસિંહ, પો.કો. પ્રવિણસિંહ, લોકરક્ષક પોકો હિતેન્દ્ર અને જગદીશને ફરજ મોકૂફ કરી દેવાયા છે.
જોકે હજી સુધી સિવિલમાંથી નાસી છૂટેલા બન્ને આરોપી પકડાયા નથી. એ ડિવિઝન પોલીસ બન્ને ફરાર કેદીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે. સિવિલ હોસ્પિટલના ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. કેદીઓ રાતે 3 કલાક બાદ ફરાર થયા ત્યારે 4 પોલીસ કર્મીઓ સુતા હોવાની વિગતો બહારમાં આવતા ડીએસપી એ તેમની સામે સસ્પેનશનની કાર્યવાહી કરી છે.
ભરૂચ. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા ગંભીર ગુના ના 2 કેદી રૂમની વેન્ટીલેશનની કાચની બારીમાંથી ફરાર થઈ જવાની ઘટનામાં લોકઅપ ગાર્ડની ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 11 સિક્યોરિટી જવાન અને 4 પોલીસ કર્મચારીઓ તહેનાત હોવા છતાં ગંભીર ગુનાના સારવાર અર્થે લેવાયેલા 2 કેદી અર્જુન ઉર્ફે અજજુ જેન્તી પરમાર અને આકાશ સંજય વસાવા પોલીસ તેમજ સિક્યોરિટી ને ચકમો આપી નાસી છૂટતા દોડધામ મચી ગઇ હતી. બન્ને કાચા કામના કેદી હત્યા, પોસ્કો, અપહરણ અને મારામારીના ગંભીર ગુનામાં સબજેલ ધકેલાયા હતા. જેઓની તબિયત બગડતા સિવિલમાં લવાતા રાતે સિવિલના ગાર્ડ રૂમની 8 ફૂટ ઊંચાઈ એ આવેલી વેન્ટીલેશનની બારીમાંથી પલાયન થઈ ગયા હતા.
સિવિલના રૂમની વેન્ટીલેશન ની કાચની બારીમાંથી આ બન્ને કેદી ભાગી જતા ચકચાર મચી જવાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી બદલ હે.કો. તખ્તસિંહ, પો.કો. પ્રવિણસિંહ, લોકરક્ષક પોકો હિતેન્દ્ર અને જગદીશને ફરજ મોકૂફ કરી દેવાયા છે.
જોકે હજી સુધી સિવિલમાંથી નાસી છૂટેલા બન્ને આરોપી પકડાયા નથી. એ ડિવિઝન પોલીસ બન્ને ફરાર કેદીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે. સિવિલ હોસ્પિટલના ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. કેદીઓ રાતે 3 કલાક બાદ ફરાર થયા ત્યારે 4 પોલીસ કર્મીઓ સુતા હોવાની વિગતો બહારમાં આવતા ડીએસપી એ તેમની સામે સસ્પેનશનની કાર્યવાહી કરી છે.