રેલવે સ્ટેશન માસ્ટર પત્ની સાથે પુત્રના જન્મદિવસની ખરીદી કરવા બજાર ગયો
બાળક એકલો હોય તેવા સમયે લુંટારૂઓ ત્રાટક્યા
બાળકને બાનમાં લઇને લાખોની ચોરી કરી લુંટારૂ થયા ફરાર
દાહોદ. બાળકોને ઘરમાં એકલા મૂકીને બોરડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર પત્ની સાથે પુત્રના જન્મદિવસની ઉજવણીની વસ્તુઓ ખરીદવા બજારમાં ગયા હતા. ત્યારે ઘરમાં એકલા રહેલા બાળકોને અજણ્યા લૂંટારુઓએ બાનમાં રાખીને 5.72 લાખની કિંમતના સોના ચાંદી દાગીના તેમજ રોકડ 50 હજા મળી કુલ રૂ,6.22 લાખની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
મૂળ બિહારના અને હાલ દાહોદના ગોવિંદનગરની શ્રીનગર સોસાયટીમાં રહેતા રાકેશકુમાર રામેશ્વર સિંહ બોરડી રેલવે સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવે છે. રાકેશકુમારને એક દીકરી અને એક દીકરો સંતાનમાં છે. સોમવારે પુત્રનો જન્મદિવસ હોવાથી રાકેશકુમાર પત્ની નીલુસિંહ સાથે સાંજે 5.00 વાગ્યે બજારમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે જરૂરિયાતનો સામાન ખરીદી કરવા ગયા હતા. રાકેશકુમાર અને નીલુસિંહ ખરીદી કરી 6.30 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે પરત ફર્યા બાદ રાકેશ કુમારે ઘરનો દરવાજો ખખડાવતા કોઈએ ખોલ્યો ન હતો. જેથી તેણે બુમ મારી અમે લોકો છે, કહેતા મોટી દીકરીએ દરવાજો ખોલ્યો હતો.
દરમિયાન રાકેશ કુમાર અને પત્ની નીલુસિંહ ઘરમાં પ્રવેશ કરતા જ ઘરનો તમામ સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી રાકેશકુમારે દીકરીને તે બાબતે પૂછતાં 4 શખ્સો ઘરે આવ્યા હતા. અને પપ્પા સે મિલન હે કહેતા પપ્પા મમ્મી નહિ હે તેમ દીકરીએ કહ્યું હતું. ત્યારે 4 શખ્સોએ દરવાજો ખોલવાનું કહેતા દીકરીએ દરવાજો ખોલવાની ના પાડી હતી. ત્યારબાદ ઘરની બહાર ઉભેલા 4 શખ્સોએ દરવાજો ખખડાવી પાણી માંગ્યું હતું. ત્યારે પાણીની માંગ કરતા દીકરીએ થોડોક દરવાજો ખોલી પાણી આપવા હાથ લંબાવતા જ લૂંટારાઓએ દીકરીને ધક્કો મારી અંદર પ્રવેશી ગયા હતા. અને બંને બાળકોને માર મારી બાનમાં લઈ લીધા હતા.
ત્યારબાદ લુંટારાઓએ મમ્મી પપ્પા ઘરમાં સામાન ક્યાં રાખે છે, તે જણાવ અને નહિ જણાવે તો નાનાભાઈને મારી નાખશું તેમ કહી ઘરમાં મુકેલ 5.72 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ,50 હજારની મળી કુલ 6.22 લાખની મતાની લૂંટ ચલાવી ચારેય લૂંટારા ફરાર થઈ ગયા હતા. રાકેશકુમાર અને પત્ની નીલુસિંહને સમગ્ર બનાવની જાણ થતા હચમચી ઉઠ્યા હતા. દાહોદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દૂડી આવ્યો હતો. પોલીસે લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેલવે સ્ટેશન માસ્ટર પત્ની સાથે પુત્રના જન્મદિવસની ખરીદી કરવા બજાર ગયો
બાળક એકલો હોય તેવા સમયે લુંટારૂઓ ત્રાટક્યા
બાળકને બાનમાં લઇને લાખોની ચોરી કરી લુંટારૂ થયા ફરાર
દાહોદ. બાળકોને ઘરમાં એકલા મૂકીને બોરડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર પત્ની સાથે પુત્રના જન્મદિવસની ઉજવણીની વસ્તુઓ ખરીદવા બજારમાં ગયા હતા. ત્યારે ઘરમાં એકલા રહેલા બાળકોને અજણ્યા લૂંટારુઓએ બાનમાં રાખીને 5.72 લાખની કિંમતના સોના ચાંદી દાગીના તેમજ રોકડ 50 હજા મળી કુલ રૂ,6.22 લાખની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
મૂળ બિહારના અને હાલ દાહોદના ગોવિંદનગરની શ્રીનગર સોસાયટીમાં રહેતા રાકેશકુમાર રામેશ્વર સિંહ બોરડી રેલવે સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવે છે. રાકેશકુમારને એક દીકરી અને એક દીકરો સંતાનમાં છે. સોમવારે પુત્રનો જન્મદિવસ હોવાથી રાકેશકુમાર પત્ની નીલુસિંહ સાથે સાંજે 5.00 વાગ્યે બજારમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે જરૂરિયાતનો સામાન ખરીદી કરવા ગયા હતા. રાકેશકુમાર અને નીલુસિંહ ખરીદી કરી 6.30 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે પરત ફર્યા બાદ રાકેશ કુમારે ઘરનો દરવાજો ખખડાવતા કોઈએ ખોલ્યો ન હતો. જેથી તેણે બુમ મારી અમે લોકો છે, કહેતા મોટી દીકરીએ દરવાજો ખોલ્યો હતો.
દરમિયાન રાકેશ કુમાર અને પત્ની નીલુસિંહ ઘરમાં પ્રવેશ કરતા જ ઘરનો તમામ સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી રાકેશકુમારે દીકરીને તે બાબતે પૂછતાં 4 શખ્સો ઘરે આવ્યા હતા. અને પપ્પા સે મિલન હે કહેતા પપ્પા મમ્મી નહિ હે તેમ દીકરીએ કહ્યું હતું. ત્યારે 4 શખ્સોએ દરવાજો ખોલવાનું કહેતા દીકરીએ દરવાજો ખોલવાની ના પાડી હતી. ત્યારબાદ ઘરની બહાર ઉભેલા 4 શખ્સોએ દરવાજો ખખડાવી પાણી માંગ્યું હતું. ત્યારે પાણીની માંગ કરતા દીકરીએ થોડોક દરવાજો ખોલી પાણી આપવા હાથ લંબાવતા જ લૂંટારાઓએ દીકરીને ધક્કો મારી અંદર પ્રવેશી ગયા હતા. અને બંને બાળકોને માર મારી બાનમાં લઈ લીધા હતા.
ત્યારબાદ લુંટારાઓએ મમ્મી પપ્પા ઘરમાં સામાન ક્યાં રાખે છે, તે જણાવ અને નહિ જણાવે તો નાનાભાઈને મારી નાખશું તેમ કહી ઘરમાં મુકેલ 5.72 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ,50 હજારની મળી કુલ 6.22 લાખની મતાની લૂંટ ચલાવી ચારેય લૂંટારા ફરાર થઈ ગયા હતા. રાકેશકુમાર અને પત્ની નીલુસિંહને સમગ્ર બનાવની જાણ થતા હચમચી ઉઠ્યા હતા. દાહોદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દૂડી આવ્યો હતો. પોલીસે લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.