ઘોઘંબા. તાલુકાના મહાદેવીયા ગામે પ્રેમી પંખીડાઓએ આજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવક અને યુવતી બંને એકજ ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું જાણવા મળ્યું છે. યુવતી સગીર હોઈ બંનેના પરિવાર જનોને તેઓના પ્રેમ સબંધની જાણ થતાં બન્ને સાથે જીવી નહીં શકે એવી દહેશતે ભેગા મળી જીવનનો અંત લાવવાનું પગલું ભર્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે.
ઘોઘંબા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને તેની બાજુમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને પ્રેમીઓ એક બીજાની સાથે જીવવા મારવાનન નક્કી કરી લીધા બાદ પોતાની રંગીન દુનિયામાં મસ્ત રહેતા હતા. પણ બન્નેના પ્રેમ સબંધોની જાણ ગામને અને તેઓના પરિવારને થતા બન્નેને સાથે જીવી શકાય એવી કોઈ શક્યતાઓ નહીં જણાતા પોતાના ઘરની પાછળ આવેલ વાળમાં આંબલીના વૃક્ષ સાથે દોરડું બાંધી બન્નેએ સાથે ફાંસો ખાઈ જીવન ટુકાંવ્યું હતું.
સાથે જીવી શકે એમ ન હોય બંને પ્રેમી પંખીડાઓએ સાથે મોતને વ્હાલું કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. રાજગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી બન્ને મૃતદેહોને ઉતારી રેફરલ હોસ્પિટલ ઘોઘંબા મોકલી પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
ઘોઘંબા. તાલુકાના મહાદેવીયા ગામે પ્રેમી પંખીડાઓએ આજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવક અને યુવતી બંને એકજ ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું જાણવા મળ્યું છે. યુવતી સગીર હોઈ બંનેના પરિવાર જનોને તેઓના પ્રેમ સબંધની જાણ થતાં બન્ને સાથે જીવી નહીં શકે એવી દહેશતે ભેગા મળી જીવનનો અંત લાવવાનું પગલું ભર્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે.
ઘોઘંબા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને તેની બાજુમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને પ્રેમીઓ એક બીજાની સાથે જીવવા મારવાનન નક્કી કરી લીધા બાદ પોતાની રંગીન દુનિયામાં મસ્ત રહેતા હતા. પણ બન્નેના પ્રેમ સબંધોની જાણ ગામને અને તેઓના પરિવારને થતા બન્નેને સાથે જીવી શકાય એવી કોઈ શક્યતાઓ નહીં જણાતા પોતાના ઘરની પાછળ આવેલ વાળમાં આંબલીના વૃક્ષ સાથે દોરડું બાંધી બન્નેએ સાથે ફાંસો ખાઈ જીવન ટુકાંવ્યું હતું.
સાથે જીવી શકે એમ ન હોય બંને પ્રેમી પંખીડાઓએ સાથે મોતને વ્હાલું કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. રાજગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી બન્ને મૃતદેહોને ઉતારી રેફરલ હોસ્પિટલ ઘોઘંબા મોકલી પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.