કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં આવેલા વાંટા ગામની આ ઘટના છે.
પત્નીના ગામમાં અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો પતિએ વહેમ રાખી ઝઘડો કર્યો હતો.
ઉશ્કેરાયેલી પત્નીએ પતિને લાકડાના ફટકા મારત ઢળી પડ્યો હતો.
લોહીમાં લથબથ પડેલા પતિને જોઇ પત્ની ગભરાઇ અને બચવા માટે તરકટ રચ્યું
મૃતકના કાકાની ફરીયાદને પગલે પોલીસે મહિલાની અટકાયત કરી
પંચમહાલ. પ્રેમ અને લગ્નેત્તર સંબંધમાં હત્યાના તો અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. પરંતુ પંચમહાલના કાલોલ તાલુકાના વાંટા-વરવાળા ગામથી સામે આવ્યો છે વિચિત્ર કિસ્સો જ્યાં પત્નીના આડા સંબંધો બાબતે પતિ અને પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોતાના પર શંકા કરતા પત્નીએ પોતાના જ પતિની લાકડાના ફટકા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી.
કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં આવેલા વાંટા ગામના પ્રવિણભાઈ અરખમભાઈ બારીયા(ઉ.વ, 42)એ પાંચ વર્ષ અગાઉ ગામના એક નાગરિકની પત્ની સવિતાને ગામમાંથી ભગાડીને લઈ જતા અંતે તેમના સમાજના રીતરિવાજ મુજબ સમાધાન કરી સવિતાને પ્રવિણભાઈ બારીયાને સોંપાઇ હતી. પ્રવીણભાઈની પત્ની બનેલી સવિતાનું અગાઉ પણ લગ્ન થયું હતું. જેથી પ્રવિણ બારીયા તેનો ત્રીજો પતિ બન્યો હતો. જોકે પાછલા ચાર-પાંચ વર્ષથી બંને પતિ પત્ની ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ લગ્નના આટલા સમય સુધી તેમના સંસારમાં સંતાનની ખોટ હતી. તદ્ઉપરાંત સવિતાને ગામના કોઈ ઈસમ સાથે સબંધ હોવાનો વહેમ પ્રવિણને જતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.
તેવામાં ગઇ કાલે પણ થયેલા આવા જ એક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ઉશ્કેરાયેલ પત્ની સવિતાએ પોતાના પતિ પ્રવીણને લાકડાના ઉપરાછાપરી ફટકા મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. લાકડાના ફટકા વાગતા પ્રવીણ જમીન પર ઢળી પડ્યો. જેથી ગભરાઈ ગયેલી સવિતાએ જે લાકડાથી પ્રવીણની હત્યા કરી એ લાકડું સંતાડી દઈ, આસપાસના લોકોને બોલાવી લાવી અને પ્રવીણને અચાનક કઈ થઈ ગયું હોવા નું તરકટ રચ્યું હતુ. પરિવારમાં અન્ય કોઇ ન હોય આસપાસના રહીશોએ પ્રવીણના કાકાનો સંપર્ક કરી તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ત્યાર બાદ પ્રવીણના કાકા દ્વારા સમગ્ર મામલે કાલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતક પ્રવીણના કાકાએ કાલોલ પોલીસને આપેલી ફરિયાદની વિગતો મુજબ રવિવારે બપોરે તેઓ તેમના ઘેર હતા, એ સમયે મોબાઇલ પર ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજા પ્રવીણને સવિતા સાથે ઝગડો થતા સવિતાએ લાકડીથી પ્રવિણને માર મારતા બેભાન પડ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ તેઓ તુરંત ઘટના સ્થળે દોડી જતા પ્રવિણ બેભાન અવસ્થામાં કણસતો પડેલો જોવા મળ્યો હતો. અને તેના ગુપ્તાંગમાંથી પણ લોહી નિકળતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી કાકાએ તાત્કાલિકથી બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે 108 બોલાવવા માટે ફોન કર્યો હતો. પરંતુ 108 આવે તે પહેલાં પ્રવિણનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
જેથી કાકાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની સવિતાના કરતુત અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલની તપાસ હાથ ધરી જરૂરી પંચકયાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કાલોલ પોલીસે કાકાની ફરિયાદ મુજબ પ્રવિણને ગુપ્તાંગના ભાગે લાકડાથી બેરહેમ અને ક્રુરતાપુર્વક ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેનાર સવિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘટના સ્થળેથી સવિતાની અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે કોરોના હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં આવેલા વાંટા ગામની આ ઘટના છે.
પત્નીના ગામમાં અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો પતિએ વહેમ રાખી ઝઘડો કર્યો હતો.
ઉશ્કેરાયેલી પત્નીએ પતિને લાકડાના ફટકા મારત ઢળી પડ્યો હતો.
લોહીમાં લથબથ પડેલા પતિને જોઇ પત્ની ગભરાઇ અને બચવા માટે તરકટ રચ્યું
મૃતકના કાકાની ફરીયાદને પગલે પોલીસે મહિલાની અટકાયત કરી
પંચમહાલ. પ્રેમ અને લગ્નેત્તર સંબંધમાં હત્યાના તો અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. પરંતુ પંચમહાલના કાલોલ તાલુકાના વાંટા-વરવાળા ગામથી સામે આવ્યો છે વિચિત્ર કિસ્સો જ્યાં પત્નીના આડા સંબંધો બાબતે પતિ અને પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોતાના પર શંકા કરતા પત્નીએ પોતાના જ પતિની લાકડાના ફટકા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી.
કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં આવેલા વાંટા ગામના પ્રવિણભાઈ અરખમભાઈ બારીયા(ઉ.વ, 42)એ પાંચ વર્ષ અગાઉ ગામના એક નાગરિકની પત્ની સવિતાને ગામમાંથી ભગાડીને લઈ જતા અંતે તેમના સમાજના રીતરિવાજ મુજબ સમાધાન કરી સવિતાને પ્રવિણભાઈ બારીયાને સોંપાઇ હતી. પ્રવીણભાઈની પત્ની બનેલી સવિતાનું અગાઉ પણ લગ્ન થયું હતું. જેથી પ્રવિણ બારીયા તેનો ત્રીજો પતિ બન્યો હતો. જોકે પાછલા ચાર-પાંચ વર્ષથી બંને પતિ પત્ની ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ લગ્નના આટલા સમય સુધી તેમના સંસારમાં સંતાનની ખોટ હતી. તદ્ઉપરાંત સવિતાને ગામના કોઈ ઈસમ સાથે સબંધ હોવાનો વહેમ પ્રવિણને જતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.
તેવામાં ગઇ કાલે પણ થયેલા આવા જ એક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ઉશ્કેરાયેલ પત્ની સવિતાએ પોતાના પતિ પ્રવીણને લાકડાના ઉપરાછાપરી ફટકા મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. લાકડાના ફટકા વાગતા પ્રવીણ જમીન પર ઢળી પડ્યો. જેથી ગભરાઈ ગયેલી સવિતાએ જે લાકડાથી પ્રવીણની હત્યા કરી એ લાકડું સંતાડી દઈ, આસપાસના લોકોને બોલાવી લાવી અને પ્રવીણને અચાનક કઈ થઈ ગયું હોવા નું તરકટ રચ્યું હતુ. પરિવારમાં અન્ય કોઇ ન હોય આસપાસના રહીશોએ પ્રવીણના કાકાનો સંપર્ક કરી તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ત્યાર બાદ પ્રવીણના કાકા દ્વારા સમગ્ર મામલે કાલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતક પ્રવીણના કાકાએ કાલોલ પોલીસને આપેલી ફરિયાદની વિગતો મુજબ રવિવારે બપોરે તેઓ તેમના ઘેર હતા, એ સમયે મોબાઇલ પર ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજા પ્રવીણને સવિતા સાથે ઝગડો થતા સવિતાએ લાકડીથી પ્રવિણને માર મારતા બેભાન પડ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ તેઓ તુરંત ઘટના સ્થળે દોડી જતા પ્રવિણ બેભાન અવસ્થામાં કણસતો પડેલો જોવા મળ્યો હતો. અને તેના ગુપ્તાંગમાંથી પણ લોહી નિકળતું હોવાનું જોવા મળ્યું હતું. જેથી કાકાએ તાત્કાલિકથી બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે 108 બોલાવવા માટે ફોન કર્યો હતો. પરંતુ 108 આવે તે પહેલાં પ્રવિણનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
જેથી કાકાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની સવિતાના કરતુત અંગે કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલની તપાસ હાથ ધરી જરૂરી પંચકયાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કાલોલ પોલીસે કાકાની ફરિયાદ મુજબ પ્રવિણને ગુપ્તાંગના ભાગે લાકડાથી બેરહેમ અને ક્રુરતાપુર્વક ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેનાર સવિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘટના સ્થળેથી સવિતાની અટકાયત કરી કોરોના ટેસ્ટ માટે કોરોના હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.