વર્ષ 2011માં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો ચંપુ વિછિયા પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.
છેલ્લાં સાડા 4 વર્ષમાં કુખ્યાત ચંપુ વિછીયાએ હત્યાના પ્રયાસ સહિતના વિવિધ ગુના આચર્યા હતાં.
WatchGujarat. ગુજસીટોક સહિતના ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર, પિસ્તલ અને છ કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. અત્રે નોંધનિય છે કે, વર્ષ 2011ના હત્યા કેસમાં આજીવન કેદની સજા પડ્યા બાદ છેલ્લાં સાડા 4 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા ચંપુ વિછિયાએ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ આચર્યા છે.
અમરેલીનાં નાના લીલીયા ગામનાં ચંપુ બાબાભાઈ રામભાઈ વિછિયાએ વર્ષ 2011માં સાવરકુંડલાના જૂના સાવર ગામે પૈસાની ઉઘરાણીને મુદ્દે અન્ય આરોપીઓ સાથે મળી ભરતભાઈ ડાયાભાઈ લહેરીની હત્યા કરી હતી. હત્યા કેસમાં ગત તા. 17 સપ્ટેમ્બર 2013ના રોજ ચંપુ વિછાને આજીવન કેદની સજા પડી હતી. બાદમાં 15 મે 2016ના રોજ પેરોલ રજા પર મુક્ત થઈને તે નાસી છૂટ્યો હતો.
2018માં સાવરકુંડલાના ઓળિયા ગામના રહેતા ચંપુના મિત્ર શિવા વાલાભાઈને મેહુલ સાપરીયા અને તેને ભાગીદાર ધીરુભાઈ ખુમાણ સાથે નાંણાકીય માથાકૂટ ચાલતી હતી. મેહુલ અને ધીરુએ શિવાના પિતા સાથે પણ માથાકૂટ કરી હતી. આ બાબતનો ખાર રાખી ચંપુએ મેહુલ સાપરીયા અને ધીરુ ખુમાણની કારને અટકાવી તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેને મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
અનેક ગુનાઓ આચરી રીઢા બની ચૂકેલા આ શખ્સે બાદમાં અન્ય સાગરીતો શિવરાજ ઉર્ફે મુન્નાભાઈ રામકુભાઇ વિછિયા, શૈલેષ નાથુભાઈ ચાંદુ, અશોક જેતાભાઇ બોરીચા અને સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર સાથે ટોળકી બનાવી વિવિધ ગુનાઓ આચારવાનું શરૂ કર્યું હતું. જેને પગલે ચાલુવર્ષે તેઓ વિરુદ્ધ 2020માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હોવાથી આ બંને ગુનામાં પણ વોન્ટેડ હતો.
ચોક્કસ બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવનગર હાઇવે પર રંગુન માતાજીના મંદિર પાસે દરોડો પાડીને કુખ્યાત ચંપુ વિછિયાને 1 દેશી બનાવટની પિસ્તલ, 1 દેશી રિવોલ્વર અને 6 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો છે. કુખ્યાત આરોપીને ઝડપી લેવા બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ માટે રૂપિયા 15 હજારનું ઇનામ જાહેર કર્યું છે.
વર્ષ 2011માં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો ચંપુ વિછિયા પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.
છેલ્લાં સાડા 4 વર્ષમાં કુખ્યાત ચંપુ વિછીયાએ હત્યાના પ્રયાસ સહિતના વિવિધ ગુના આચર્યા હતાં.
WatchGujarat. ગુજસીટોક સહિતના ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર, પિસ્તલ અને છ કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. અત્રે નોંધનિય છે કે, વર્ષ 2011ના હત્યા કેસમાં આજીવન કેદની સજા પડ્યા બાદ છેલ્લાં સાડા 4 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા ચંપુ વિછિયાએ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ આચર્યા છે.
અમરેલીનાં નાના લીલીયા ગામનાં ચંપુ બાબાભાઈ રામભાઈ વિછિયાએ વર્ષ 2011માં સાવરકુંડલાના જૂના સાવર ગામે પૈસાની ઉઘરાણીને મુદ્દે અન્ય આરોપીઓ સાથે મળી ભરતભાઈ ડાયાભાઈ લહેરીની હત્યા કરી હતી. હત્યા કેસમાં ગત તા. 17 સપ્ટેમ્બર 2013ના રોજ ચંપુ વિછાને આજીવન કેદની સજા પડી હતી. બાદમાં 15 મે 2016ના રોજ પેરોલ રજા પર મુક્ત થઈને તે નાસી છૂટ્યો હતો.
2018માં સાવરકુંડલાના ઓળિયા ગામના રહેતા ચંપુના મિત્ર શિવા વાલાભાઈને મેહુલ સાપરીયા અને તેને ભાગીદાર ધીરુભાઈ ખુમાણ સાથે નાંણાકીય માથાકૂટ ચાલતી હતી. મેહુલ અને ધીરુએ શિવાના પિતા સાથે પણ માથાકૂટ કરી હતી. આ બાબતનો ખાર રાખી ચંપુએ મેહુલ સાપરીયા અને ધીરુ ખુમાણની કારને અટકાવી તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેને મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
અનેક ગુનાઓ આચરી રીઢા બની ચૂકેલા આ શખ્સે બાદમાં અન્ય સાગરીતો શિવરાજ ઉર્ફે મુન્નાભાઈ રામકુભાઇ વિછિયા, શૈલેષ નાથુભાઈ ચાંદુ, અશોક જેતાભાઇ બોરીચા અને સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર સાથે ટોળકી બનાવી વિવિધ ગુનાઓ આચારવાનું શરૂ કર્યું હતું. જેને પગલે ચાલુવર્ષે તેઓ વિરુદ્ધ 2020માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હોવાથી આ બંને ગુનામાં પણ વોન્ટેડ હતો.
ચોક્કસ બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવનગર હાઇવે પર રંગુન માતાજીના મંદિર પાસે દરોડો પાડીને કુખ્યાત ચંપુ વિછિયાને 1 દેશી બનાવટની પિસ્તલ, 1 દેશી રિવોલ્વર અને 6 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો છે. કુખ્યાત આરોપીને ઝડપી લેવા બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ માટે રૂપિયા 15 હજારનું ઇનામ જાહેર કર્યું છે.