ગુરુવારે મોડી રાત્રે 4 થી 5 માથાભારે તત્વોએ હાર્દિક ગોડ પર હુમલો કર્યો.
અગાઉ માથાભારે તત્વો તલવાર લઈ ઘરમાં ઘુસી આવ્યા હતાં, એ મામલે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ.
WatchGujarat. સરકારે સુરત સહિતના ચાર મહાનગરોમાં લાદેલો રાત્રિ કર્ફ્યુ કદાચ કોરોનાને કાબૂમાં રાખતો હશે, પરંતુ, માથાભારે તત્વોને કાબૂમાં રાખવામાં સક્ષમ ન હોય તેવું સાબિત કરતી ઘટના ગુરુવારે મોડી રાત્રે સુરતના પાંડેસરા હાઉસિંગમાં બનવા પામી હતી. 4 થી 5 માથાભારે તત્વોએ મોડી રાત્રે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. મોડી રાત્રે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરવામાં આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ માથાભારે તત્વો તલવાર લઈ મૃતકના ઘરમાં ઘુસી આવ્યા હતાં, એ મામલે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો હતો.
[caption id="attachment_310480" align="aligncenter" width="1366"] (મૃતક હાર્દિક)[/caption]
ગુજરાતમાં કોરોના કાબૂમાં આવે તે માટે સરકારે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદ્યો છે. રાત્રિ કર્ફ્યુનું પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પાલન કરાવાતું હોવાથી કદાચ કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાની વિગતો સરકાર જાહેર કરી રહી છે, પરંતુ સુરતમાં રાત્રિ કર્ફ્યુ માથાભારે અસામાજિક તત્વોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યો હોય તેમ લાગે છે. શક્ય છે કે, પોલીસ સામાન્ય નાગરીકોને કોરોનાથી બચાવવામાં વ્યસ્ત હોવાને કારણે અસામાજીક તત્વો એનો લાભ ખાટી ગયા હોય.
મૂળ મહારાષ્ટ્રનો હાર્દિક ગોંડ સુરતમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત ગુરુવારે રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લાગી ગયા બાદ મોડી રાત્રે પાંડેસરા હાઉસિંગ ખાતે 4 થી 5 માથાભારે શખ્સોએ હાર્દિંક પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાભારે શખ્સોએ ચાકુના ઘા ઝીંકી હાર્દિકની કરપીણ હત્યા કરી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકના ભાઈ મનોજ ગોંડ એ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો. એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો. જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ મને જણાવ્યું કે, બે ટપોરી અને માથાભારે શખ્સો સહિત 4 થી 5 જણાએ મારા ભાઈ હાર્દિક પર હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચાકુના ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા.
મનોજે આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ માથાભારે શખ્સોએ નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. એ સમયે પોલીસે ફરિયાદ લઈ કડક કાર્યવાહી કરવાના બદલે મને ધક્કા ખવડાવ્યા હતા. જેને લઈ આજે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. અમે સામાન્ય પરિવારના છીએ અને આર્થિક રીતે ઘરને મદદરૂમ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ગુરુવારે મોડી રાત્રે 4 થી 5 માથાભારે તત્વોએ હાર્દિક ગોડ પર હુમલો કર્યો.
અગાઉ માથાભારે તત્વો તલવાર લઈ ઘરમાં ઘુસી આવ્યા હતાં, એ મામલે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ.
WatchGujarat. સરકારે સુરત સહિતના ચાર મહાનગરોમાં લાદેલો રાત્રિ કર્ફ્યુ કદાચ કોરોનાને કાબૂમાં રાખતો હશે, પરંતુ, માથાભારે તત્વોને કાબૂમાં રાખવામાં સક્ષમ ન હોય તેવું સાબિત કરતી ઘટના ગુરુવારે મોડી રાત્રે સુરતના પાંડેસરા હાઉસિંગમાં બનવા પામી હતી. 4 થી 5 માથાભારે તત્વોએ મોડી રાત્રે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. મોડી રાત્રે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરવામાં આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ માથાભારે તત્વો તલવાર લઈ મૃતકના ઘરમાં ઘુસી આવ્યા હતાં, એ મામલે પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો હતો.
ગુજરાતમાં કોરોના કાબૂમાં આવે તે માટે સરકારે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદ્યો છે. રાત્રિ કર્ફ્યુનું પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પાલન કરાવાતું હોવાથી કદાચ કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાની વિગતો સરકાર જાહેર કરી રહી છે, પરંતુ સુરતમાં રાત્રિ કર્ફ્યુ માથાભારે અસામાજિક તત્વોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યો હોય તેમ લાગે છે. શક્ય છે કે, પોલીસ સામાન્ય નાગરીકોને કોરોનાથી બચાવવામાં વ્યસ્ત હોવાને કારણે અસામાજીક તત્વો એનો લાભ ખાટી ગયા હોય.
મૂળ મહારાષ્ટ્રનો હાર્દિક ગોંડ સુરતમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત ગુરુવારે રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લાગી ગયા બાદ મોડી રાત્રે પાંડેસરા હાઉસિંગ ખાતે 4 થી 5 માથાભારે શખ્સોએ હાર્દિંક પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાભારે શખ્સોએ ચાકુના ઘા ઝીંકી હાર્દિકની કરપીણ હત્યા કરી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકના ભાઈ મનોજ ગોંડ એ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે હું નોકરી પરથી આવ્યા બાદ ભોજન કરવા બેઠો હતો. એવામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગ ગયો હતો. જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં અને લોહીના ખાબોચિયામાં પડેલો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ મને જણાવ્યું કે, બે ટપોરી અને માથાભારે શખ્સો સહિત 4 થી 5 જણાએ મારા ભાઈ હાર્દિક પર હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચાકુના ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા.
મનોજે આક્ષેપ કર્યો હતો કે, અગાઉ પણ માથાભારે શખ્સોએ નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તલવાર લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. એ સમયે પોલીસે ફરિયાદ લઈ કડક કાર્યવાહી કરવાના બદલે મને ધક્કા ખવડાવ્યા હતા. જેને લઈ આજે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. અમે સામાન્ય પરિવારના છીએ અને આર્થિક રીતે ઘરને મદદરૂમ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.