માતા બિમાર હોવાના નામે પતિ ક્યારેય પત્ની સાથે સુતો નહોતો.
દહેજ બાબતે તેમજ બાળક થતું ના હોવા અંગે સાસરીયા મ્હેણાં મારતાં.
પિયર જતી રહેલી પરિણીતાને વોટ્સએપની વાતચીત પરથી ખબર પડી કે, પતિ ગે છે.
સુરત. લગ્ન બાદ માતા સાથે સુવા જતાં રહેતાં પતિ સહિતના સાસરીયાથી ત્રાસીને પરિણીતા પિયર રહેવા જતી રહી હતી. ત્યાં વોટ્સએપ વેબ સાથે પતિનો નંબર કનેક્ટ કરી પરિણીતાએ ચેટિંગ વાંચ્યું ત્યારે એને ખબર પડી કે, પતિ ગે છે. જેને પગલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ગોપીપુરા વિસ્તારની યુવતીના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ યેનકેન પ્રકારે પત્ની સાથે સુવાનું ટાળતો હતો. માતા બિમાર હોવાથી તેની સાથે સુવું પડશે એમ જણાવી તે માતાની સાથે સુઈ જતો હતો. તો બીજી તરફ સાસરિયાઓ દહેજ બાબતે પરિણીતાને મ્હેણાં ટોણાં મારતાં હતાં. સાથે સુઈ જવાના મામલે પતિ – પત્ની અનેકવાર ઝગડા થતાં હતાં. જોકે, પતિ ટસનો મસ થતો નહોતો.
લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ બાળક થતું ના હોવાના મુદ્દે પણ પરિણીતાને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કર્યું હતું. પતિ સહિત સાસરીયાના ત્રાસથી આખરે પરિણીતાએ પિયર રહેવા જતી રહી હતી. દરમિયાનમાં એક દિવસ પતિનું વોટ્સએપ વેબ સાથે કનેક્ટ કરીને મેસેજ વાંચ્યા હતાં. પતિના મેસેજ વાંચીને પરિણીતાના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી.
પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ પુરૂષો સાથે સંબંધ રાખે છે. અને તે ગે છે. જેથી પરિણીતાએ આ સમગ્ર મામલે પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માતા બિમાર હોવાના નામે પતિ ક્યારેય પત્ની સાથે સુતો નહોતો.
દહેજ બાબતે તેમજ બાળક થતું ના હોવા અંગે સાસરીયા મ્હેણાં મારતાં.
પિયર જતી રહેલી પરિણીતાને વોટ્સએપની વાતચીત પરથી ખબર પડી કે, પતિ ગે છે.
સુરત. લગ્ન બાદ માતા સાથે સુવા જતાં રહેતાં પતિ સહિતના સાસરીયાથી ત્રાસીને પરિણીતા પિયર રહેવા જતી રહી હતી. ત્યાં વોટ્સએપ વેબ સાથે પતિનો નંબર કનેક્ટ કરી પરિણીતાએ ચેટિંગ વાંચ્યું ત્યારે એને ખબર પડી કે, પતિ ગે છે. જેને પગલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ગોપીપુરા વિસ્તારની યુવતીના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ યેનકેન પ્રકારે પત્ની સાથે સુવાનું ટાળતો હતો. માતા બિમાર હોવાથી તેની સાથે સુવું પડશે એમ જણાવી તે માતાની સાથે સુઈ જતો હતો. તો બીજી તરફ સાસરિયાઓ દહેજ બાબતે પરિણીતાને મ્હેણાં ટોણાં મારતાં હતાં. સાથે સુઈ જવાના મામલે પતિ – પત્ની અનેકવાર ઝગડા થતાં હતાં. જોકે, પતિ ટસનો મસ થતો નહોતો.
લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ બાળક થતું ના હોવાના મુદ્દે પણ પરિણીતાને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કર્યું હતું. પતિ સહિત સાસરીયાના ત્રાસથી આખરે પરિણીતાએ પિયર રહેવા જતી રહી હતી. દરમિયાનમાં એક દિવસ પતિનું વોટ્સએપ વેબ સાથે કનેક્ટ કરીને મેસેજ વાંચ્યા હતાં. પતિના મેસેજ વાંચીને પરિણીતાના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી.
પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ પુરૂષો સાથે સંબંધ રાખે છે. અને તે ગે છે. જેથી પરિણીતાએ આ સમગ્ર મામલે પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.