હાલ જૂનાગઢના ડી.વ્હાય.એસ.પી. જે.બી.ગઢવીને સજા ફટકારાતા પોલીસ બેડાંમાં ખળભળાટ.
2006માં સગીર યુવકની ગેરકાયદે અટકાયત કરી ઢોર માર માર્યો હતો.
સગીર યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
દેવગઢ બારીયા. વર્ષ 2006માં સગીર યુવકની ગેરકાયદે અટક કરી, માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં તત્કાલિકન પી.એસ.આઈ. અને હાલ જૂનાગઢના ડી.વ્હાય.એસ.પી. જે. બી. ગઢવીને કોર્ટે કેદની સજા ફટકારતાં પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલ જૂનાગઢના કેસોદ ખાતે ડી.વ્હાય.એસ.પી. તરીકે ફરજ બજાવતાં જે. બી. ગઢવી વર્ષ 2006માં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ મથક પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં હતાં. તારીખ 13 ડિસેમ્બર 2006ના રોજ જે.બી.ગઢવી દ્વારા દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે રહેતા સગીર યુવક સરજનકુમાર રામાભાઈ પસાયાની ગેરકાયદેસર અટક કરી હતી અને તેને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો અને ત્યારબાદ આ યુવક સગીર યુવક હોવાંનું જણાાતા તેંના પરિવાર જનો ને બોલાવીી સોંપી દેવામાં આવ્યો હતો.
ત્યારે સરજનકુમાર દ્વારા પોતાના વકીલ મારફતે દેવગઢ બારીયા કોર્ટમાં જે.બી.ગઢવી વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. આ કેસ દેવગઢ બારીઆ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરિયાદીના વકીલની દલિલ ગ્રાહ્ય રાખી પુરાવા તપાસતા પી એસ આઈ ગઢવી ને તકસિર વાન ઠેરવી આજરોજ આ કેસનો હુકમ કર્યો હતો. હુકમમાં જણાવ્યા અનુસાર, જે.બી. ગઢવીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી.કલમ 323 હેઠળ 8 મહિના તથા 1 વર્ષ તેમજ 324 હેઠળ 2 વર્ષ અને 1૦૦૦ રૂપીયાનો દંડ તથા 342 હેઠળ 8 મહિના તથા 1૦૦૦ રૂપીયાનો દંડ ફરમાવતો દેવગઢ બારીઆ કોર્ટે હુકમ કર્યા હતો. કોર્ટના હુકમના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં ફેલાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
2006માં સગીર યુવકની ગેરકાયદે અટકાયત કરી ઢોર માર માર્યો હતો.
સગીર યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
દેવગઢ બારીયા. વર્ષ 2006માં સગીર યુવકની ગેરકાયદે અટક કરી, માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં તત્કાલિકન પી.એસ.આઈ. અને હાલ જૂનાગઢના ડી.વ્હાય.એસ.પી. જે. બી. ગઢવીને કોર્ટે કેદની સજા ફટકારતાં પોલીસ બેડાંમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલ જૂનાગઢના કેસોદ ખાતે ડી.વ્હાય.એસ.પી. તરીકે ફરજ બજાવતાં જે. બી. ગઢવી વર્ષ 2006માં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ મથક પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં હતાં. તારીખ 13 ડિસેમ્બર 2006ના રોજ જે.બી.ગઢવી દ્વારા દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે રહેતા સગીર યુવક સરજનકુમાર રામાભાઈ પસાયાની ગેરકાયદેસર અટક કરી હતી અને તેને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો અને ત્યારબાદ આ યુવક સગીર યુવક હોવાંનું જણાાતા તેંના પરિવાર જનો ને બોલાવીી સોંપી દેવામાં આવ્યો હતો.
ત્યારે સરજનકુમાર દ્વારા પોતાના વકીલ મારફતે દેવગઢ બારીયા કોર્ટમાં જે.બી.ગઢવી વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. આ કેસ દેવગઢ બારીઆ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરિયાદીના વકીલની દલિલ ગ્રાહ્ય રાખી પુરાવા તપાસતા પી એસ આઈ ગઢવી ને તકસિર વાન ઠેરવી આજરોજ આ કેસનો હુકમ કર્યો હતો. હુકમમાં જણાવ્યા અનુસાર, જે.બી. ગઢવીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી.કલમ 323 હેઠળ 8 મહિના તથા 1 વર્ષ તેમજ 324 હેઠળ 2 વર્ષ અને 1૦૦૦ રૂપીયાનો દંડ તથા 342 હેઠળ 8 મહિના તથા 1૦૦૦ રૂપીયાનો દંડ ફરમાવતો દેવગઢ બારીઆ કોર્ટે હુકમ કર્યા હતો. કોર્ટના હુકમના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં ફેલાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.