WatchGujarat. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ જ્યારથી ડ્રગ્સ કેસમાં લેવામાં આવ્યું છે, ત્યારે ફિલ્મ સ્ટાર્સ સિવાય દેશની ઘણી મોટી હસ્તીઓ પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. ઘણા રાજકારણીઓ પણ આ સમગ્ર મામલે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના મંત્રી અને NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા છગન ભુજબળે પણ આર્યન ખાનના જેલમાં રહેવા અને જામીન મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આર્યન ખાનની મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં છગન ભુજબળે કેસની તપાસ કરી રહેલી NCB (Nacrotics Control Bureau)ની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ છગન ભુજબળે કહ્યું છે કે જો શાહરૂખ ખાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો હોત તો આર્યન ખાનને મળેલ ડ્રગ્સ શુગરમાં ફેરવાઈ ગઈ હોત.
છગન ભુજબળે NCBની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું જંગી કન્સાઇનમેન્ટ ઝડપાયું હતું, પરંતુ આ મામલે તપાસ કરવાને બદલે કેન્દ્રીય એજન્સી NCB શાહરૂખ ખાનની પાછળ છે. છગન ભુજબલે કટાક્ષ કર્યો, "જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાય તો ડ્રગ્સ શુગર બની જશે." જણાવી દઈએ કે સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસના કારણે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
આર્યન ખાનની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે, ત્યારબાદ તેણે હવે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. NCB એ આર્યન ખાનને જામીન ન આપવાના પુરાવા તરીકે કોર્ટમાં તેની વોટ્સએપ ચેટ્સ રજૂ કરી છે. જે બાદ હવે આર્યન દ્વારા NCB પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હકીકતમાં બુધવારે સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે હાઈકોર્ટમાં પોતાના જામીન માટે અપીલ દાખલ કરી છે, હાઈકોર્ટે આર્યન કેસની સુનાવણી માટે 26 ઓક્ટોબરનો સમય આપ્યો છે.
ઇ-ટાઇમ્સના અહેવાલો અનુસાર, આર્યન ખાન વતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે NCB એ તેને ફસાવવા માટે તેની Whatsapp ચેટ્સનું ખોટું અર્થઘટન કર્યું છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે. આર્યન વતી એમ પણ કહેવામાં આવ્યું છે કે એનસીબીને તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ મળ્યું નથી અને અરબાઝ મર્ચન્ટ અને અચિત કુમાર સિવાય તેનો અન્ય કોઈ આરોપી સાથે કોઈ સંબંધ નથી. જણાવી દઈએ કે ફોર્ટ કોર્ટે આર્યનને 30 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.
WatchGujarat. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ જ્યારથી ડ્રગ્સ કેસમાં લેવામાં આવ્યું છે, ત્યારે ફિલ્મ સ્ટાર્સ સિવાય દેશની ઘણી મોટી હસ્તીઓ પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. ઘણા રાજકારણીઓ પણ આ સમગ્ર મામલે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના મંત્રી અને NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા છગન ભુજબળે પણ આર્યન ખાનના જેલમાં રહેવા અને જામીન મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આર્યન ખાનની મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં છગન ભુજબળે કેસની તપાસ કરી રહેલી NCB (Nacrotics Control Bureau)ની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ છગન ભુજબળે કહ્યું છે કે જો શાહરૂખ ખાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો હોત તો આર્યન ખાનને મળેલ ડ્રગ્સ શુગરમાં ફેરવાઈ ગઈ હોત.
છગન ભુજબળે NCBની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું જંગી કન્સાઇનમેન્ટ ઝડપાયું હતું, પરંતુ આ મામલે તપાસ કરવાને બદલે કેન્દ્રીય એજન્સી NCB શાહરૂખ ખાનની પાછળ છે. છગન ભુજબલે કટાક્ષ કર્યો, "જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાય તો ડ્રગ્સ શુગર બની જશે." જણાવી દઈએ કે સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસના કારણે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
આર્યન ખાનની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે, ત્યારબાદ તેણે હવે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. NCB એ આર્યન ખાનને જામીન ન આપવાના પુરાવા તરીકે કોર્ટમાં તેની વોટ્સએપ ચેટ્સ રજૂ કરી છે. જે બાદ હવે આર્યન દ્વારા NCB પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હકીકતમાં બુધવારે સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેણે હાઈકોર્ટમાં પોતાના જામીન માટે અપીલ દાખલ કરી છે, હાઈકોર્ટે આર્યન કેસની સુનાવણી માટે 26 ઓક્ટોબરનો સમય આપ્યો છે.
ઇ-ટાઇમ્સના અહેવાલો અનુસાર, આર્યન ખાન વતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે NCB એ તેને ફસાવવા માટે તેની Whatsapp ચેટ્સનું ખોટું અર્થઘટન કર્યું છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે. આર્યન વતી એમ પણ કહેવામાં આવ્યું છે કે એનસીબીને તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ડ્રગ મળ્યું નથી અને અરબાઝ મર્ચન્ટ અને અચિત કુમાર સિવાય તેનો અન્ય કોઈ આરોપી સાથે કોઈ સંબંધ નથી. જણાવી દઈએ કે ફોર્ટ કોર્ટે આર્યનને 30 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.