2008ની 26 જુલાઈએ અમદાવાદ શહેરમાં 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા
આ મામલે સ્પેશિયલ કોર્ટ દ્વારા 77માંથી 28 આરોપી નિર્દોષ જાહેર કરાયા હતા
આજે ભદ્ર કોર્ટમાં 49 દોષિતોને સજા ફટકારવામાં આવી, 38 ફાંસીની સજા
11 આરોપીઓને મળી આજીવન કેદની સજા, તમામ 77 આરોપીઓને 10 અધિકારીઓએ દબોચ્યા હતા
WatchGujarat. આજે 2008-અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49નો કોર્ટે સજા ફટકારી છે. જેમાં 38ને ફાંસીની સજા તેમજ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે 13 વર્ષ, 195 દિવસ બાદ ચુકાદો આવ્યો છે તથા સજા આજે જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો કેસ ઉકેલવો ગુજરાત પોલીસ માટે એક પડકાર હતો. પરંતુ ગુજરાત પોલીસના 10 અધિકારીઓએ હિંમત બતાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આવો જાણીએ આપણા બહાદુર પોલીસ અધિકારીઓ વિશે.
હિમાંશુ શુકલા
આશિષ ભાટિયાએ તેમની ટીમમાં હિમાંશુ શુકલાની પસંદગી કરી. ગુજરાત અને ગુજરાતના ક્રિમિનલ સંદર્ભમાં એકદમ કોરી સ્લેટ પરંતુ કામની સમજ અને કામ પ્રત્યે પ્રમાણિકતા તેમની તાકાત હતી, એટલે જ એક ફ્રેશ અને યંગ ઓફિસરને આ ટીમમાં સામેલ કરાયા હતા.
મયૂર ચાવડા
અમદાવાદ બ્લાસ્ટ પહેલાં અન્ય રાજ્યોમાં પણ ઈન્ડિયન મુજાહિદ્દીને બ્લાસ્ટ કર્યા હતા. એટલે ચેલેન્જ વધુ હતી. તેમને મણિનગર અને સરખેજ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની તપાસ સોંપવામાં આવી હતી. સરખેજ તે સમયે ગ્રામ્યની હદમાં હતું પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
દિલીપ ઠાકોર
મહેસાણાના કોન્સ્ટેબલની સાઈબર પ્રત્યેની રૂચિને કારણે સાઈબર એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યુ અને તે જ કામ તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસ સુધી લઈ આવ્યું. મોબાઈલ ટ્રેક કરવાની મહત્વની કામગીરી કરી જેના કારણે સબઈન્સ્પેક્ટર તરીકે સરકારે તેમને બઢતી આપી હતી.
આશિષ ભાટિયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. ટેરરીઝમ મામલે તેમની માસ્ટરી છે. ગુનેગારની રજેરજ માહિતી ડાયરીમાં રાખવાની તેમને ટેવ છે. હવે તેમને બ્લાસ્ટ મામલે પોતાની ટીમ બનાવવાની હતી જે ટીમનું નેતૃત્વ તેમના હાથમાં હતું.
અભય ચૂડાસમા
બોમ્બવિસ્ફોટમાં ઘાયલ લોકોને મારવા ટ્રોમા સેન્ટરમાં પણ બ્લાસ્ટ કરવાની આ ઘટનામાં આરોપીઓની વિરૂદ્ધ પુરાવા અને ચાર્જશીટ કરવાની ઝીણવટભરી રીતે કામગીરી કરાઈ તેનું આ પરિણામ છે. જેમાં તમામ જવાબદાર આરોપીઓને સજા થઈ છે.
જી.એલ.સિંઘલ
ઘટના બાદ આરોપીઓને પકડવા માટે સોર્સીસ એક્ટિવેટ કરી આરોપીઓને પકડ્યા બાદ પણ તેમની સામે ચાર્જશીટ કરવા સુધીની તમામ કવાયત કરવામાં જે કામગીરી કરવામાં આવી હતી તેનું આજે પરિણામ આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસ સરાહનીય હતી.
રાજેન્દ્ર અસારી
અન્ય રાજ્યમાં થયેલા બ્લાસ્ટની કડી મળી ન હતી. ત્યારે ગુજરાત પોલીસે આતંકવાદીઓને પકડી તેમનું નેટવર્ક ક્રેક કર્યું. અન્ય રાજ્યોના કેસ ઉકેલાયા. ત્યાર પછી અત્યારસુધી આવી એકપણ ઘટના બની નથી. મારી પાસે નારોલ, વટવા, ઈસનપુરના કેસ હતા.
ઉષા રાડા
એસીપી તરીકે ડી ડિવિઝનમાં પોસ્ટિંગ હતું. ખાડિયાનો ચાર્જ પણ હતો. કાલુપુર અને ખાડિયા તાત્કાલિક પહોંચી. ખાડિયામાં સ્થિતિ સારી ન હતી. તપાસ દરમિયાન માંડ 5-6 કલાક માટે ઘરે જવા મળતું. ક્રાઈમ બ્રાન્ચ જ ઘર બની ગયું હતું. 4 કેસની તપાસ મારી પાસે હતી.
તરૂણ બારોટ
ગુજરાતના કોઈ પણ ખૂણે જાવ, પોલીસથી લઈ ગુનેગાર તરુણ બારોટના નામથી અજાણ હોય તેવું બને જે નહીં. વિપરીત સ્થિતિમાં કૂદી પડવાની તૈયારી, તેમની બહાદુરીને કારણે સરકારે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યું હતું, તેમના ભાગે ઓપરેશન યુનિટ હતું.
વી.આર.ટોળિયા
મૂળ ઈન્વેસ્ટિગેશનના માણસ, સ્વભાવે ઠંડા પણ તેમની ઠંડક ગુનેગારોને ડરાવે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીની થાક્યા વગર પૂછપરછ કરવી અને આ પૂછપરછમાં આરોપીને થકવી નાખવાની તેમની વિશેશ આવડતને કારણે તેમને ટીમમાં સામેલ કરાયા હતા.
2008ની 26 જુલાઈએ અમદાવાદ શહેરમાં 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા
આ મામલે સ્પેશિયલ કોર્ટ દ્વારા 77માંથી 28 આરોપી નિર્દોષ જાહેર કરાયા હતા
11 આરોપીઓને મળી આજીવન કેદની સજા, તમામ 77 આરોપીઓને 10 અધિકારીઓએ દબોચ્યા હતા
WatchGujarat. આજે 2008-અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49નો કોર્ટે સજા ફટકારી છે. જેમાં 38ને ફાંસીની સજા તેમજ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે 13 વર્ષ, 195 દિવસ બાદ ચુકાદો આવ્યો છે તથા સજા આજે જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો કેસ ઉકેલવો ગુજરાત પોલીસ માટે એક પડકાર હતો. પરંતુ ગુજરાત પોલીસના 10 અધિકારીઓએ હિંમત બતાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આવો જાણીએ આપણા બહાદુર પોલીસ અધિકારીઓ વિશે.
હિમાંશુ શુકલા
આશિષ ભાટિયાએ તેમની ટીમમાં હિમાંશુ શુકલાની પસંદગી કરી. ગુજરાત અને ગુજરાતના ક્રિમિનલ સંદર્ભમાં એકદમ કોરી સ્લેટ પરંતુ કામની સમજ અને કામ પ્રત્યે પ્રમાણિકતા તેમની તાકાત હતી, એટલે જ એક ફ્રેશ અને યંગ ઓફિસરને આ ટીમમાં સામેલ કરાયા હતા.
મયૂર ચાવડા
અમદાવાદ બ્લાસ્ટ પહેલાં અન્ય રાજ્યોમાં પણ ઈન્ડિયન મુજાહિદ્દીને બ્લાસ્ટ કર્યા હતા. એટલે ચેલેન્જ વધુ હતી. તેમને મણિનગર અને સરખેજ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની તપાસ સોંપવામાં આવી હતી. સરખેજ તે સમયે ગ્રામ્યની હદમાં હતું પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
દિલીપ ઠાકોર
મહેસાણાના કોન્સ્ટેબલની સાઈબર પ્રત્યેની રૂચિને કારણે સાઈબર એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યુ અને તે જ કામ તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસ સુધી લઈ આવ્યું. મોબાઈલ ટ્રેક કરવાની મહત્વની કામગીરી કરી જેના કારણે સબઈન્સ્પેક્ટર તરીકે સરકારે તેમને બઢતી આપી હતી.
આશિષ ભાટિયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. ટેરરીઝમ મામલે તેમની માસ્ટરી છે. ગુનેગારની રજેરજ માહિતી ડાયરીમાં રાખવાની તેમને ટેવ છે. હવે તેમને બ્લાસ્ટ મામલે પોતાની ટીમ બનાવવાની હતી જે ટીમનું નેતૃત્વ તેમના હાથમાં હતું.
અભય ચૂડાસમા
બોમ્બવિસ્ફોટમાં ઘાયલ લોકોને મારવા ટ્રોમા સેન્ટરમાં પણ બ્લાસ્ટ કરવાની આ ઘટનામાં આરોપીઓની વિરૂદ્ધ પુરાવા અને ચાર્જશીટ કરવાની ઝીણવટભરી રીતે કામગીરી કરાઈ તેનું આ પરિણામ છે. જેમાં તમામ જવાબદાર આરોપીઓને સજા થઈ છે.
જી.એલ.સિંઘલ
ઘટના બાદ આરોપીઓને પકડવા માટે સોર્સીસ એક્ટિવેટ કરી આરોપીઓને પકડ્યા બાદ પણ તેમની સામે ચાર્જશીટ કરવા સુધીની તમામ કવાયત કરવામાં જે કામગીરી કરવામાં આવી હતી તેનું આજે પરિણામ આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસ સરાહનીય હતી.
રાજેન્દ્ર અસારી
અન્ય રાજ્યમાં થયેલા બ્લાસ્ટની કડી મળી ન હતી. ત્યારે ગુજરાત પોલીસે આતંકવાદીઓને પકડી તેમનું નેટવર્ક ક્રેક કર્યું. અન્ય રાજ્યોના કેસ ઉકેલાયા. ત્યાર પછી અત્યારસુધી આવી એકપણ ઘટના બની નથી. મારી પાસે નારોલ, વટવા, ઈસનપુરના કેસ હતા.
ઉષા રાડા
એસીપી તરીકે ડી ડિવિઝનમાં પોસ્ટિંગ હતું. ખાડિયાનો ચાર્જ પણ હતો. કાલુપુર અને ખાડિયા તાત્કાલિક પહોંચી. ખાડિયામાં સ્થિતિ સારી ન હતી. તપાસ દરમિયાન માંડ 5-6 કલાક માટે ઘરે જવા મળતું. ક્રાઈમ બ્રાન્ચ જ ઘર બની ગયું હતું. 4 કેસની તપાસ મારી પાસે હતી.
તરૂણ બારોટ
ગુજરાતના કોઈ પણ ખૂણે જાવ, પોલીસથી લઈ ગુનેગાર તરુણ બારોટના નામથી અજાણ હોય તેવું બને જે નહીં. વિપરીત સ્થિતિમાં કૂદી પડવાની તૈયારી, તેમની બહાદુરીને કારણે સરકારે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યું હતું, તેમના ભાગે ઓપરેશન યુનિટ હતું.
વી.આર.ટોળિયા
મૂળ ઈન્વેસ્ટિગેશનના માણસ, સ્વભાવે ઠંડા પણ તેમની ઠંડક ગુનેગારોને ડરાવે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીની થાક્યા વગર પૂછપરછ કરવી અને આ પૂછપરછમાં આરોપીને થકવી નાખવાની તેમની વિશેશ આવડતને કારણે તેમને ટીમમાં સામેલ કરાયા હતા.