લગ્નસરા અને શિયાળામાં NRI માર્કેટમાં વતન પરત આવતા લોકોની ફુલબહારમાં રહે છે ખરીદી
રસ્તા ઉપર વહેતી ગટરોથી લોકો અને વેપારીઓ પરેશાન
ત્રણ દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ ધરણા કરશે
WatchGujarat.ભરૂચ કતોપોર બજારના 1200 વેપારીઓને પાલિકા તંત્ર તરફથી 4 વર્ષથી 61 આવેદનપત્રો અને રજૂઆતો સામે વાયદા જ મળી રહ્યાં છે. બજારમાં ઉભરાતી ગટરો અને અત્યંત ખરાબ રસ્તાને લઈ વેપારીઓ છેલ્લા 4 વર્ષથી પાલિકામાં પસ્તાળ પાડી રહ્યાં છે. જોકે તેમની બન્ને સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવતા તેઓને વેપાર કરવો દુષ્કર બન્યો છે. જવા આવવામાં તકલીફ પડવા સાથે લોકો પણ બજારમાં પગ મુકવા કે વાહન લઈને આવવા વિચાર કરી રહ્યાં છે.
ભરૂચનું કતોપોર બજારની ગણના NRI માર્કેટ તરીકે થાય છે અને ખાસ કરી શિયાળા વેકેશનમાં વિદેશમાં રહેતા NRI પરત આવતા હોય લગ્નસરાની મોસમમાં પુરબહારમાં ખરીદારી ખીલી ઉઠે છે. એક વર્ષથી કોરોનાના કારણે વિદેશથી શિયાળાની લગ્નસરાની મોસમમાં NRI નું આગમન બંધ હતું. હવે NRI વતન આવી કતોપોર બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે પગ મુકવાની જગ્યા જ ન હોય ગ્રાહકો સાથે વેપારીઓ બજારમાં આવતા પાછીપાની કરી રહ્યાં છે.
ભરૂચના સૌથી ધમધમતા કતોપોર બજારના વેપારીઓ સ્થાનિક સમસ્યાઓથી પરેશાન થઇ ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું નિરાકરણ ન લવાતા અંતે તેઓએ ૩ દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે.
ભરૂચના કતોપોર બજારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યા છે. અવારનવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. હાલ સુધીમાં આ વેપારીઓ દ્વારા 61 જેટલા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ આવ્યું નથી. થોડા દિવસ પૂર્વે જ વેપારીઓ દ્વારા નગરપાલિકા બહાર દેખાવો કરાતા મુખ્ય અધિકારીએ 22 તારીખ સુધીમાં સમસ્યાનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. પરંતુ તેના બે દિવસ વીતી ગયા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને 3 દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. જો 3 દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરી મુખ્ય અધિકારી અને પ્રમુખની ઓફીસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- લગ્નસરા અને શિયાળામાં NRI માર્કેટમાં વતન પરત આવતા લોકોની ફુલબહારમાં રહે છે ખરીદી
- રસ્તા ઉપર વહેતી ગટરોથી લોકો અને વેપારીઓ પરેશાન
- ત્રણ દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ ધરણા કરશે
WatchGujarat.ભરૂચ કતોપોર બજારના 1200 વેપારીઓને પાલિકા તંત્ર તરફથી 4 વર્ષથી 61 આવેદનપત્રો અને રજૂઆતો સામે વાયદા જ મળી રહ્યાં છે. બજારમાં ઉભરાતી ગટરો અને અત્યંત ખરાબ રસ્તાને લઈ વેપારીઓ છેલ્લા 4 વર્ષથી પાલિકામાં પસ્તાળ પાડી રહ્યાં છે. જોકે તેમની બન્ને સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવતા તેઓને વેપાર કરવો દુષ્કર બન્યો છે. જવા આવવામાં તકલીફ પડવા સાથે લોકો પણ બજારમાં પગ મુકવા કે વાહન લઈને આવવા વિચાર કરી રહ્યાં છે.
ભરૂચનું કતોપોર બજારની ગણના NRI માર્કેટ તરીકે થાય છે અને ખાસ કરી શિયાળા વેકેશનમાં વિદેશમાં રહેતા NRI પરત આવતા હોય લગ્નસરાની મોસમમાં પુરબહારમાં ખરીદારી ખીલી ઉઠે છે. એક વર્ષથી કોરોનાના કારણે વિદેશથી શિયાળાની લગ્નસરાની મોસમમાં NRI નું આગમન બંધ હતું. હવે NRI વતન આવી કતોપોર બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે પગ મુકવાની જગ્યા જ ન હોય ગ્રાહકો સાથે વેપારીઓ બજારમાં આવતા પાછીપાની કરી રહ્યાં છે.
ભરૂચના સૌથી ધમધમતા કતોપોર બજારના વેપારીઓ સ્થાનિક સમસ્યાઓથી પરેશાન થઇ ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું નિરાકરણ ન લવાતા અંતે તેઓએ ૩ દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે.
ભરૂચના કતોપોર બજારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યા છે. અવારનવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. હાલ સુધીમાં આ વેપારીઓ દ્વારા 61 જેટલા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ આવ્યું નથી. થોડા દિવસ પૂર્વે જ વેપારીઓ દ્વારા નગરપાલિકા બહાર દેખાવો કરાતા મુખ્ય અધિકારીએ 22 તારીખ સુધીમાં સમસ્યાનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. પરંતુ તેના બે દિવસ વીતી ગયા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને 3 દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. જો 3 દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરી મુખ્ય અધિકારી અને પ્રમુખની ઓફીસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.