અકસ્માત સર્જક ઝાયલો કારનો ચાલક ફરાર, ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
મેઘમણી અને GNFC કંપનીમાં કોન્ટ્રેક્ટ ઉપર ફર્સ્ટશિપમાં જતા એક જ ફળિયાના બે યુવાનો કાળને ભેટ્યા
WatchGujarat. ભરૂચ તાલુકાના દહેગામ ગામના એક જ ફળિયાના 2 યુવાનો બાઇક ઉપર દહેજ કોન્ટ્રાકટમાં ફર્સ્ટશિપમાં નોકરીએ જતી વેળા મહેગામ ગામે ઝાયલો કારે અડફેટે લેતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
ભરૂચ તાલુકાના દહેગામથી મનાડ જતા માર્ગ પર વહેલી સવારે પુર ઝડપે આવતી ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. દહેગામના એક જ ફળીયામાં રહેતા પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ દહેજ ખાતે GNFC કંપનીમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવે છે. તેઓ સોમવારે ફર્સ્ટશિપમાં ફરજ પર જઈ રહ્યા હતા. પ્રદીપની બાઇક નં . GJ - 16 - AE 0735 લઇને જતા હતા. તે દરમ્યાન મનાડ ગામથી કેશરોલ ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી પુરઝડપે આવતી ઝાયલો કાર નંબર GJ - 16 - DG 2736 ના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈકના ફુરચા ઉડી જવા સાથે 27 વર્ષીય પ્રદિપ જયંતીભાઇ ગોહીલ અને 26 વર્ષીય પ્રશાંત છત્રસીંહ ગોહીલનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ઝાયલો મૂકી સ્થળ પરથી કરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોના ટોળા વચ્ચે ભરૂચ તાલુકા પોલીસે દોડી આવી બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના અને ફળીયાના 2 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મેઘમણી અને GNFC કંપનીમાં કોન્ટ્રેક્ટ ઉપર ફર્સ્ટશિપમાં જતા એક જ ફળિયાના બે યુવાનો કાળને ભેટ્યા
WatchGujarat. ભરૂચ તાલુકાના દહેગામ ગામના એક જ ફળિયાના 2 યુવાનો બાઇક ઉપર દહેજ કોન્ટ્રાકટમાં ફર્સ્ટશિપમાં નોકરીએ જતી વેળા મહેગામ ગામે ઝાયલો કારે અડફેટે લેતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
ભરૂચ તાલુકાના દહેગામથી મનાડ જતા માર્ગ પર વહેલી સવારે પુર ઝડપે આવતી ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. દહેગામના એક જ ફળીયામાં રહેતા પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ દહેજ ખાતે GNFC કંપનીમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવે છે. તેઓ સોમવારે ફર્સ્ટશિપમાં ફરજ પર જઈ રહ્યા હતા. પ્રદીપની બાઇક નં . GJ - 16 - AE 0735 લઇને જતા હતા. તે દરમ્યાન મનાડ ગામથી કેશરોલ ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી પુરઝડપે આવતી ઝાયલો કાર નંબર GJ - 16 - DG 2736 ના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈકના ફુરચા ઉડી જવા સાથે 27 વર્ષીય પ્રદિપ જયંતીભાઇ ગોહીલ અને 26 વર્ષીય પ્રશાંત છત્રસીંહ ગોહીલનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ઝાયલો મૂકી સ્થળ પરથી કરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોના ટોળા વચ્ચે ભરૂચ તાલુકા પોલીસે દોડી આવી બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના અને ફળીયાના 2 આશાસ્પદ યુવાનોના મોતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.