આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે
20 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે
23 જાન્યુઆરી વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે
WatchGujarat. રાજ્યમાં ફરી એક વખત માવઠાનું સંકટ મંડરાશે. આ વર્ષે માવઠાને કારણે ખેડૂતની પરિસ્થિતિ પહેલેથી જ કફોળી બની છે ત્યાં ફરી વખત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં ઉત્તરાયણ પછી રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે ત્યાં રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છવાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ આવ્યું છે.20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 31 જાન્યુઆરી મહેસાણા, દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 23 જાન્યુઆરી વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દરમિયાન જખૌ, માંડવી મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયા કિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વાતાવરણમાં પલટો આવવાથી અનેક વખત કમોસમી વરસાદ થયો છે. ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં તાપમાન વધતા લોકોને ઠંડીથી રાહત મળી છે. બે દિવસતી વાતાવરણમાં સામાન્ય પલટો આવતા મહત્તમ અને લધુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને દિવસે ઠંડીથી સામાન્ય રાહત મળી છે.
આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે
20 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે
23 જાન્યુઆરી વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે
WatchGujarat. રાજ્યમાં ફરી એક વખત માવઠાનું સંકટ મંડરાશે. આ વર્ષે માવઠાને કારણે ખેડૂતની પરિસ્થિતિ પહેલેથી જ કફોળી બની છે ત્યાં ફરી વખત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં ઉત્તરાયણ પછી રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે ત્યાં રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છવાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ આવ્યું છે.20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે 31 જાન્યુઆરી મહેસાણા, દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 23 જાન્યુઆરી વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દરમિયાન જખૌ, માંડવી મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયા કિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વાતાવરણમાં પલટો આવવાથી અનેક વખત કમોસમી વરસાદ થયો છે. ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં તાપમાન વધતા લોકોને ઠંડીથી રાહત મળી છે. બે દિવસતી વાતાવરણમાં સામાન્ય પલટો આવતા મહત્તમ અને લધુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને દિવસે ઠંડીથી સામાન્ય રાહત મળી છે.