સીએમનાં રોડ-શોમાં હાજર ભાજપનાં વધુ 3 નેતાઓ કોરોના સંક્રમિત થતા ખડભળાટ
બપોર સુધીમાં રાજકોટમાં નવા 46 કેસ નોંધાયા, મનપાનાં આસી. કમિશ્નર સમીર ઘડુક પણ કોરોના પોઝિટિવ
આજથી કોરોના રસીના પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ, આરોગ્ય કેન્દ્ર બહાર સિનિયર સિટીઝનોની મોટી કતારો લાગી
બપોર સુધીમાં 1662 ફ્રન્ટલાઈન વર્કર અને વડીલોને ત્રીજો ડોઝ અપાયો
WatchGujarat. શહેરમાં તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે આજે બપોર સુધીમાં જ સીએમનાં રોડ-શોમાં હાજર ભાજપનાં વધુ 3 નેતાઓ સહિત બપોર સુધીમાં નવા 46 કેસ નોંધાયા છે. જેમાં મનપાનાં આસી. કમિશ્નર સમીર ઘડુક પણ સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. બીજીતરફ આજથી કોરોના રસીના પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થતાં આરોગ્ય કેન્દ્ર બહાર સિનિયર સિટીઝનોની મોટી કતારો લાગી છે. અને બપોર સુધીમાં 1662 ફ્રન્ટલાઈન વર્કર અને વડીલોને ત્રીજો ડોઝ અપાઈ ચુક્યો છે.
તાજેતરમાં ભાજપનાં દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજ સંક્રમિત થયા હતા. ત્યારે આજે ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા તેમજ CMના આગમન સમયે એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહેલા ભરત બોઘરાનો રિપોર્ટ પણ કોતોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ ત્રણેય નેતાઓની તબિયત સ્થિર છે અને તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ ત્રણેય નેતાઓ રોડશો દરમિયાન હાજર રહ્યા હોવાથી સીએમ સહિત અન્ય અનેક લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ જિલ્લામાં હેલ્થ કેર તથા ફ્રન્ટલાઇન વર્કરની સાથે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને સરકારના આદેશ મુજબ સાવચેતીના ભાગરૂપે પ્રિકોશનરી રસી આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ત્રીજો ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્રની બહાર સિનિયર સિટિઝનોની લાઈનો લાગી હતી. અને બપોર સુધીમાં 1662 લોકોને પ્રિકોશન કોવિડ વેકસીન આપવામાં આવી ચુકી છે. જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા તેમજ IMA શહેર પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ પણ બુસ્ટર ડોઝ લીધો હતો.
બપોર સુધીમાં રાજકોટમાં નવા 46 કેસ નોંધાયા, મનપાનાં આસી. કમિશ્નર સમીર ઘડુક પણ કોરોના પોઝિટિવ
આજથી કોરોના રસીના પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ, આરોગ્ય કેન્દ્ર બહાર સિનિયર સિટીઝનોની મોટી કતારો લાગી
બપોર સુધીમાં 1662 ફ્રન્ટલાઈન વર્કર અને વડીલોને ત્રીજો ડોઝ અપાયો
WatchGujarat. શહેરમાં તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે આજે બપોર સુધીમાં જ સીએમનાં રોડ-શોમાં હાજર ભાજપનાં વધુ 3 નેતાઓ સહિત બપોર સુધીમાં નવા 46 કેસ નોંધાયા છે. જેમાં મનપાનાં આસી. કમિશ્નર સમીર ઘડુક પણ સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. બીજીતરફ આજથી કોરોના રસીના પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થતાં આરોગ્ય કેન્દ્ર બહાર સિનિયર સિટીઝનોની મોટી કતારો લાગી છે. અને બપોર સુધીમાં 1662 ફ્રન્ટલાઈન વર્કર અને વડીલોને ત્રીજો ડોઝ અપાઈ ચુક્યો છે.
તાજેતરમાં ભાજપનાં દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજ સંક્રમિત થયા હતા. ત્યારે આજે ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા તેમજ CMના આગમન સમયે એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહેલા ભરત બોઘરાનો રિપોર્ટ પણ કોતોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ ત્રણેય નેતાઓની તબિયત સ્થિર છે અને તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ ત્રણેય નેતાઓ રોડશો દરમિયાન હાજર રહ્યા હોવાથી સીએમ સહિત અન્ય અનેક લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ જિલ્લામાં હેલ્થ કેર તથા ફ્રન્ટલાઇન વર્કરની સાથે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને સરકારના આદેશ મુજબ સાવચેતીના ભાગરૂપે પ્રિકોશનરી રસી આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ત્રીજો ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્રની બહાર સિનિયર સિટિઝનોની લાઈનો લાગી હતી. અને બપોર સુધીમાં 1662 લોકોને પ્રિકોશન કોવિડ વેકસીન આપવામાં આવી ચુકી છે. જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા તેમજ IMA શહેર પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ પણ બુસ્ટર ડોઝ લીધો હતો.