ચાઈનીઝ તુક્કલ કે અન્ય કારણોસર વાહનો સળગ્યાનું રહસ્ય અકબંધ
ફાયર ફાઈટરો સ્થળ ઉપર પોહચે તે પેહલા જ બાઇકો આગમાં સ્વાહા
બસ સ્ટેન્ડ નજીક બાઇકો મૂકી શિફ્ટમાં નોકરીએ જતા લોકોના વાહન સળગવાની આકસ્મિક ઘટના કે આગચંપીના સવાલો ઉઠ્યા
WatchGujarat. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નટરાજ કોમ્પ્લેક્ષ નજીક પાર્ક કરેલી બાઇકો એક બાદ એક આગની ચપેટમાં આવી ગઈ હતી. ફાયર ફાઈટરો સ્થળ ઉપર પોહચે તે પેહલા જ 5 બાઇકો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. વાસી ઉત્તરાયણ ઉપર ચાઈનીઝ તુક્કલ કે અન્ય કારણોસર આગ લાગી હોવાનું રહસ્ય અકબંધ રહ્યું છે.
ભરૂચ શહેરના ચારેય દિશાઓ અને ચોકડી સહિતના પોઈન્ટો ઉપર દહેજ સહિતની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો પોતાની બાઇકો પાર્ક કરી ત્યાંથી કંપનીની લકઝરી બસ પકડે છે. ઝાડેશ્વર, તુલસીધામ, નર્મદા ચોકડી, શીતલ સર્કલ, શક્તિનાથ, લિંક રોડ, કોલેજ રોડ, મહમદપુરા સહિત વાહનચાલકો પોતાના વાહનો મૂકી કંપનીની શિફ્ટની બસ પકડે છે.
કેટલાક સ્થળોએ ખાનગી પે એન્ડ પાર્ક શરૂ કરી દેવાયા છે. તો હજી કેટલાક સ્થળે વાહન ચાલકો લોક મારી તેમના વાહનો એમ જ મૂકી નોકરીએ જતા રહે છે. અગાઉ પણ કોલેજ રોડ ઉપર આવી બાઇકો સળગવાની ત્રણ જેટલી ઘટનાઓ બની છે. આવો જ બાઇકો સળગવાનો એક બનાવ ઝાડેશ્વર શનિવારે મોડી રાતે બન્યો હતો. જોકે વાસી ઉત્તરાયણ હોય આગ આકસ્મિક કે અન્ય કારણોસર લાગી હતી તેની હકીકત બહાર આવી નથી.
ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક આવેલા નટરાજ કોમ્પ્લેક્ષ પાસે શનિવારે વાહનોમાં આગ ફાટી નીકળી હતી. બસ સ્ટેન્ડ પાસે રસ્તા નજીક જ બાઇકોમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. પાંચ જેટલી બાઈકમાં આગ લાગતા તમામ વાહનો ભડકે બળવા લાગ્યા હતા. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા પણ તેઓ પહોંચે તે પહેલાં જ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ ચાઈનીઝ તુક્કલ કે અન્ય ક્યાં કારણોસર લાગી તે અંગેની વિગતો બહાર આવી નથી.
ચાઈનીઝ તુક્કલ કે અન્ય કારણોસર વાહનો સળગ્યાનું રહસ્ય અકબંધ
ફાયર ફાઈટરો સ્થળ ઉપર પોહચે તે પેહલા જ બાઇકો આગમાં સ્વાહા
WatchGujarat. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નટરાજ કોમ્પ્લેક્ષ નજીક પાર્ક કરેલી બાઇકો એક બાદ એક આગની ચપેટમાં આવી ગઈ હતી. ફાયર ફાઈટરો સ્થળ ઉપર પોહચે તે પેહલા જ 5 બાઇકો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. વાસી ઉત્તરાયણ ઉપર ચાઈનીઝ તુક્કલ કે અન્ય કારણોસર આગ લાગી હોવાનું રહસ્ય અકબંધ રહ્યું છે.
ભરૂચ શહેરના ચારેય દિશાઓ અને ચોકડી સહિતના પોઈન્ટો ઉપર દહેજ સહિતની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો પોતાની બાઇકો પાર્ક કરી ત્યાંથી કંપનીની લકઝરી બસ પકડે છે. ઝાડેશ્વર, તુલસીધામ, નર્મદા ચોકડી, શીતલ સર્કલ, શક્તિનાથ, લિંક રોડ, કોલેજ રોડ, મહમદપુરા સહિત વાહનચાલકો પોતાના વાહનો મૂકી કંપનીની શિફ્ટની બસ પકડે છે.
કેટલાક સ્થળોએ ખાનગી પે એન્ડ પાર્ક શરૂ કરી દેવાયા છે. તો હજી કેટલાક સ્થળે વાહન ચાલકો લોક મારી તેમના વાહનો એમ જ મૂકી નોકરીએ જતા રહે છે. અગાઉ પણ કોલેજ રોડ ઉપર આવી બાઇકો સળગવાની ત્રણ જેટલી ઘટનાઓ બની છે. આવો જ બાઇકો સળગવાનો એક બનાવ ઝાડેશ્વર શનિવારે મોડી રાતે બન્યો હતો. જોકે વાસી ઉત્તરાયણ હોય આગ આકસ્મિક કે અન્ય કારણોસર લાગી હતી તેની હકીકત બહાર આવી નથી.
ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક આવેલા નટરાજ કોમ્પ્લેક્ષ પાસે શનિવારે વાહનોમાં આગ ફાટી નીકળી હતી. બસ સ્ટેન્ડ પાસે રસ્તા નજીક જ બાઇકોમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. પાંચ જેટલી બાઈકમાં આગ લાગતા તમામ વાહનો ભડકે બળવા લાગ્યા હતા. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા પણ તેઓ પહોંચે તે પહેલાં જ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ ચાઈનીઝ તુક્કલ કે અન્ય ક્યાં કારણોસર લાગી તે અંગેની વિગતો બહાર આવી નથી.