પોરબંદરમાં 27 ફૂટ ઊંચા અને 149 ફૂટ પહોળા શિવલિંગનું નિર્માણ થશે
મહાશિવરાત્રિના દિવસે લોકાર્પણ કરાશે, દૂધાભિષેક થયેલું દૂધ જૂરિયાતમંદ બાળકો અને પ્રસૂતા માતાઓને અપાશે
એવું શિવલિંગ હશે કે જેને દુધાભિષેક અને જલાભિષેક કરી શકાશે, ભોઈ સમાજના શ્રામિકો દ્વારા નિર્માણ કાર્ય હાથ ધરાયું
WatchGujarat. ગુજરાતના પોરબંદરમાં એક વિશાળ શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. મળતી વિગતો અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં ભોઈ સમાજના શ્રામિકો દ્વારા 27 ફૂટની ઉંચાઈ અને 149 ફૂટ પહોળું થાળું ધરાવતા મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય ધમધમી રહ્યું છે. મહત્વનું છે કે આ શિવલિંગ પર દૂધાભિષેક થયેલું દૂધ જૂરિયાતમંદ બાળકો અને પ્રસૂતા માતાઓને અપાશે.
મહાશિવરાત્રીના દિવસે લોકાર્પણ કરવાનું આયોજન
પોરબંદર જિલ્લામાં નિર્માણ થનાર આ શિવલિંગનું આગામી મહાશિવરાત્રીના દિવસે લોકાર્પણ કરવાનું આયોજન છે. જિલ્લાના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટીમાં ભોઈ સમાજના 200 મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારોના શિવભક્ત યુવાનોએ આ મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં 27 ફૂટની ઉંચાઈ અને 149 પહોળાઈનું થાળું ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવાશે.
ભારતમાં કદાચ આટલી ઉંચાઈ ધરાવતું પ્રથમ એવું શિવલિંગ હશે કે જેને દુધાભિષેક અને જલાભિષેક કરી શકાશે. મિડીયા અહેવાલમાં મળતી વિગતો અનુસાર ભોઈ સમાજના આર્કિટેક જયેશભાઈ દાઉદીયા અને રવિભાઈ દાઉદીયા દ્વારા આ વિશાળ શિવલિંગની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. શિવલિંગ પર દુધાભિષેક અને જલાભિષેક કરવા માટે શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવશે. આ રૂમમાંથી શિવલિંગની અંદર જઈને દુધાભિષેક કરશે, આ દૂધ પાઈપલાઈન મારફતે ઉપર પહોંચશે અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થશે.
આ વિશાળ શિવલિંગ પર અર્પણ કરવામાં આનાર દૂધ જરૂરિયાતમંદોને આપવા માટેની સગવડ પણ ઉભી કરાઈ છે. શિવલિંગ પાસે રહેલા ચેમ્બરમાં એકત્રિત થયેલ દૂધ ગરિબ બાળકો તથા સગર્ભા સ્ત્રીઓને અપાશે. ત્યારે આ શિવલિંગના દર્શન કરવા માટે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહાશિવરાત્રિના દિવસે લોકાર્પણ કરાશે, દૂધાભિષેક થયેલું દૂધ જૂરિયાતમંદ બાળકો અને પ્રસૂતા માતાઓને અપાશે
એવું શિવલિંગ હશે કે જેને દુધાભિષેક અને જલાભિષેક કરી શકાશે, ભોઈ સમાજના શ્રામિકો દ્વારા નિર્માણ કાર્ય હાથ ધરાયું
WatchGujarat. ગુજરાતના પોરબંદરમાં એક વિશાળ શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. મળતી વિગતો અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં ભોઈ સમાજના શ્રામિકો દ્વારા 27 ફૂટની ઉંચાઈ અને 149 ફૂટ પહોળું થાળું ધરાવતા મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય ધમધમી રહ્યું છે. મહત્વનું છે કે આ શિવલિંગ પર દૂધાભિષેક થયેલું દૂધ જૂરિયાતમંદ બાળકો અને પ્રસૂતા માતાઓને અપાશે.
મહાશિવરાત્રીના દિવસે લોકાર્પણ કરવાનું આયોજન
પોરબંદર જિલ્લામાં નિર્માણ થનાર આ શિવલિંગનું આગામી મહાશિવરાત્રીના દિવસે લોકાર્પણ કરવાનું આયોજન છે. જિલ્લાના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટીમાં ભોઈ સમાજના 200 મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારોના શિવભક્ત યુવાનોએ આ મહાકાય શિવલિંગનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં 27 ફૂટની ઉંચાઈ અને 149 પહોળાઈનું થાળું ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવાશે.
ભારતમાં કદાચ આટલી ઉંચાઈ ધરાવતું પ્રથમ એવું શિવલિંગ હશે કે જેને દુધાભિષેક અને જલાભિષેક કરી શકાશે. મિડીયા અહેવાલમાં મળતી વિગતો અનુસાર ભોઈ સમાજના આર્કિટેક જયેશભાઈ દાઉદીયા અને રવિભાઈ દાઉદીયા દ્વારા આ વિશાળ શિવલિંગની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. શિવલિંગ પર દુધાભિષેક અને જલાભિષેક કરવા માટે શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવશે. આ રૂમમાંથી શિવલિંગની અંદર જઈને દુધાભિષેક કરશે, આ દૂધ પાઈપલાઈન મારફતે ઉપર પહોંચશે અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થશે.
આ વિશાળ શિવલિંગ પર અર્પણ કરવામાં આનાર દૂધ જરૂરિયાતમંદોને આપવા માટેની સગવડ પણ ઉભી કરાઈ છે. શિવલિંગ પાસે રહેલા ચેમ્બરમાં એકત્રિત થયેલ દૂધ ગરિબ બાળકો તથા સગર્ભા સ્ત્રીઓને અપાશે. ત્યારે આ શિવલિંગના દર્શન કરવા માટે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.