BSFના નિવૃત જવાન વતન પરત ફરતાં લોકો કર્યું ભવ્ય સ્વાગત
આર્મીમાં 24 વર્ષ અને 24 દિવસ ફરજ બજાવી પરેશભાઈ રાઠવા સેવા નિવૃત્ત થયા
ક્વાંટમાં લોકોએ વરઘોડો કાઢી પરેશભાઈનું સન્માન કર્યું, મોટી સંખ્યામાં લોકોએ ઉમટ્યા
લોકોમાં પોતાના માટે સન્માનની લાગણી જોતા પરેશભાઈ ભાવુક થયા
WatchGujarat. તાજેતરમાં ક્વાંટ તાલુકામાં સેવા નિવૃત થયેલા બીએસએફ જવાનનું લોકોએ ભવ્ય સ્વાગત કરાયું હતું. આર્મીમાં 24 વર્ષ સુધી દેશસેવા માટે ફરજ બજાવનાર પરેશભાઈ રાઠવા વતન પરત ફરતા સ્થાનિકોએ ભવ્ય શોભાયાત્રા સાથે સાલ ઓઢાવીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે લોકોમાં પોતાના પ્રત્યે આટલું સન્માન જોઈને પરેશભાઈ ભાવુક થઈ ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલા ધનીવાડી ગામના પરેશભાઈ ફુલસિંહભાઈ રાઠવા છેલ્લા 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. તાજેતરમાં પરેશભાઈએ 24 વર્ષ અને 24 દિવસ બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હતી. ફરજ પરથી નિવૃત્ત થયેલા પરેશભાઈ પોતાના માદરે વતન પરત ફર્યા હતા. આ સમયે ક્વાંટ તાલુકાના સ્થાનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ ક્વાંટ તાલુકાના ડોન બોસ્કો ચોકડીથી ધનીવાડી ગામ સુધી પરેશભાઈની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સન્માન યાત્રામાં ક્વાંટ પથંકના બાળકો, વૃદ્ધો અને યુવાનો તમામ જોડાયા હતા. અને ખૂબ જ ધામધૂમથી ડીજે સાથે પરેશભાઈની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ પરેશભાઈ અને તેમના પત્નીને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં નિવૃત્ત જવાન પરેશભાઈએ જણાવ્યું હતું કે, આર્મીમાં ટ્રેઈનિંગ લીધા બાદ બારામોલા, પંજાબ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હવે વતન પરત ફર્યો છું. મને ખ્યાલ પણ ન હતો કે વતન પરત ફરતાં મારૂ આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
મહત્વનું છે કે પરેશભાઈના સન્માન સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાના પ્રત્યે લોકોમાં રહેલી સન્માનની ભાવના જોઈ પરેશભાઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, મને ક્યારેય ખ્યાલ નહતો કે જ્યારે હું નિવૃતિ લઈને વતન પરત ફરીશ ત્યારે લોકોમાં આટલો ઉત્સાહ અને સન્માન જોવા મળશે. આજે હું ખૂબ જ ખુશ છું. હું મારા ગામના વડીલો, યુવાનો સહિત તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. દેશસેવા કર્યા બાહ હવે મારે સમાજની સેવા કરવી છે.
BSFના નિવૃત જવાન વતન પરત ફરતાં લોકો કર્યું ભવ્ય સ્વાગત
આર્મીમાં 24 વર્ષ અને 24 દિવસ ફરજ બજાવી પરેશભાઈ રાઠવા સેવા નિવૃત્ત થયા
લોકોમાં પોતાના માટે સન્માનની લાગણી જોતા પરેશભાઈ ભાવુક થયા
WatchGujarat. તાજેતરમાં ક્વાંટ તાલુકામાં સેવા નિવૃત થયેલા બીએસએફ જવાનનું લોકોએ ભવ્ય સ્વાગત કરાયું હતું. આર્મીમાં 24 વર્ષ સુધી દેશસેવા માટે ફરજ બજાવનાર પરેશભાઈ રાઠવા વતન પરત ફરતા સ્થાનિકોએ ભવ્ય શોભાયાત્રા સાથે સાલ ઓઢાવીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે લોકોમાં પોતાના પ્રત્યે આટલું સન્માન જોઈને પરેશભાઈ ભાવુક થઈ ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલા ધનીવાડી ગામના પરેશભાઈ ફુલસિંહભાઈ રાઠવા છેલ્લા 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. તાજેતરમાં પરેશભાઈએ 24 વર્ષ અને 24 દિવસ બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી હતી. ફરજ પરથી નિવૃત્ત થયેલા પરેશભાઈ પોતાના માદરે વતન પરત ફર્યા હતા. આ સમયે ક્વાંટ તાલુકાના સ્થાનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ ક્વાંટ તાલુકાના ડોન બોસ્કો ચોકડીથી ધનીવાડી ગામ સુધી પરેશભાઈની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સન્માન યાત્રામાં ક્વાંટ પથંકના બાળકો, વૃદ્ધો અને યુવાનો તમામ જોડાયા હતા. અને ખૂબ જ ધામધૂમથી ડીજે સાથે પરેશભાઈની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. લોકોએ પરેશભાઈ અને તેમના પત્નીને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં નિવૃત્ત જવાન પરેશભાઈએ જણાવ્યું હતું કે, આર્મીમાં ટ્રેઈનિંગ લીધા બાદ બારામોલા, પંજાબ, કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હવે વતન પરત ફર્યો છું. મને ખ્યાલ પણ ન હતો કે વતન પરત ફરતાં મારૂ આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
મહત્વનું છે કે પરેશભાઈના સન્માન સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાના પ્રત્યે લોકોમાં રહેલી સન્માનની ભાવના જોઈ પરેશભાઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, મને ક્યારેય ખ્યાલ નહતો કે જ્યારે હું નિવૃતિ લઈને વતન પરત ફરીશ ત્યારે લોકોમાં આટલો ઉત્સાહ અને સન્માન જોવા મળશે. આજે હું ખૂબ જ ખુશ છું. હું મારા ગામના વડીલો, યુવાનો સહિત તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. દેશસેવા કર્યા બાહ હવે મારે સમાજની સેવા કરવી છે.