ગુજરાત ક્વીનમાં નવસારીથી પીછો કરાતાં યુવતીએ સંજીવભાઈને વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો
I KIDNAPPED , PL SAVE ME.. આપઘાત નહીં પણ સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની શકયતા વધુ પ્રબળ
Watchgujarat. વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત કવિન ટ્રેનમાં આત્મહત્યા નહિ પણ તેની હત્યા થઈ હોવાનો મજબૂત આધાર તેને ટ્રેનમાંથી રાતે 11.31 કલાકે સંજીવભાઈ નામની વ્યક્તિને કરેલા Whatsapp પરથી હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રિ પ્લાન રીતે યુવતીની હત્યા કરાઈ હોવાનું તેને મોકલેલા મેસેજ પરથી લાગી રહ્યું છે. વડોદરાની અતિ બદનામ ઓએસિસ સંસ્થા સાથે જોડાયેલી આ યુવતીની આત્મહત્યા નહિ પણ હત્યા તરફ આંગળી ચિંધતો તેને તે રાત્રે ટ્રેનના વોશરૂમમાંથી પોતાનો જીવ બચાવવા કરેલો વોટ્સએપ મેસેજ મનાઈ રહ્યો છે.
ગત 3 નવેમ્બરની એ ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ - માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS ( જીવ બચાવવાનો ) લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. ખુદ મૃતક યુવતીની માતાએ યુવતીના ફોનમાંથી આપેલા આ સ્ક્રીનશોટ બહાર આવ્યા છે. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31 નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જણાઈ રહ્યું છે.
જીવ બચાવવા કરેલો છેલ્લો મેસેજ શબ્દ સહ
ટ્રેનમાંથી કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે
Sorry Sanjivbhai ,
PI save me .
out for MHE work ,
he follow me from NVS .
Want to kill anyhow .
I cant call in train ...
get phone somehow ...
parents dont know anything .
I Kidnapped .
I am in washroom now Gonna kill PI call waiting.
- સોરી સંજીવભાઈ , પ્લીઝ મને બચાવી લો . હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી , તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે . તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે . હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી .. જેમ - તેમ કરીને મારો ફોન મેળવ્યો છે ... મારાં માતા - પિતા તો કશું જાણતાં જ નથી . મારું અપહરણ થયું છે . હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે . પ્લીઝ કોલ કરશો ... રાહ જોઉં છું ..
યુવતીએ બચવા માટે કરેલા મેસેજમાં શા માટે લખવું પડ્યું ' સોરી સંજીવભાઈ ' યુવતીએ પોતાને બચાવી લે તેવો એક મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને સંબોધીને કર્યો હતો . આ મેસેજની શરૂઆતમાં જ તેણે સોરી સંજીવભાઈ લખ્યું હતું અને મને બચાવી લો તેવી વાત કરી હતી . ત્યારે યુવતીનો આ મેસેજ એ દિશામાં વિચારતા કરે છે કે શા માટે યુવતીએ સંજયભાઈ નામની વ્યક્તિને સોરી કહેવું પડ્યું ? એવું શું થયું હશે કે તેને બચાવવા માટેનો મેસેજ પણ સંજીવભાઈને કર્યો. આ સંજયભાઈ કોણ છે ? તેની સંસ્થા સાથે જોડાયેલા છે ? અનેક સવાલો આ મેસેજ પછી ઉભા થયા છે .
ઉલ્લેખનીય છે કે, વડોદારાના વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઓએસિસ સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીનો વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં 28 નવેમ્બરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25 થી વધુ પોલીસની ટીમો નરાધમોને શોધવામાં લાગી હતી. જોકે 17 દિવસ વિતવા છતાં હજી સુધી પોલીસ દુષ્કર્મીઓ સુધી પહોંચી શકી નથી.
ગુજરાત ક્વીનમાં નવસારીથી પીછો કરાતાં યુવતીએ સંજીવભાઈને વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો
I KIDNAPPED , PL SAVE ME.. આપઘાત નહીં પણ સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની શકયતા વધુ પ્રબળ
Watchgujarat. વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત કવિન ટ્રેનમાં આત્મહત્યા નહિ પણ તેની હત્યા થઈ હોવાનો મજબૂત આધાર તેને ટ્રેનમાંથી રાતે 11.31 કલાકે સંજીવભાઈ નામની વ્યક્તિને કરેલા Whatsapp પરથી હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રિ પ્લાન રીતે યુવતીની હત્યા કરાઈ હોવાનું તેને મોકલેલા મેસેજ પરથી લાગી રહ્યું છે. વડોદરાની અતિ બદનામ ઓએસિસ સંસ્થા સાથે જોડાયેલી આ યુવતીની આત્મહત્યા નહિ પણ હત્યા તરફ આંગળી ચિંધતો તેને તે રાત્રે ટ્રેનના વોશરૂમમાંથી પોતાનો જીવ બચાવવા કરેલો વોટ્સએપ મેસેજ મનાઈ રહ્યો છે.
ગત 3 નવેમ્બરની એ ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ - માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS ( જીવ બચાવવાનો ) લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. ખુદ મૃતક યુવતીની માતાએ યુવતીના ફોનમાંથી આપેલા આ સ્ક્રીનશોટ બહાર આવ્યા છે. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31 નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જણાઈ રહ્યું છે.
જીવ બચાવવા કરેલો છેલ્લો મેસેજ શબ્દ સહ
ટ્રેનમાંથી કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે
Sorry Sanjivbhai ,
PI save me .
out for MHE work ,
he follow me from NVS .
Want to kill anyhow .
I cant call in train ...
get phone somehow ...
parents dont know anything .
I Kidnapped .
I am in washroom now Gonna kill PI call waiting.
- સોરી સંજીવભાઈ , પ્લીઝ મને બચાવી લો . હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી , તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે . તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે . હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી .. જેમ - તેમ કરીને મારો ફોન મેળવ્યો છે ... મારાં માતા - પિતા તો કશું જાણતાં જ નથી . મારું અપહરણ થયું છે . હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે . પ્લીઝ કોલ કરશો ... રાહ જોઉં છું ..
યુવતીએ બચવા માટે કરેલા મેસેજમાં શા માટે લખવું પડ્યું ' સોરી સંજીવભાઈ ' યુવતીએ પોતાને બચાવી લે તેવો એક મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને સંબોધીને કર્યો હતો . આ મેસેજની શરૂઆતમાં જ તેણે સોરી સંજીવભાઈ લખ્યું હતું અને મને બચાવી લો તેવી વાત કરી હતી . ત્યારે યુવતીનો આ મેસેજ એ દિશામાં વિચારતા કરે છે કે શા માટે યુવતીએ સંજયભાઈ નામની વ્યક્તિને સોરી કહેવું પડ્યું ? એવું શું થયું હશે કે તેને બચાવવા માટેનો મેસેજ પણ સંજીવભાઈને કર્યો. આ સંજયભાઈ કોણ છે ? તેની સંસ્થા સાથે જોડાયેલા છે ? અનેક સવાલો આ મેસેજ પછી ઉભા થયા છે .
ઉલ્લેખનીય છે કે, વડોદારાના વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઓએસિસ સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીનો વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં 28 નવેમ્બરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25 થી વધુ પોલીસની ટીમો નરાધમોને શોધવામાં લાગી હતી. જોકે 17 દિવસ વિતવા છતાં હજી સુધી પોલીસ દુષ્કર્મીઓ સુધી પહોંચી શકી નથી.