11 દિવસમાં જ અદાણી ગેસમાં રૂપિયા 4.35નો વધારો ઝીંકી દેવામાં આવ્યો
2.50નો તોતિંગ વધારા સાથે નવો ભાવ કિલોદીઠ 70.9 થઇ ગયો
અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા
WatchGujarat.નવા વર્ષની શરૂઆતમાં જ જાહેર જનતાને મોંઘવારીનો માર પડ્યો છે. અદાણી CNGમાં રૂપિયા 2.50નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.આ ભાવ વધારાથી સીએનજીનો નવે ભાવ 70.09 પહોંચી ગયો છે. આથી રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
મળતી માહિતી મુજબ અદાણી ગેસે ફરી એક વખત CNG ભાવ વધારો કર્યો છે. અદાણીએ CNGમાં કિલોદીઠ રૂપિયા 2.50નો તોતિંગ વધારો કર્યો છે અને હવે નવો ભાવ કિલોદીઠ 70.9 થઇ ગયો છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
અદાણી સીએનજીનાં ભાવમાં ગત 11 દિવસ પહેલા જ રુપિયા 1.85નો વધારો કરવામાં આવ્યો હતો અને આજે નવા વર્ષની શરૂઆતમાં જ 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 11 દિવસમાં જ અદાણી ગેસમાં રૂપિયા 4.35નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. CNG ગેસના આ ભાવ વધારાથી સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને પડતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકો પહેલેથી જ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતુ ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે CNG વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસ દ્વારા ભાવ વધારો કરતા તેની પાછળ ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકે તો નવાઇ નહીં
- 11 દિવસમાં જ અદાણી ગેસમાં રૂપિયા 4.35નો વધારો ઝીંકી દેવામાં આવ્યો
- 2.50નો તોતિંગ વધારા સાથે નવો ભાવ કિલોદીઠ 70.9 થઇ ગયો
- અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા
WatchGujarat.નવા વર્ષની શરૂઆતમાં જ જાહેર જનતાને મોંઘવારીનો માર પડ્યો છે. અદાણી CNGમાં રૂપિયા 2.50નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.આ ભાવ વધારાથી સીએનજીનો નવે ભાવ 70.09 પહોંચી ગયો છે. આથી રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
મળતી માહિતી મુજબ અદાણી ગેસે ફરી એક વખત CNG ભાવ વધારો કર્યો છે. અદાણીએ CNGમાં કિલોદીઠ રૂપિયા 2.50નો તોતિંગ વધારો કર્યો છે અને હવે નવો ભાવ કિલોદીઠ 70.9 થઇ ગયો છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
અદાણી સીએનજીનાં ભાવમાં ગત 11 દિવસ પહેલા જ રુપિયા 1.85નો વધારો કરવામાં આવ્યો હતો અને આજે નવા વર્ષની શરૂઆતમાં જ 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 11 દિવસમાં જ અદાણી ગેસમાં રૂપિયા 4.35નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. CNG ગેસના આ ભાવ વધારાથી સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને પડતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકો પહેલેથી જ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતુ ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે CNG વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસ દ્વારા ભાવ વધારો કરતા તેની પાછળ ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકે તો નવાઇ નહીં