વર્ષો પહેલાંની આદિવાસી ચૌધરી સમાજની જૂની પરંપરા ફરીવાર જીવંત
સુરત જિલ્લાના માંડવીના ખેડપુર ગામે શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા પહોંચી
ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી
Watchgujarat.મકરસંક્રાતિ પછી શુભ મુહુર્તમાં ફરી લગ્નની સીઝન આવી છે. કોરોનાના કેસ વધતાં 150 લોકોને જ મંજૂરી મળતા અનેક લોકો મૂંઝવણમાં મૂકાયા છે પરંતુ ફરી લગ્નની સીઝન શરૂ થતાં નવા-નવા રીત રીવાજો જોવા મળી રહ્યા છે. હવે વર્ષો જૂની પરંપરા પાછી ફરી વળતી હોય તેવુ લાગી રહ્યું છે. સામાન્ય રીતે વરરાજા પોતાની જાન લઈને મોંઘી કાર, લક્ઝરી બસમાં દુલ્હનને લેવા માટે જતા હોય છે. પરંતુ વર્ષો પહેલાંની આદિવાસી ચૌધરી સમાજની જૂની પરંપરા ફરીવાર જીવંત થઈ હોય એવો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના માંડવીના ખેડપુર ગામે શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા જતી પહોંચી હતી.
હવે તો ગામડાઓમાં પણ મોટા ભાગે બળદગાડું જોવા મળતું નથી. ત્યારે માંડવીના ખેડપુર ગામના ચૌધરી સમાજના પરિવારે આજથી 60 વર્ષ પહેલાંની આદિવાસી પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને લગ્ન અંગેનો પરિચીત કરવા પ્રયત્ન કર્યો છે. આ જાનમાં ગાડાને શણગારીને બળદને પણ શણગાર કરવામાં આવ્યો હતા. ઉપરાંત ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી. જે આદિવાસી સમાજ પ્રત્યે આધુનિક સમયમાં આવી પ્રથા ભાગ્યે જ જોવા મળતી હોય છે. લોકો લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચો કરતા હોય છે. ત્યારે આદિવાસી પરંપરા જાળવી રાખવા નવતર કહી શકાય એવો પ્રયોગ થયો હતો.
વરરાજા આશુતોષ ચૌધરીએ મિડીયા સાથે વાત જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારે પહેલાના જમાનામાં બળદગાડામાં જાન જતી હતી. આવી રસપ્રદ વાતો સાંભળીને અમને આશ્ચર્ય લાગતું હતું. જેથી મને પણ વિચાર આવ્યો અને આદિવાસી સમાજની જૂની પરંપરા નાબૂદ ન થાય એ હેતુથી નવી પેઢીને સમાજ પ્રત્યેની પ્રેરણા મળે એ માટે ગાડામાં જાન જોડીને દુલ્હનને લેવા ગામમાં જ પહોંચવું છે.
અમે પ્રકૃતિનાં દર્શન કરતાં કરતાં બળદગાડામાં લગ્ન ગીત ગાતા પસાર થઈ રહ્યા હતા. અને બળદના ઘૂઘરા રણકતાં કંઈક અલગ પ્રકારની મુસાફરી હતી. માત્ર વરરાજાને જ નહીં પુત્રવધૂ દિવ્યા ચૌધરીને પણ એનું ગૌરવ છે કે, જાન બળદગાડામાં આવી હતી. આજની નવી પેઢીને કલ્ચરથી પરિચીત કરાવવા આ અભિગમ અપનાવ્યો હતો.
વર્ષો પહેલાંની આદિવાસી ચૌધરી સમાજની જૂની પરંપરા ફરીવાર જીવંત
સુરત જિલ્લાના માંડવીના ખેડપુર ગામે શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા પહોંચી
ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી
Watchgujarat.મકરસંક્રાતિ પછી શુભ મુહુર્તમાં ફરી લગ્નની સીઝન આવી છે. કોરોનાના કેસ વધતાં 150 લોકોને જ મંજૂરી મળતા અનેક લોકો મૂંઝવણમાં મૂકાયા છે પરંતુ ફરી લગ્નની સીઝન શરૂ થતાં નવા-નવા રીત રીવાજો જોવા મળી રહ્યા છે. હવે વર્ષો જૂની પરંપરા પાછી ફરી વળતી હોય તેવુ લાગી રહ્યું છે. સામાન્ય રીતે વરરાજા પોતાની જાન લઈને મોંઘી કાર, લક્ઝરી બસમાં દુલ્હનને લેવા માટે જતા હોય છે. પરંતુ વર્ષો પહેલાંની આદિવાસી ચૌધરી સમાજની જૂની પરંપરા ફરીવાર જીવંત થઈ હોય એવો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના માંડવીના ખેડપુર ગામે શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા જતી પહોંચી હતી.
હવે તો ગામડાઓમાં પણ મોટા ભાગે બળદગાડું જોવા મળતું નથી. ત્યારે માંડવીના ખેડપુર ગામના ચૌધરી સમાજના પરિવારે આજથી 60 વર્ષ પહેલાંની આદિવાસી પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને લગ્ન અંગેનો પરિચીત કરવા પ્રયત્ન કર્યો છે. આ જાનમાં ગાડાને શણગારીને બળદને પણ શણગાર કરવામાં આવ્યો હતા. ઉપરાંત ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી. જે આદિવાસી સમાજ પ્રત્યે આધુનિક સમયમાં આવી પ્રથા ભાગ્યે જ જોવા મળતી હોય છે. લોકો લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચો કરતા હોય છે. ત્યારે આદિવાસી પરંપરા જાળવી રાખવા નવતર કહી શકાય એવો પ્રયોગ થયો હતો.
વરરાજા આશુતોષ ચૌધરીએ મિડીયા સાથે વાત જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારે પહેલાના જમાનામાં બળદગાડામાં જાન જતી હતી. આવી રસપ્રદ વાતો સાંભળીને અમને આશ્ચર્ય લાગતું હતું. જેથી મને પણ વિચાર આવ્યો અને આદિવાસી સમાજની જૂની પરંપરા નાબૂદ ન થાય એ હેતુથી નવી પેઢીને સમાજ પ્રત્યેની પ્રેરણા મળે એ માટે ગાડામાં જાન જોડીને દુલ્હનને લેવા ગામમાં જ પહોંચવું છે.
અમે પ્રકૃતિનાં દર્શન કરતાં કરતાં બળદગાડામાં લગ્ન ગીત ગાતા પસાર થઈ રહ્યા હતા. અને બળદના ઘૂઘરા રણકતાં કંઈક અલગ પ્રકારની મુસાફરી હતી. માત્ર વરરાજાને જ નહીં પુત્રવધૂ દિવ્યા ચૌધરીને પણ એનું ગૌરવ છે કે, જાન બળદગાડામાં આવી હતી. આજની નવી પેઢીને કલ્ચરથી પરિચીત કરાવવા આ અભિગમ અપનાવ્યો હતો.