ફાયર વિભાગ દ્વારા આગ હોલવવા ઉપરાંતની પણ કામગીરી કરવામાં આવતી હોય છે
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા લિફ્ટમાં ફસાયેલા, ગેસ ગળતરમાં ગૂંગળાતાથી લઈ મોબાઈલ ટાવર ઉપર ચડેલા લોકોનો બચાવ કરાયો
કોરોનાની બીજી લહેર સમયે શહેરની વિવિધ હોસ્પિટલોમાં આગ લાગતા 44 જેટલા દર્દીઓને બચાવવામાં આવ્યા
મહામારી દરમિયાન શહેરના કોરોના સંક્રમિત વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા શરુ કરવામાં આવી
WatchGujarat. આપણા સૌના મનમાં એક વાત ઘર કરી ગઈ હોય છે કે ફાયર વિભાગનું કામ માત્ર આગ હોલવવાનું હોય છે. પરંતુ લોકમાનસની આ સામાન્ય સમજ ખોટી છે. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગ આગ હોલવવા ઉપરાંત પણ ઘણી કામગીરી કરતું હોય છે. ફાયર વિભાગ આગ હોલવવા ઉપરાંત લોકોના જીવ બચાવવાનું કામ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ચાર મહિનામાં અમદાવાદ શહેરની હદમાં અને શહેર બહારથી મળેલા કુલ 1618 રેસ્કયૂ કોલ એટેન્ડ કરી અનેક લોકોની જીંદગી બચાવવામાં આવી છે. જે ખૂબ જ સરાહનીય કામગીરી છે.
ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ દ્વારા લિફટમાં ફસાયેલા, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતા, આગને કારણે ફસાયેલા કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોના મહામારીના સમયમાં પણ તેમના દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શહેરના સંક્રમિત વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા શરુઆત કરવામાં આવી હીત. મહત્વનું છે કે આ કામગીરી દરમિયાન ફાયરના જવાન કલ્પેશ પટેલને ખુબ ગંભીર અસર થવા પામી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાહ શહેરના ફાયર વિભાગ દ્વારા વૃક્ષ ઉપર ફસાયેલા પક્ષીઓને બચાવવાની, પાણીમાં, ખાડામાં કે અન્યત્ર ફસાયેલા પશુઓને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કોરોનાની બીજી લહેર સમયે શહેરની વિવિધ હોસ્પિટલોમાં આગ લાગતા 44 જેટલા દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. ઉપરાંત ફાયર વિભાગ દ્વારા 1 એપ્રિલથી 13 ઓગસ્ટ- 2021 સુધીમાં એમબ્યુલન્સ માટેના કુલ 2514 કોલ એટેન્ડ કરાયા હતા. જેમાં 2509 શહેર હદ વિસ્તારના હતા. શબ વાહિની અંગે આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ 12352 અને શહેર બહારથી 92 એમ કુલ મળી 12444 કોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરાયા હતા. આ ઉપરાંત અંગાર કોલ શહેર હદમાં 644 અને શહેર બહારના 30 એમ કુલ મળીને 674 કોલ પણ એટેન્ડ કરવામાં આવ્યા હતા. શહેરમાં હાઈરાઈઝડ બિલ્ડીંગોમાં લાગતી આગ કે મોબાઈલ ટાવર ઉપર ચડી જતા લોકોને સલામત રીતે ઉતારવા હાઈડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી હતી. આ રીતેની સરાહનીય કામગીરી રાજ્યના અને અમદાવાદના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગ દ્વારા આગ હોલવવા ઉપરાંતની પણ કામગીરી કરવામાં આવતી હોય છે
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા લિફ્ટમાં ફસાયેલા, ગેસ ગળતરમાં ગૂંગળાતાથી લઈ મોબાઈલ ટાવર ઉપર ચડેલા લોકોનો બચાવ કરાયો
કોરોનાની બીજી લહેર સમયે શહેરની વિવિધ હોસ્પિટલોમાં આગ લાગતા 44 જેટલા દર્દીઓને બચાવવામાં આવ્યા
મહામારી દરમિયાન શહેરના કોરોના સંક્રમિત વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા શરુ કરવામાં આવી
WatchGujarat. આપણા સૌના મનમાં એક વાત ઘર કરી ગઈ હોય છે કે ફાયર વિભાગનું કામ માત્ર આગ હોલવવાનું હોય છે. પરંતુ લોકમાનસની આ સામાન્ય સમજ ખોટી છે. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગ આગ હોલવવા ઉપરાંત પણ ઘણી કામગીરી કરતું હોય છે. ફાયર વિભાગ આગ હોલવવા ઉપરાંત લોકોના જીવ બચાવવાનું કામ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ચાર મહિનામાં અમદાવાદ શહેરની હદમાં અને શહેર બહારથી મળેલા કુલ 1618 રેસ્કયૂ કોલ એટેન્ડ કરી અનેક લોકોની જીંદગી બચાવવામાં આવી છે. જે ખૂબ જ સરાહનીય કામગીરી છે.
ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ દ્વારા લિફટમાં ફસાયેલા, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતા, આગને કારણે ફસાયેલા કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોના મહામારીના સમયમાં પણ તેમના દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શહેરના સંક્રમિત વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા શરુઆત કરવામાં આવી હીત. મહત્વનું છે કે આ કામગીરી દરમિયાન ફાયરના જવાન કલ્પેશ પટેલને ખુબ ગંભીર અસર થવા પામી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાહ શહેરના ફાયર વિભાગ દ્વારા વૃક્ષ ઉપર ફસાયેલા પક્ષીઓને બચાવવાની, પાણીમાં, ખાડામાં કે અન્યત્ર ફસાયેલા પશુઓને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કોરોનાની બીજી લહેર સમયે શહેરની વિવિધ હોસ્પિટલોમાં આગ લાગતા 44 જેટલા દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. ઉપરાંત ફાયર વિભાગ દ્વારા 1 એપ્રિલથી 13 ઓગસ્ટ- 2021 સુધીમાં એમબ્યુલન્સ માટેના કુલ 2514 કોલ એટેન્ડ કરાયા હતા. જેમાં 2509 શહેર હદ વિસ્તારના હતા. શબ વાહિની અંગે આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ 12352 અને શહેર બહારથી 92 એમ કુલ મળી 12444 કોલ ફાયર વિભાગ દ્વારા એટેન્ડ કરાયા હતા. આ ઉપરાંત અંગાર કોલ શહેર હદમાં 644 અને શહેર બહારના 30 એમ કુલ મળીને 674 કોલ પણ એટેન્ડ કરવામાં આવ્યા હતા. શહેરમાં હાઈરાઈઝડ બિલ્ડીંગોમાં લાગતી આગ કે મોબાઈલ ટાવર ઉપર ચડી જતા લોકોને સલામત રીતે ઉતારવા હાઈડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી હતી. આ રીતેની સરાહનીય કામગીરી રાજ્યના અને અમદાવાદના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.