1 હજાર ફુટ ઉંચાઇએ જ ઉડાડવુ જોઇએ : એર ટ્રાફિક કન્ટ્રોલર
હેલિકોપ્ટર હાલમાં 500 ફૂટ ઉંચાઇ પર મુસાફરોને શહેલગાહ કરાવવામાં આવી રહ્યું છે
શેડયુલ ફ્લાઇટ અને જોય રાઇડનો રૂટ ઉત્તર-પૂર્વ દિશા હોવાથી જોય રાઇડના મુસાફરોની સલામતી સામે પ્રશ્ચાર્થ
WatchGujarat. હેલિકોપ્ટર મારફતે રિવરફ્રન્ટ પરથી અમદાવાદ શહેરનો અનોખો નજારો નિહાળવા માટે જોય રાઇડ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં હેલિકોપ્ટર જે ઉંચાઇ પર ઉડાન કરી રહ્યું છે તેની સુરક્ષા અને સલામતી જોખમી સાબિત થાય તેમ હોવાથી અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલરે તેને વધુ ઉંચાઇ પર ઉડાવવા તાકીદ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એટલું જ નહીં રિવરફ્રન્ટ પક્ષીઓ વધુ હોવાથી નીચા ઉડાનથી બર્ડહિટનું પણ એટલું જ જોખમ રહેલું છે.
મીડિયા અહેવાલ મુજબ, 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી જોય રાઇડને મુસાફરો મળી રહે તે માટે વિકેન્ડ દર શનિ-રવિવારે શરૂ રાખવામાં નક્કી કરાયું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રૂટ પ્રથમ તબક્કામાં રાખવામાં આવ્યો છે. આ જોયરાઇડમાં કેપ્ટન સહિત પાંચ મુસાફરોની ક્ષમતા છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર હાલમાં 500 ફૂટ ઉંચાઇ પર મુસાફરોને શહેલગાહ કરાવવામાં આવી રહ્યું છે જે ગમે ત્યારે જોખમી રાઇડ સાબિત થઇ શકે છે. અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરે હેલિકોપ્ટરને વધુ ઉંચાઇ પર ઉડાન ભરવા જણાવ્યું છે. કેમ કે શિયાળામાં પવનની ગતિ હોવાથી શેડ્યુઅલ ફ્લાઇટોની લેન્ડિંગ માટે ફાઇનલ એપ્રોચની દિશા બદલાઇને સીટી તરફથી ઉત્તર-પૂર્વ દિશા છે એટલે કે વિમાનો રિવરફ્રન્ટ ઉપરથી પસાર થઇ રન-વે પર લેન્ડ થાય છે.
જ્યારે જોય રાઇડનો રૂટ પણ શેડ્યુઅલ ફ્લાઇટોના એપ્રોચ લેન્ડીંગ દિશા તરફ હોવાથી બંને વચ્ચે અંતરને લઇ લેન્ડિંગમાં મુશ્કેલી ઉભી થાય છે.નીચા ઉડાનથી હેલિકોપ્ટર એટીસીના લાઇન ઓફ સાઇટ રડારમાં ન આવતુ હોવાથી જો 1000 ફુટ પર ઉડાન કરે તેનું મોનીટરિંગ રડારમાં થાય જેથી સલામતીના ભાગરૂપે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર વચ્ચે કેટલું અંતર જાળવવું તેનો ખ્યાલ આવે અને અકસ્માતનું પણ જોખમ ઘટે તેમ સુત્રોએ જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રોસ વિન્ડ ન હોય ત્યારે રૂટીન દિવસોમાં વિન્ડ પેટર્ન મુજબ નાના ચિલોડાથી ફ્લાઇટોના લેન્ડીંગ એપ્રોચ દક્ષિણ-પશ્ચિમ દિશા હોય છે.
- 1 હજાર ફુટ ઉંચાઇએ જ ઉડાડવુ જોઇએ : એર ટ્રાફિક કન્ટ્રોલર
- હેલિકોપ્ટર હાલમાં 500 ફૂટ ઉંચાઇ પર મુસાફરોને શહેલગાહ કરાવવામાં આવી રહ્યું છે
- શેડયુલ ફ્લાઇટ અને જોય રાઇડનો રૂટ ઉત્તર-પૂર્વ દિશા હોવાથી જોય રાઇડના મુસાફરોની સલામતી સામે પ્રશ્ચાર્થ
WatchGujarat. હેલિકોપ્ટર મારફતે રિવરફ્રન્ટ પરથી અમદાવાદ શહેરનો અનોખો નજારો નિહાળવા માટે જોય રાઇડ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં હેલિકોપ્ટર જે ઉંચાઇ પર ઉડાન કરી રહ્યું છે તેની સુરક્ષા અને સલામતી જોખમી સાબિત થાય તેમ હોવાથી અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલરે તેને વધુ ઉંચાઇ પર ઉડાવવા તાકીદ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એટલું જ નહીં રિવરફ્રન્ટ પક્ષીઓ વધુ હોવાથી નીચા ઉડાનથી બર્ડહિટનું પણ એટલું જ જોખમ રહેલું છે.
મીડિયા અહેવાલ મુજબ, 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી જોય રાઇડને મુસાફરો મળી રહે તે માટે વિકેન્ડ દર શનિ-રવિવારે શરૂ રાખવામાં નક્કી કરાયું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રૂટ પ્રથમ તબક્કામાં રાખવામાં આવ્યો છે. આ જોયરાઇડમાં કેપ્ટન સહિત પાંચ મુસાફરોની ક્ષમતા છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર હાલમાં 500 ફૂટ ઉંચાઇ પર મુસાફરોને શહેલગાહ કરાવવામાં આવી રહ્યું છે જે ગમે ત્યારે જોખમી રાઇડ સાબિત થઇ શકે છે. અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરે હેલિકોપ્ટરને વધુ ઉંચાઇ પર ઉડાન ભરવા જણાવ્યું છે. કેમ કે શિયાળામાં પવનની ગતિ હોવાથી શેડ્યુઅલ ફ્લાઇટોની લેન્ડિંગ માટે ફાઇનલ એપ્રોચની દિશા બદલાઇને સીટી તરફથી ઉત્તર-પૂર્વ દિશા છે એટલે કે વિમાનો રિવરફ્રન્ટ ઉપરથી પસાર થઇ રન-વે પર લેન્ડ થાય છે.
જ્યારે જોય રાઇડનો રૂટ પણ શેડ્યુઅલ ફ્લાઇટોના એપ્રોચ લેન્ડીંગ દિશા તરફ હોવાથી બંને વચ્ચે અંતરને લઇ લેન્ડિંગમાં મુશ્કેલી ઉભી થાય છે.નીચા ઉડાનથી હેલિકોપ્ટર એટીસીના લાઇન ઓફ સાઇટ રડારમાં ન આવતુ હોવાથી જો 1000 ફુટ પર ઉડાન કરે તેનું મોનીટરિંગ રડારમાં થાય જેથી સલામતીના ભાગરૂપે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર વચ્ચે કેટલું અંતર જાળવવું તેનો ખ્યાલ આવે અને અકસ્માતનું પણ જોખમ ઘટે તેમ સુત્રોએ જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રોસ વિન્ડ ન હોય ત્યારે રૂટીન દિવસોમાં વિન્ડ પેટર્ન મુજબ નાના ચિલોડાથી ફ્લાઇટોના લેન્ડીંગ એપ્રોચ દક્ષિણ-પશ્ચિમ દિશા હોય છે.