કામસુત્ર નામની ચોપડીમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકાયા
હિંદુ ધર્મની લાગણીઓ દુભાવતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
બજરંગદળની ચીમકી ચોપડીને વેચનારની દુકાન પણ સળગાવી દેવાશે
WatchGujarat. ગુજરાત બરંગદળે હિંદુ સમાજની લાગણીઓ અને ભાવનાને ઠેસ પહોંચે તેવા હિંદુ દેવી-દેવાતોના અશ્લીલ ચિત્રો છાપનાર કામસૂત્ર નામની ચોપડીનો વિરોધ કર્યો હતો. ગુજરાત બજરંગદના અનેક નેતાઓએ અને કાર્યકર્તાઓએ મળી બુકસ્ટોલમાંથી કામસૂત્ર નામની ચોપડીને ખરીદી સ્ટોલની બહાર જ ચોપડીને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.સાથેજ બજરંગદળે કોઈપણ બુકસ્ટોલ પર આવી પુસ્તક દેખાશે તો તે દુકાનને પણ સળગાવી દેવાશેની ચીમકી આપી હતી.
https://twitter.com/dpbhattaET/status/1431668721702121480?s=08
આવી ચોપડીને વહેંચનારની દુકાન પણ સળગાવી દેવાશે
એક મીડિયાના અહેવાલ પ્રમાણે બજરંગદળના કાર્યકર્તાએ જણાવાયું હતું કે, કામસૂત્ર નામના પુસ્તકમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લિલ ચિત્રો હોવાની જાણ થતાં અમે એક બુક સ્ટોલ પર જઇ અને પુસ્તક સળગાવી વિરોધ કર્યો છે અને હવે કોઈ પુસ્તક વેચશે તો આજે પુસ્તક સળગ્યું છે કાલે દુકાન પણ સળગશે.
ચોપડીમાં દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકાયા
કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત એક ચોપડીમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગદળને મળી હતી. જેથી ઉત્તર ગુજરાત પ્રાંતના બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદના એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ચોપડી ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા.
હિંદુ ધર્મની લાગણી દુભાવતાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોને લઈ હિંદુ ધર્મની લાગણી દુભાવતાં બજરંગદળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહારજ તે ચોપડીને સળગાવી ઉગ્ર વિરોધ કર્યો. અને સાથેજ તમામ બુક સ્ટોલધારકોને ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં આ ચોપડીનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સાથે દુકાન પણ સળગશે.
કામસુત્ર નામની ચોપડીમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકાયા
હિંદુ ધર્મની લાગણીઓ દુભાવતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
બજરંગદળની ચીમકી ચોપડીને વેચનારની દુકાન પણ સળગાવી દેવાશે
WatchGujarat. ગુજરાત બરંગદળે હિંદુ સમાજની લાગણીઓ અને ભાવનાને ઠેસ પહોંચે તેવા હિંદુ દેવી-દેવાતોના અશ્લીલ ચિત્રો છાપનાર કામસૂત્ર નામની ચોપડીનો વિરોધ કર્યો હતો. ગુજરાત બજરંગદના અનેક નેતાઓએ અને કાર્યકર્તાઓએ મળી બુકસ્ટોલમાંથી કામસૂત્ર નામની ચોપડીને ખરીદી સ્ટોલની બહાર જ ચોપડીને સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.સાથેજ બજરંગદળે કોઈપણ બુકસ્ટોલ પર આવી પુસ્તક દેખાશે તો તે દુકાનને પણ સળગાવી દેવાશેની ચીમકી આપી હતી.
એક મીડિયાના અહેવાલ પ્રમાણે બજરંગદળના કાર્યકર્તાએ જણાવાયું હતું કે, કામસૂત્ર નામના પુસ્તકમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લિલ ચિત્રો હોવાની જાણ થતાં અમે એક બુક સ્ટોલ પર જઇ અને પુસ્તક સળગાવી વિરોધ કર્યો છે અને હવે કોઈ પુસ્તક વેચશે તો આજે પુસ્તક સળગ્યું છે કાલે દુકાન પણ સળગશે.
ચોપડીમાં દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકાયા
કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત એક ચોપડીમાં હિંદુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગદળને મળી હતી. જેથી ઉત્તર ગુજરાત પ્રાંતના બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદના એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ચોપડી ખરીદી ખરાઈ કરતા હકીકતમાં અશ્લિલ ચિત્રો મળી આવ્યા હતા.
હિંદુ ધર્મની લાગણી દુભાવતાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોને લઈ હિંદુ ધર્મની લાગણી દુભાવતાં બજરંગદળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહારજ તે ચોપડીને સળગાવી ઉગ્ર વિરોધ કર્યો. અને સાથેજ તમામ બુક સ્ટોલધારકોને ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં આ ચોપડીનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક સાથે દુકાન પણ સળગશે.