ઉત્તરાયણમાં ડ્રોનથી વોચ રાખવા માટે SRPની 19 કંપની અને 8000 પોલીસ તહેનાત
ધાબા પર ભીડ કે નિયમભંગ અંગે જો કન્ટ્રોલ રુમને ફોન આવશે તો પોલીસ દોડશે
કોઇ પણ પ્રકારની મ્યુઝિક કે ડીજે સિસ્ટમ વગાડીને બહારથી નાગરિકોને એકઠાં ન કરવા પણ ચેતવણી
WatchGujarat.ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. તેમા વિચિત્ર નિયમો લાવતા ચર્ચાનો વિષય બન્યું છે. આ નિયમોના પાલન માટે પોલીસ ડ્રોનથી ધાબા પર વોચ રાખશે. આ ઉપરાંત કોઇ તંગદિલી કે ટોળાશાહી ન થાય તે માટે 8000 પોલીસ ઉપરાંત એસઆરપીની કુલ 19 કંપની તહેનાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઉત્તરાયણ દરમિયાન અમદાવાદમાં ભૂતકાળમાં કાયદો-વ્યવસ્થાને વિપરીત અસર કરે તેવા બનાવો બન્યા હોવાથી શહેર પોલીસે ઉત્તરાયણ નિમિત્તે 11 ડીસીપી,21 એસીપી,63 પી.આઇ 200થી વધુ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 5000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. 3000 હોમગાર્ડ બંદોબસ્તમાં ગોઠવાશે. લો -ઓર્ડર પરિસ્થિતિ જાળવી રાખવા એસઆરપી 15 ઉપરાંત વધારાની ચાર કંપની ઉત્તરાયણ બંદોબસ્તમાં મુકાઇ છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનો ડ્રોનથી સુપરવિઝન કરે તેવી વ્યવસ્થા કરાશે. નિયમ વિરૂદ્ધ ભીડ ધાબા કે અગાસી પર જોવા મળશે તો પગલાં ભરવામાં આવશે. 100 નંબર પર નાગરિકોના કોલ આવશે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરાશે. કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે. ઉત્તરાયણ તહેવાર ઉજવણી દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે તે અંતર્ગત ખુલ્લી અને જાહેર જગ્યા ઉપર પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકી સોસાયટી કે એપાર્ટમેન્ટના ધાબા ઉપર સ્થાનિક રહીશો સિવાય બહારના કોઇપણ રહીશોને પ્રવેશ આપવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે. કોઇ પણ પ્રકારની મ્યુઝિક કે ડીજે સિસ્ટમ વગાડીને બહારથી નાગરિકોને એકઠાં ન કરવા પણ ચેતવણી અપાઇ છે.
- ઉત્તરાયણમાં ડ્રોનથી વોચ રાખવા માટે SRPની 19 કંપની અને 8000 પોલીસ તહેનાત
- ધાબા પર ભીડ કે નિયમભંગ અંગે જો કન્ટ્રોલ રુમને ફોન આવશે તો પોલીસ દોડશે
- કોઇ પણ પ્રકારની મ્યુઝિક કે ડીજે સિસ્ટમ વગાડીને બહારથી નાગરિકોને એકઠાં ન કરવા પણ ચેતવણી
WatchGujarat.ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. તેમા વિચિત્ર નિયમો લાવતા ચર્ચાનો વિષય બન્યું છે. આ નિયમોના પાલન માટે પોલીસ ડ્રોનથી ધાબા પર વોચ રાખશે. આ ઉપરાંત કોઇ તંગદિલી કે ટોળાશાહી ન થાય તે માટે 8000 પોલીસ ઉપરાંત એસઆરપીની કુલ 19 કંપની તહેનાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઉત્તરાયણ દરમિયાન અમદાવાદમાં ભૂતકાળમાં કાયદો-વ્યવસ્થાને વિપરીત અસર કરે તેવા બનાવો બન્યા હોવાથી શહેર પોલીસે ઉત્તરાયણ નિમિત્તે 11 ડીસીપી,21 એસીપી,63 પી.આઇ 200થી વધુ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 5000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. 3000 હોમગાર્ડ બંદોબસ્તમાં ગોઠવાશે. લો -ઓર્ડર પરિસ્થિતિ જાળવી રાખવા એસઆરપી 15 ઉપરાંત વધારાની ચાર કંપની ઉત્તરાયણ બંદોબસ્તમાં મુકાઇ છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનો ડ્રોનથી સુપરવિઝન કરે તેવી વ્યવસ્થા કરાશે. નિયમ વિરૂદ્ધ ભીડ ધાબા કે અગાસી પર જોવા મળશે તો પગલાં ભરવામાં આવશે. 100 નંબર પર નાગરિકોના કોલ આવશે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરાશે. કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે. ઉત્તરાયણ તહેવાર ઉજવણી દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે તે અંતર્ગત ખુલ્લી અને જાહેર જગ્યા ઉપર પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકી સોસાયટી કે એપાર્ટમેન્ટના ધાબા ઉપર સ્થાનિક રહીશો સિવાય બહારના કોઇપણ રહીશોને પ્રવેશ આપવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે. કોઇ પણ પ્રકારની મ્યુઝિક કે ડીજે સિસ્ટમ વગાડીને બહારથી નાગરિકોને એકઠાં ન કરવા પણ ચેતવણી અપાઇ છે.