ગઈ કાલે શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો
આજે કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા
ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે
આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો, બેનરમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરાયો
WatchGujarat. રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજરોજ શપથવિધી યોજાનાર છે. ગઇ કાલે શપથવિધી યોજવા અંગે થયેલા ફિયાસ્કા બાદ આજરોજ નવા પોસ્ટરો પર સમય અને સ્થળ ગાયબ થયેલા જોવા મળ્યા હતા.
આજરોજ રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી યોજાનાર છે. જો કે, આ શપથવિધી ગતરોજ યોજાવાની હતી. પરંતુ મંત્રીપદ માટેની ભાંજગડને કારણે શપથવિધી એક દિવસ માટે મુલતવી રાખી પડી હતી. આ અંગે ઠેર ઠેર લગાડવામાં આવેલા પોસ્ટરો ફાડી નાંખવા રડે તેવી સ્થિતી સર્જાઇ હતી. ગઈકાલે થયેલા ફિયાસ્કા બાદ ગુજરાત ભાજપ હાસ્યાસ્પદ બન્યું છે. ત્યારે આજના પોસ્ટરોમાં ક્યાંય પણ તારીખ અને સ્થળો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો. જેને કારણે ગઈકાલની તારીખના બેનર પણ ફાડવા પડ્યા હતા. જોકે, આજે તમામ નવા મંત્રીમંડળની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. પરંતુ ફરી કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા છે. ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે. આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો છે. બેનરમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરાયો. હાલમાં રાજભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.
ગત રોજ રાજભવનમાં શપથવિધિની ચાલી રહેલી કામગીરીને અચાનક અટકાવી દેવાઈ હતી. ઉપરાંત 15 સપ્ટેમ્બરની તારીખના લાગેલા બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે મોટાપાયે જાહેરાત કરાયા બાદ, 15 સપ્ટેમ્બરના પોસ્ટર અને બેનર્સ પણ લાગી ગયા બાદ આખરે એવુ શું થયું કે શપથવિધિ સમારોહ કેન્સલ કરવો પડ્યો હતો તે મોટો સવાલ છે. શપથવિધિ કાર્યક્રમમાં ફેરફાર થતા 15 તારીખના પોસ્ટર અને બેનર્સ પણ સમારોહ સ્થળ પર ફાડી નાંખવામાં આવ્યા હતા. જેને જોતા લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી. શપથવિધિનો કાર્યક્રમ ગત રોજ રદ થતા ગાંધીનગર આવેલા ધારાસભ્યો ધીરે ધીરે ત્યાંથી નીકળવા લાગ્યા હતા. આજે પણ કોઈ કારણોસર શપથવિધિ કાર્યક્રમ રદ થાય તો પોસ્ટરો ન ફાળવા પડે તે હેતુથી તારીખ અને સમય વગરના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.
ગઈ કાલે શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો
આજે કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા
ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે
આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો, બેનરમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરાયો
WatchGujarat. રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજરોજ શપથવિધી યોજાનાર છે. ગઇ કાલે શપથવિધી યોજવા અંગે થયેલા ફિયાસ્કા બાદ આજરોજ નવા પોસ્ટરો પર સમય અને સ્થળ ગાયબ થયેલા જોવા મળ્યા હતા.
આજરોજ રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી યોજાનાર છે. જો કે, આ શપથવિધી ગતરોજ યોજાવાની હતી. પરંતુ મંત્રીપદ માટેની ભાંજગડને કારણે શપથવિધી એક દિવસ માટે મુલતવી રાખી પડી હતી. આ અંગે ઠેર ઠેર લગાડવામાં આવેલા પોસ્ટરો ફાડી નાંખવા રડે તેવી સ્થિતી સર્જાઇ હતી. ગઈકાલે થયેલા ફિયાસ્કા બાદ ગુજરાત ભાજપ હાસ્યાસ્પદ બન્યું છે. ત્યારે આજના પોસ્ટરોમાં ક્યાંય પણ તારીખ અને સ્થળો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે શપથવિધિની અંતિમ ઘડીઓમાં ડેમેજ કન્ટ્રોલ ન કરી શકનાર ભાજપે આખરે આખો કાર્યક્રમ રદ કર્યો હતો. જેને કારણે ગઈકાલની તારીખના બેનર પણ ફાડવા પડ્યા હતા. જોકે, આજે તમામ નવા મંત્રીમંડળની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાશે. પરંતુ ફરી કોઈ અડચણ આવે અને કાર્યક્રમ રદ થાય તે માટે તારીખ વગરના નવા બેનર બનાવવામાં આવ્યા છે. ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે. આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો છે. બેનરમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી કરાયો. હાલમાં રાજભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.
ગત રોજ રાજભવનમાં શપથવિધિની ચાલી રહેલી કામગીરીને અચાનક અટકાવી દેવાઈ હતી. ઉપરાંત 15 સપ્ટેમ્બરની તારીખના લાગેલા બોર્ડ પણ ઉતારી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે મોટાપાયે જાહેરાત કરાયા બાદ, 15 સપ્ટેમ્બરના પોસ્ટર અને બેનર્સ પણ લાગી ગયા બાદ આખરે એવુ શું થયું કે શપથવિધિ સમારોહ કેન્સલ કરવો પડ્યો હતો તે મોટો સવાલ છે. શપથવિધિ કાર્યક્રમમાં ફેરફાર થતા 15 તારીખના પોસ્ટર અને બેનર્સ પણ સમારોહ સ્થળ પર ફાડી નાંખવામાં આવ્યા હતા. જેને જોતા લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી. શપથવિધિનો કાર્યક્રમ ગત રોજ રદ થતા ગાંધીનગર આવેલા ધારાસભ્યો ધીરે ધીરે ત્યાંથી નીકળવા લાગ્યા હતા. આજે પણ કોઈ કારણોસર શપથવિધિ કાર્યક્રમ રદ થાય તો પોસ્ટરો ન ફાળવા પડે તે હેતુથી તારીખ અને સમય વગરના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.