WatchGujarat. એલિસબ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સવાસો વર્ષથી પણ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે વર્ષ 2022ના અંત સુધીમાં આ જૂના બ્રિજને હેરિટેજ લૂક આપી રાહદારીઓ માટે શરૂ કરવા યોજના ઘડી છે. જે અમદાવાદના એલિસબ્રિજ, લક્કડિયા બ્રિજ અને સ્વામી વિવેકાનંદ પુલ જેવા જુદા જુદા નામથી જાણીતા બનેલા અમદાવાદના એકમાત્ર હેરિટેજ બ્રિજનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. વારસાની જાળવણી માટે AMC (Ahmedabad Municipal Corporation) 15 કરોડ ખર્ચશે. 150 વર્ષ જુના એલિસબ્રિજને 2022 અંત સુધીમાં નવો લુક અપાશે. 1872માં અંગ્રેજોએ એલિસબ્રિજ (Ellisbridge) બનાવ્યો હતો. આ બ્રિજને હેરિટેજ લુક આપી અનોખી ઓળખ ઉભી કરવામાં આવશે. અલગ અલગ ડિઝાઈન ઇન્સ્ટિટ્યૂટના ડીઝાઇનર અને એન્જિનિયરને આમંત્રણ અપાયું છે.
જો કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે હેરિટેજ ઓળખને સાચવી રાખવાની મ્યુનિ.ની પ્રથમ જવાબદારી છે. આ બ્રિજ 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. સાબરમતી નદી પર સૌ પ્રથમ એલિસબ્રિજ બન્યો હતો. આ બ્રિજ માટેનું સ્ટિલ બર્મિંગહામથી આયાત કરવામાં આવ્યું હતું. બ્રિજની આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત બની હતી. આ બ્રિજ 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. અસિત વોરા મેયર હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.
એક વખત આ બ્રીજને હેરિટેજ બનાવવાની એક વખત ડિઝાઈન ફાઈનલ થાય પછી તે ટેન્ડર પ્રક્રિયા કરાશે. અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર 1872માં પ્રથમ એલિસબ્રિજ તૈયાર કર્યો હતો. બ્રિજની આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત બની હતી. અમદાવાદના હેરિટેજ વારસાને અકબંધ રાખવા મ્યુનિ.એ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આવનારી પેઢી 150 વર્ષ જૂના બ્રિજનું નિર્માણ કાર્ય જોઈ શકે તે માટે લોકોને ચાલવાના ઉપયોગ માટે તેને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
સાબરમતી નદી પર સૌ પ્રથમ એલિસબ્રિજ બન્યો હતો. અમદાવાદમાં સાબરમતી નદી પરનો એલિસબ્રીજ યાને સ્વામી વિવેકાનંદ બ્રીજ સૌથી જુનો છે. આ ઐતિહાસિક બ્રીજને હેરિટેઝ લૂક આપીને રાહદારીઓ માટે ખૂલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ માટેનું સ્ટિલ બર્મિંગહામથી આયાત કરવામાં આવ્યું હતું. અસિત વોરા મેયર હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.
શહેરના જુના લોકો તેને લક્કડિયો પુલ પણ કહે છે. પોલાદમાંથી બનાવવામાં આવેલો આ પુલ એટલો મજબુત બનાવવામાં આવ્યો છે કે તે એક સદી પછી પણ અડીખમ ઉભો છે. અમદાવાદના એ જમાનાના ઉત્તર વિભાગના કમિશ્નર બેરો એલિસના નામ પરથી પુલનું નામ પડ્યું હતું. એલિસબ્રિજના લોખંડના પિલર, ગડર અને કમાનોએ અનેક જમાના જોયા છે. સાબરમતીમાં વહેતા પાણી, પુર ઝંઝાવત અને તોફાનોનો પણ સાક્ષી રહ્યો છે. સાબરમતી નદીમાં પુર આવવાના લીધે પુલની કમાનો તૂટી ગઈ હતી એટલે લક્કડિયા પુલ તરીકે જાણીતો એલિસબ્રિજ અસલ રહ્યો નથી. ત્યારે હવે તેના પર AMC દ્વારા 15 કરોડના ખર્ચે નવો હેરિટેજ લૂક આપવામાં આવશે.
WatchGujarat. એલિસબ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સવાસો વર્ષથી પણ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે વર્ષ 2022ના અંત સુધીમાં આ જૂના બ્રિજને હેરિટેજ લૂક આપી રાહદારીઓ માટે શરૂ કરવા યોજના ઘડી છે. જે અમદાવાદના એલિસબ્રિજ, લક્કડિયા બ્રિજ અને સ્વામી વિવેકાનંદ પુલ જેવા જુદા જુદા નામથી જાણીતા બનેલા અમદાવાદના એકમાત્ર હેરિટેજ બ્રિજનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. વારસાની જાળવણી માટે AMC (Ahmedabad Municipal Corporation) 15 કરોડ ખર્ચશે. 150 વર્ષ જુના એલિસબ્રિજને 2022 અંત સુધીમાં નવો લુક અપાશે. 1872માં અંગ્રેજોએ એલિસબ્રિજ (Ellisbridge) બનાવ્યો હતો. આ બ્રિજને હેરિટેજ લુક આપી અનોખી ઓળખ ઉભી કરવામાં આવશે. અલગ અલગ ડિઝાઈન ઇન્સ્ટિટ્યૂટના ડીઝાઇનર અને એન્જિનિયરને આમંત્રણ અપાયું છે.
જો કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે હેરિટેજ ઓળખને સાચવી રાખવાની મ્યુનિ.ની પ્રથમ જવાબદારી છે. આ બ્રિજ 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. સાબરમતી નદી પર સૌ પ્રથમ એલિસબ્રિજ બન્યો હતો. આ બ્રિજ માટેનું સ્ટિલ બર્મિંગહામથી આયાત કરવામાં આવ્યું હતું. બ્રિજની આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત બની હતી. આ બ્રિજ 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. અસિત વોરા મેયર હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.
એક વખત આ બ્રીજને હેરિટેજ બનાવવાની એક વખત ડિઝાઈન ફાઈનલ થાય પછી તે ટેન્ડર પ્રક્રિયા કરાશે. અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર 1872માં પ્રથમ એલિસબ્રિજ તૈયાર કર્યો હતો. બ્રિજની આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત બની હતી. અમદાવાદના હેરિટેજ વારસાને અકબંધ રાખવા મ્યુનિ.એ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આવનારી પેઢી 150 વર્ષ જૂના બ્રિજનું નિર્માણ કાર્ય જોઈ શકે તે માટે લોકોને ચાલવાના ઉપયોગ માટે તેને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
સાબરમતી નદી પર સૌ પ્રથમ એલિસબ્રિજ બન્યો હતો. અમદાવાદમાં સાબરમતી નદી પરનો એલિસબ્રીજ યાને સ્વામી વિવેકાનંદ બ્રીજ સૌથી જુનો છે. આ ઐતિહાસિક બ્રીજને હેરિટેઝ લૂક આપીને રાહદારીઓ માટે ખૂલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ માટેનું સ્ટિલ બર્મિંગહામથી આયાત કરવામાં આવ્યું હતું. અસિત વોરા મેયર હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું. તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.
શહેરના જુના લોકો તેને લક્કડિયો પુલ પણ કહે છે. પોલાદમાંથી બનાવવામાં આવેલો આ પુલ એટલો મજબુત બનાવવામાં આવ્યો છે કે તે એક સદી પછી પણ અડીખમ ઉભો છે. અમદાવાદના એ જમાનાના ઉત્તર વિભાગના કમિશ્નર બેરો એલિસના નામ પરથી પુલનું નામ પડ્યું હતું. એલિસબ્રિજના લોખંડના પિલર, ગડર અને કમાનોએ અનેક જમાના જોયા છે. સાબરમતીમાં વહેતા પાણી, પુર ઝંઝાવત અને તોફાનોનો પણ સાક્ષી રહ્યો છે. સાબરમતી નદીમાં પુર આવવાના લીધે પુલની કમાનો તૂટી ગઈ હતી એટલે લક્કડિયા પુલ તરીકે જાણીતો એલિસબ્રિજ અસલ રહ્યો નથી. ત્યારે હવે તેના પર AMC દ્વારા 15 કરોડના ખર્ચે નવો હેરિટેજ લૂક આપવામાં આવશે.