શહેરના નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ
ફેક્ટરીમાં કલર, સોલ્વન્ટ, થીનર જેવી વસ્તુઓ હોવાથી આગ વધુ ફેલાઈ હતી
ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, બે કલાકમાં જ આગ કાબુમાં લેવાય
ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ ઘટના બની હતી, આગનું કારણ હજી જાણવા નથી મળ્યું
WatchGujarat. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના નરોડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં કલર, સોલ્વન્ટ અને થીનર જેવી વસ્તુઓ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ આગની પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.
અમદાવાદના નરોડામાં મોડી રાત્રે ફેક્ટરીમાં આગ લાગી
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર અક્ષર માર્બલ પાછળ પવન મિનરલ નામની કલર થીનર વગેરે બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ આગ લાગી હતી. ફેકટરીમાં કલર, થિનર, સોલ્વન્ટ, વુડ અને પોલીસ વગેરે હોવાથી ભાગ વધુ ફેલાઈ હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે બે કલાકમાં જ કાબુમાં લીધી
મહત્વનું છે કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગ લાગી તે સમયે કંપનીમાં કોઈ હાજર ન હોવાને કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ હજુ સુધા આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી.
શહેરના નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ
ફેક્ટરીમાં કલર, સોલ્વન્ટ, થીનર જેવી વસ્તુઓ હોવાથી આગ વધુ ફેલાઈ હતી
ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, બે કલાકમાં જ આગ કાબુમાં લેવાય
ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ ઘટના બની હતી, આગનું કારણ હજી જાણવા નથી મળ્યું
WatchGujarat. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના નરોડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. કંપનીમાં કલર, સોલ્વન્ટ અને થીનર જેવી વસ્તુઓ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ આગની પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.
અમદાવાદના નરોડામાં મોડી રાત્રે ફેક્ટરીમાં આગ લાગી
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા રોડ પર અક્ષર માર્બલ પાછળ પવન મિનરલ નામની કલર થીનર વગેરે બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે 2.30ની આસપાસ આગ લાગી હતી. ફેકટરીમાં કલર, થિનર, સોલ્વન્ટ, વુડ અને પોલીસ વગેરે હોવાથી ભાગ વધુ ફેલાઈ હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે બે કલાકમાં જ કાબુમાં લીધી
મહત્વનું છે કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગ લાગી તે સમયે કંપનીમાં કોઈ હાજર ન હોવાને કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ હજુ સુધા આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી.