ગુજરાતના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના બે કેબીનેટ મંત્રી, પાંચ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા
જાહેર થયેલા સુરતના મંત્રીઓના ટેકેદારો મારતી ગાડીએ શપથવિધિમાં પહોંચ્યા, આગામી દિવસોમાં થશે સન્માન સમારોહ
આમ આદમી પાર્ટીને કાબૂમાં રાખવા ભાજપે એક કેબિનેટ અને ત્રણને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યાં
WatchGujarat. ભાજપના હાઈકમાન્ડે સમગ્ર ગુજરાતને ચોંકવતા નવું પ્રધાનમંડળ રચ્યું છે. જેમાં જાતિ-જ્ઞાતિ-ઊંમર-અનુભવ તથા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાના જાહેર થયેલા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતની દાદાગીરી જોવા મળી છે. સુરતના એક બે નહીં પરંતુ ચાર ધારાસભ્યો અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્ય મંળી સાતને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. સાત મંત્રીમાં બે કેબીનેટ એન પાંચ રાજ્ય કક્ષાના મંત્રી જાહેર થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સુરતના ચાર મંત્રીઓ બનતાની સાથે જ તેમના ટેકેદારો મારતી ગાડીએ સપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાશિરામ રાણાના સમય બાદ સી.આર.પાટીલના સમયમાં સુરતનો દબદબો રાજકીય ક્ષેત્રે ખૂબ વધ્યો છે. જો કે, સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે. જેમ પ્રયોગશાળામાં નવા નવા પ્રયોગ કરવામાં આવે તેમ ભાજપે પણ નવી સરકારમાં નો-રીપીટેશનની ફોર્મ્યુલા આપનાવીને ગુજરાતના રાજકારણમાં એક નવો પ્રયોગ કર્યો છે. શપથવિધિના ગણતરીના કલાકો પહેલાં જાહેર થયેલા મંત્રીઓને ખબર ન હતી કે કોનું નામ મંત્રી તરીકે ચાલી રહ્યું છે. ત્યાર બાદ હાઈ કમાન્ડથી એક બાદ એક ધારાસભ્યોને ફોન કરતાં મંત્રીઓ જાહેર થવા માંડયા હતા. જેમાં સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ, વિનોદ મોરડીયાનું નામ પહેલાં જ જાહેર થયું હતુ.
દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેમનો પણ મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે. ઉપરાંત ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતના ત્રણ સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ મળીને કુલ છ ને સ્થાન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ અચાનક જ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવી દેવાયા છે. આમ પહેલી વાર ગુજરાતના મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. સુરતના એક સાથે ચાર ધારાસભ્ય મંત્રી હોય તેવો આ પહેલું મંત્રી મંડળ હોવાથી હાલમાં સુરત રાજકીય રીતે એપી સેન્ટર બની શકે છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો મંત્રી તરીકે જાહેર થતાં તેમના ટેકેદારો મારૂતી ગાડીઓ સાથે શપથવિધિમાં પહચ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ખાતાની ફાળવણી બાદ તમામ દક્ષિણ ગુજરાત અને સુરતના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં પાછા ફરશે. ત્યારે તેમના સન્માન સમારોહ કરવામાં આવશે. મંત્રીના નામની જાહેરાત થતા જ મંત્રીઓના ઘરે શુભેચ્છકો પરિવારના સભ્યોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયાં હતા. દક્ષિણ ગુજરાત અને સુરતના સાત ધારાસભ્યોને મંત્રી પદ મળતા આ પ્રદેશનો દબદબો વધ્યો છે. ત્યારે રાજકીય વિશેષજ્ઞો તેને આમ આદમી પાર્ટીને રોકવા માટેની ભાજપની રણનીતી ગણાવી રહ્યાં છે.
- ગુજરાતના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના બે કેબીનેટ મંત્રી, પાંચ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા
- જાહેર થયેલા સુરતના મંત્રીઓના ટેકેદારો મારતી ગાડીએ શપથવિધિમાં પહોંચ્યા, આગામી દિવસોમાં થશે સન્માન સમારોહ
- આમ આદમી પાર્ટીને કાબૂમાં રાખવા ભાજપે એક કેબિનેટ અને ત્રણને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યાં
WatchGujarat. ભાજપના હાઈકમાન્ડે સમગ્ર ગુજરાતને ચોંકવતા નવું પ્રધાનમંડળ રચ્યું છે. જેમાં જાતિ-જ્ઞાતિ-ઊંમર-અનુભવ તથા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદાના જાહેર થયેલા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતની દાદાગીરી જોવા મળી છે. સુરતના એક બે નહીં પરંતુ ચાર ધારાસભ્યો અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્ય મંળી સાતને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. સાત મંત્રીમાં બે કેબીનેટ એન પાંચ રાજ્ય કક્ષાના મંત્રી જાહેર થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સુરતના ચાર મંત્રીઓ બનતાની સાથે જ તેમના ટેકેદારો મારતી ગાડીએ સપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાશિરામ રાણાના સમય બાદ સી.આર.પાટીલના સમયમાં સુરતનો દબદબો રાજકીય ક્ષેત્રે ખૂબ વધ્યો છે. જો કે, સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે. જેમ પ્રયોગશાળામાં નવા નવા પ્રયોગ કરવામાં આવે તેમ ભાજપે પણ નવી સરકારમાં નો-રીપીટેશનની ફોર્મ્યુલા આપનાવીને ગુજરાતના રાજકારણમાં એક નવો પ્રયોગ કર્યો છે. શપથવિધિના ગણતરીના કલાકો પહેલાં જાહેર થયેલા મંત્રીઓને ખબર ન હતી કે કોનું નામ મંત્રી તરીકે ચાલી રહ્યું છે. ત્યાર બાદ હાઈ કમાન્ડથી એક બાદ એક ધારાસભ્યોને ફોન કરતાં મંત્રીઓ જાહેર થવા માંડયા હતા. જેમાં સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ, વિનોદ મોરડીયાનું નામ પહેલાં જ જાહેર થયું હતુ.
દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તેમનો પણ મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે. ઉપરાંત ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતના ત્રણ સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ મળીને કુલ છ ને સ્થાન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ અચાનક જ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવી દેવાયા છે. આમ પહેલી વાર ગુજરાતના મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. સુરતના એક સાથે ચાર ધારાસભ્ય મંત્રી હોય તેવો આ પહેલું મંત્રી મંડળ હોવાથી હાલમાં સુરત રાજકીય રીતે એપી સેન્ટર બની શકે છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો મંત્રી તરીકે જાહેર થતાં તેમના ટેકેદારો મારૂતી ગાડીઓ સાથે શપથવિધિમાં પહચ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ખાતાની ફાળવણી બાદ તમામ દક્ષિણ ગુજરાત અને સુરતના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં પાછા ફરશે. ત્યારે તેમના સન્માન સમારોહ કરવામાં આવશે. મંત્રીના નામની જાહેરાત થતા જ મંત્રીઓના ઘરે શુભેચ્છકો પરિવારના સભ્યોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયાં હતા. દક્ષિણ ગુજરાત અને સુરતના સાત ધારાસભ્યોને મંત્રી પદ મળતા આ પ્રદેશનો દબદબો વધ્યો છે. ત્યારે રાજકીય વિશેષજ્ઞો તેને આમ આદમી પાર્ટીને રોકવા માટેની ભાજપની રણનીતી ગણાવી રહ્યાં છે.