સરકારી બાબુઓએ શરૂઆતમાં માંગેલી લાંચ મળી જતા તેઓની હિંમત ખુલી જાય છે, અને પછી તમામ પાસેથી આશા રાખતા થઇ જાય છે
ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી, જે સંદર્ભે તપાસ નહિ કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલે રૂ. 80 હજાર માંગ્યા
ફરિયાદીએ પૈસા નહિ આપવા હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું
WatchGujarat. રાજ્યમાં ભ્રષ્ટાચાર નહિ થતો હોવાના રાજકીય દાવાઓનો છેદ અવાર નવાર ઉડતો રહે છે. ખાસ કરીને સરકારી બાબુઓ તગડો પગાર લેવાની સાથે ખીસ્સુ ભરવા માટે લોકો પાસેથી પૈસા માંગતા ખચકાતા નથી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગતરોજ અમદાવાદના એક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી સામેની અરજી સંદર્ભે તપાસ નહિ કરવા તથા ફરિયાદીનું નામ કાઢી નાંખવા રૂ. 80 હજાર માંગ્યા હતા. જો કે, પૈસા લેતા હેડ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઇ ગયો હતો.
સરકારી બાબુઓ લોકોનું કામ કરવા તથા અનેક કારણોસર પોતાના ખીસ્સા ભરવા માટેના રસ્તો શોધતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તેઓએ માંગેલી લાંચ મળી જતા હિંમત ખુલી જાય છે. અને ત્યાર બાદ સીલસીલો ચાલુ થઇ જાય છે. પરંતુ આવા કિસ્સાઓને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે. અગાઉ પણ અનેક મોટા લાંચિયા સરકારી બાબુઓને એ.સી.બી. દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા છે. ગતરોજ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ એ.સી.બી.ના હાથે ચઢ્યો હતો.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ નવા વાડજ પોલીસ ચોકી ખાતે ચાલતી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ મનુભાઇ ચૌહાણ ફરીયાદીને અરજી તપાસના કામે હેરાન નહી કરવાના અને ફરિયાદીનું નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા લાંચ પેટે રૂ. 80 હજાર ની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી પૈસા આપવા માંગતો ન હોવાને કારણે તેણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
એસીબી નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વાડજ પોલીસ ચોકીમાં જ હેડ કોન્સ્ટેબલને લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.80 હજાર લેતા પકડી પાડવામાં આવ્યો હતો. આ એક કેસ પરથી અંદાજો લગાડી શકાય છે કે, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મુળ કેટલા ઉંડા છે. જો કે, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવતી કામગીરી નાગરિકો માટે આશાનું કિરણ સમાન છે.
સરકારી બાબુઓએ શરૂઆતમાં માંગેલી લાંચ મળી જતા તેઓની હિંમત ખુલી જાય છે, અને પછી તમામ પાસેથી આશા રાખતા થઇ જાય છે
ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી, જે સંદર્ભે તપાસ નહિ કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલે રૂ. 80 હજાર માંગ્યા
ફરિયાદીએ પૈસા નહિ આપવા હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું
WatchGujarat. રાજ્યમાં ભ્રષ્ટાચાર નહિ થતો હોવાના રાજકીય દાવાઓનો છેદ અવાર નવાર ઉડતો રહે છે. ખાસ કરીને સરકારી બાબુઓ તગડો પગાર લેવાની સાથે ખીસ્સુ ભરવા માટે લોકો પાસેથી પૈસા માંગતા ખચકાતા નથી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગતરોજ અમદાવાદના એક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી સામેની અરજી સંદર્ભે તપાસ નહિ કરવા તથા ફરિયાદીનું નામ કાઢી નાંખવા રૂ. 80 હજાર માંગ્યા હતા. જો કે, પૈસા લેતા હેડ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઇ ગયો હતો.
સરકારી બાબુઓ લોકોનું કામ કરવા તથા અનેક કારણોસર પોતાના ખીસ્સા ભરવા માટેના રસ્તો શોધતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તેઓએ માંગેલી લાંચ મળી જતા હિંમત ખુલી જાય છે. અને ત્યાર બાદ સીલસીલો ચાલુ થઇ જાય છે. પરંતુ આવા કિસ્સાઓને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે. અગાઉ પણ અનેક મોટા લાંચિયા સરકારી બાબુઓને એ.સી.બી. દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા છે. ગતરોજ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ એ.સી.બી.ના હાથે ચઢ્યો હતો.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ નવા વાડજ પોલીસ ચોકી ખાતે ચાલતી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ મનુભાઇ ચૌહાણ ફરીયાદીને અરજી તપાસના કામે હેરાન નહી કરવાના અને ફરિયાદીનું નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા લાંચ પેટે રૂ. 80 હજાર ની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી પૈસા આપવા માંગતો ન હોવાને કારણે તેણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
એસીબી નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વાડજ પોલીસ ચોકીમાં જ હેડ કોન્સ્ટેબલને લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.80 હજાર લેતા પકડી પાડવામાં આવ્યો હતો. આ એક કેસ પરથી અંદાજો લગાડી શકાય છે કે, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મુળ કેટલા ઉંડા છે. જો કે, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવતી કામગીરી નાગરિકો માટે આશાનું કિરણ સમાન છે.