પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ, રાત્રે 3 કલાક સુધી ચાલી હતી બેઠકો
ગુજરાતમાં નવા મંત્રીઓની શપથવિધિ આજે જ યોજાય તેવી શક્યતાઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર
16 સપ્ટેમ્બર બદલે આજે મંત્રીમંડળની શપથવિધિ, 11 વાગ્યા પહેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ- સૂત્ર
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં સાથે મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભપેન્દ્ર પટેલની 13મી સપ્ટેમ્બરના રોજ શપથવિધિ થઈ હતી. પરંતુ તેઓએ મંત્રીમંડળ વિના શપથવિધિ કરી હતી. કારણ કે મંત્રીમંડળના નવા સભ્યોના નામ હજી જાહેર કરવામાં આવ્યા નથી. રાજ્યના નવા મંત્રીઓને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે પરંતુ મંત્રીઓના નામની જાહેરાત અને તેના પર આખરી મહોર લાગવાની બાકી છે. જ્યારે સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગત રાત્રે રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને પોતાની સરકારી ગાડી જમા કરવા સુચના આપવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ગત રાત્રે 3 વાગ્યા સુધી નવા મંત્રીઓના નામ અંગે બેઠકો ચાલી હતી. જે બાદ રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને ગાડી જમા કરવા સુચના અપાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ હતું. જે પરથી લાગી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. ઉપરાંત મોટાભાગના સભ્યોનું મંત્રીમંડળમાં પદ યથાવત રહેશે. આ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરને બદલે આજે જ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 16 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ શપથ લેશે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તાબડતોડ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અને આજે જ મંત્રીઓના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવી શકે છે. હવે જોવાનું કહ્યું કે નવા મંત્રીમંડળમાં કોનું પત્તુ કપાશે અને કોનું સ્થાન યાથવત રહેશે.
- પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ, રાત્રે 3 કલાક સુધી ચાલી હતી બેઠકો
- ગુજરાતમાં નવા મંત્રીઓની શપથવિધિ આજે જ યોજાય તેવી શક્યતાઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો તખ્તો તૈયાર
- 16 સપ્ટેમ્બર બદલે આજે મંત્રીમંડળની શપથવિધિ, 11 વાગ્યા પહેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ- સૂત્ર
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં સાથે મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભપેન્દ્ર પટેલની 13મી સપ્ટેમ્બરના રોજ શપથવિધિ થઈ હતી. પરંતુ તેઓએ મંત્રીમંડળ વિના શપથવિધિ કરી હતી. કારણ કે મંત્રીમંડળના નવા સભ્યોના નામ હજી જાહેર કરવામાં આવ્યા નથી. રાજ્યના નવા મંત્રીઓને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે પરંતુ મંત્રીઓના નામની જાહેરાત અને તેના પર આખરી મહોર લાગવાની બાકી છે. જ્યારે સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગત રાત્રે રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને પોતાની સરકારી ગાડી જમા કરવા સુચના આપવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ગત રાત્રે 3 વાગ્યા સુધી નવા મંત્રીઓના નામ અંગે બેઠકો ચાલી હતી. જે બાદ રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને ગાડી જમા કરવા સુચના અપાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ હતું. જે પરથી લાગી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. ઉપરાંત મોટાભાગના સભ્યોનું મંત્રીમંડળમાં પદ યથાવત રહેશે. આ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરને બદલે આજે જ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 11 વાગ્યે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ આપી દેવાયો છે. બપોરે 4 વાગ્યે સમારોહ યોજાશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 16 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ શપથ લેશે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તાબડતોડ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. અને આજે જ મંત્રીઓના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવી શકે છે. હવે જોવાનું કહ્યું કે નવા મંત્રીમંડળમાં કોનું પત્તુ કપાશે અને કોનું સ્થાન યાથવત રહેશે.