દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી
અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સવલત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
આગામી દિવાળી તહેવાર દરમ્યાન અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પર 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી
અમદવાદથી નવ જેટલાં સ્થળો તરફ જનારી બસોમાં વધારાની 700 બસો મુકવામાં આવી
WatchGujarat. ટૂંક સમયમાં જ દિવાળીના પાવન તહેવારની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર આવવાનો હોવાથી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ટોળે ટોળા થઈ રહ્યા છે. તહેવારોના સમયમાં પોતાના વતન જતાં હોવાથી બસોમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પર 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં કેટલાંક માટે વધારાની 700 બસો પણ મુકવામાં આવી છે. જેથી અમદાવાદથી અન્ય સ્થળે જવામાં મુસાફરોને મુશ્કેલી ન વેઠવી પડે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ નિગમ અમદાવાદ વિભાગ દ્વારા ગત રોજ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. વિભાગ અમદાવાદના વિભાગીય નિયામક જે.એન.પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવવાનો હોવાથી મુસાફરોની સવલતમાં સુધારો થાય તે હેતુથી અમદાવાદ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત દિવાળીના તહેવારો દરમ્યાન અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પરથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદથી દૂર દૂરની મુસાફરી કરતાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને જરૂર હશે તે સ્થળ તરફ પણ વધારાની બસો મુકવામાં આવશે- અમદાવાદ એસ.ટી.વિભાગ
મહત્વનું છે કે અમદાવાદથી દાહોદ, ઝાલોદ, ગોધરા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરત, વડોદરા તથા ઉત્તર ગુજરાત તરફ વધારાની કુલ 700 જેટલી બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના સમયમાં મુસફારોની ભીડ વધારે હોય છે, પરંતુ તેની સામે ઓછી બસની સુવિધા હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ અમદાવાદ એસ.ટી. વિભાગના આ નિર્ણયને કારણે હવે લોકોને રાહ જોવાનો વારો નહીં આવે. ગત રોજથી જ આ વધારાની બસ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી જે સ્થળ માટે જરૂરી હશે તે તરફ પણ વધારાની બસો મુકવામાં આવશે તેવું અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી અમદાવાદથી મુસાફરી કરતાં લોકો તેનો લાભ ઉઠાવી શકે છે.
દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી
અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સવલત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
આગામી દિવાળી તહેવાર દરમ્યાન અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પર 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી
અમદવાદથી નવ જેટલાં સ્થળો તરફ જનારી બસોમાં વધારાની 700 બસો મુકવામાં આવી
WatchGujarat. ટૂંક સમયમાં જ દિવાળીના પાવન તહેવારની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર આવવાનો હોવાથી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ટોળે ટોળા થઈ રહ્યા છે. તહેવારોના સમયમાં પોતાના વતન જતાં હોવાથી બસોમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પર 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં કેટલાંક માટે વધારાની 700 બસો પણ મુકવામાં આવી છે. જેથી અમદાવાદથી અન્ય સ્થળે જવામાં મુસાફરોને મુશ્કેલી ન વેઠવી પડે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ નિગમ અમદાવાદ વિભાગ દ્વારા ગત રોજ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. વિભાગ અમદાવાદના વિભાગીય નિયામક જે.એન.પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવવાનો હોવાથી મુસાફરોની સવલતમાં સુધારો થાય તે હેતુથી અમદાવાદ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત દિવાળીના તહેવારો દરમ્યાન અમદાવાદ વિભાગના તમામ બસ સ્ટેન્ડ પરથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદથી દૂર દૂરની મુસાફરી કરતાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને જરૂર હશે તે સ્થળ તરફ પણ વધારાની બસો મુકવામાં આવશે- અમદાવાદ એસ.ટી.વિભાગ
મહત્વનું છે કે અમદાવાદથી દાહોદ, ઝાલોદ, ગોધરા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરત, વડોદરા તથા ઉત્તર ગુજરાત તરફ વધારાની કુલ 700 જેટલી બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના સમયમાં મુસફારોની ભીડ વધારે હોય છે, પરંતુ તેની સામે ઓછી બસની સુવિધા હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ અમદાવાદ એસ.ટી. વિભાગના આ નિર્ણયને કારણે હવે લોકોને રાહ જોવાનો વારો નહીં આવે. ગત રોજથી જ આ વધારાની બસ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી જે સ્થળ માટે જરૂરી હશે તે તરફ પણ વધારાની બસો મુકવામાં આવશે તેવું અમદાવાદ એસ.ટી. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી અમદાવાદથી મુસાફરી કરતાં લોકો તેનો લાભ ઉઠાવી શકે છે.