રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદીએ મિસ્તી નામની 9 મહિનાની બાળકીને દત્તક લીધી
મુંબઈમાં રહેતા મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ આરજુ નામની બાળકીને દત્તક લીધી
વર્ષોથી રાહ જોયા બાદ બાળકી મળતા બન્ને પરિવારમાં ખુશી છવાઇ
WatchGujarat. આજ-કાલ બાળક તરછોડી દેવાનાં અનેક કિસ્સા જોવા મળે ત્યારે એ દુખની વાત છે પરંતુ જ્યારે આ જ ત્યજેલા બાળકને કોઇ માતા-પિતા મળે એનાથી ખુશીની વાત બીજી કઇ હોઇ શકે.હાલમાં જ અમદાવાદ પાલડી શિશુ ગૃહમાં બાળકોને દત્તક આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે બાળકીને પોતાના માતા-પિતા મળ્યા છે.
મળતી માહિતી મુજબ બંને બાળકીઓ 9 મહિનાની છે કે જેઓને તેમના પરિવારે તરછોડી દીધી હતી. જે બે બાળકીઓને આજે બે નવા પરિવાર મળ્યા છે.એક રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદી કે જેઓ શિક્ષક છે. જેમના લગ્નના 10 વર્ષ થયાં પણ તેઓએ નક્કી કરેલ કે તેઓ બાળક દત્તક લેશે. બસ આ વિચાર સાથે તેઓએ 3 વર્ષ પહેલાં બાળક દત્તક લેવા અરજી કરી અને ત્યારે તેમનો નંબર 3000 ઉપર હતો. દિવાળી પહેલા તેમને પાલડી શિશુ ગૃહમાંથી કોલ આવ્યો કે તેઓ બાળક દત્તક લેવા પસંદ થયા છે અને આજે તેઓ બાળકીને લેવા પાલડી શિશુ ગૃહ પહોંચી ગયા. જેઓએ મિસ્તી નામની 9 મહિનાની બાળકીને દત્તક લીધી. જેને તેઓએ નવું નામ સાયસા આપ્યું હતુ.
જ્યારે બીજી બાળકીની વાત કરીએ તો તે છે આરજુ. જે પણ 9 મહિનાની છે. જેને મૂળ ઇડર અને મુંબઈમાં રહેતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર એવા મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ દત્તક લીધી છે. મિસ્ત્રી પરિવારને લગ્નના 17 વર્ષ જેટલો સમય થયો. જેઓને બાળકી આવે તેવી જ ઈચ્છા હતી પણ તેઓને બાળકી ન થઈ પણ ivf થી તેમને હાલ 9 વર્ષનો દીકરો છે. પણ બાળકીની ઈચ્છા તેમને કોરી ખાતી. જેથી તેઓએ પણ 3 વર્ષ પહેલાં બાળકી દત્તક લેવા અરજી કરી. ત્યારે તેમનો નંબર 3500 ઉપર હતો. ધનતેરસે તેમને પાલડી શિશુ ગૃહ પરથી કોલ આવ્યો કે તેઓ બાળકી દત્તક લઈ શકશે. તેથી આજે કાર્યક્રમમાં બાળકી લેવા પહોંચ્યા હતા. જે બાળકીનું નામ આરજુ છે જેને તેઓએ નવું નામ નૂરવા આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલ અંજલિ મહેતા એવા નેહા મહેતા હાજર રહ્યા. તમને જણાવી દઇએ કે 15 વર્ષથી કાર્યરત પાલડી શિશુ ગૃહમાં 0 થી 6 વર્ષના બાળકો રખાય છે. જેમાં 455 બાળકો શિશુ ગૃહમાં આવ્યા જેમાં 227 બાળકોને નવા માતા પિતા આપ્યા. અને તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા. તો હાલમાં શિશુ ગૃહમાં 14 બાળક છે. જેમાં આ બે બાળકી આરજુ અને મિસ્તીને દત્તક આપી. તો બાકી 12 બાળકોમાંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
- રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદીએ મિસ્તી નામની 9 મહિનાની બાળકીને દત્તક લીધી
- મુંબઈમાં રહેતા મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ આરજુ નામની બાળકીને દત્તક લીધી
- વર્ષોથી રાહ જોયા બાદ બાળકી મળતા બન્ને પરિવારમાં ખુશી છવાઇ
WatchGujarat. આજ-કાલ બાળક તરછોડી દેવાનાં અનેક કિસ્સા જોવા મળે ત્યારે એ દુખની વાત છે પરંતુ જ્યારે આ જ ત્યજેલા બાળકને કોઇ માતા-પિતા મળે એનાથી ખુશીની વાત બીજી કઇ હોઇ શકે.હાલમાં જ અમદાવાદ પાલડી શિશુ ગૃહમાં બાળકોને દત્તક આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે બાળકીને પોતાના માતા-પિતા મળ્યા છે.
મળતી માહિતી મુજબ બંને બાળકીઓ 9 મહિનાની છે કે જેઓને તેમના પરિવારે તરછોડી દીધી હતી. જે બે બાળકીઓને આજે બે નવા પરિવાર મળ્યા છે.એક રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદી કે જેઓ શિક્ષક છે. જેમના લગ્નના 10 વર્ષ થયાં પણ તેઓએ નક્કી કરેલ કે તેઓ બાળક દત્તક લેશે. બસ આ વિચાર સાથે તેઓએ 3 વર્ષ પહેલાં બાળક દત્તક લેવા અરજી કરી અને ત્યારે તેમનો નંબર 3000 ઉપર હતો. દિવાળી પહેલા તેમને પાલડી શિશુ ગૃહમાંથી કોલ આવ્યો કે તેઓ બાળક દત્તક લેવા પસંદ થયા છે અને આજે તેઓ બાળકીને લેવા પાલડી શિશુ ગૃહ પહોંચી ગયા. જેઓએ મિસ્તી નામની 9 મહિનાની બાળકીને દત્તક લીધી. જેને તેઓએ નવું નામ સાયસા આપ્યું હતુ.
જ્યારે બીજી બાળકીની વાત કરીએ તો તે છે આરજુ. જે પણ 9 મહિનાની છે. જેને મૂળ ઇડર અને મુંબઈમાં રહેતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર એવા મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ દત્તક લીધી છે. મિસ્ત્રી પરિવારને લગ્નના 17 વર્ષ જેટલો સમય થયો. જેઓને બાળકી આવે તેવી જ ઈચ્છા હતી પણ તેઓને બાળકી ન થઈ પણ ivf થી તેમને હાલ 9 વર્ષનો દીકરો છે. પણ બાળકીની ઈચ્છા તેમને કોરી ખાતી. જેથી તેઓએ પણ 3 વર્ષ પહેલાં બાળકી દત્તક લેવા અરજી કરી. ત્યારે તેમનો નંબર 3500 ઉપર હતો. ધનતેરસે તેમને પાલડી શિશુ ગૃહ પરથી કોલ આવ્યો કે તેઓ બાળકી દત્તક લઈ શકશે. તેથી આજે કાર્યક્રમમાં બાળકી લેવા પહોંચ્યા હતા. જે બાળકીનું નામ આરજુ છે જેને તેઓએ નવું નામ નૂરવા આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલ અંજલિ મહેતા એવા નેહા મહેતા હાજર રહ્યા. તમને જણાવી દઇએ કે 15 વર્ષથી કાર્યરત પાલડી શિશુ ગૃહમાં 0 થી 6 વર્ષના બાળકો રખાય છે. જેમાં 455 બાળકો શિશુ ગૃહમાં આવ્યા જેમાં 227 બાળકોને નવા માતા પિતા આપ્યા. અને તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા. તો હાલમાં શિશુ ગૃહમાં 14 બાળક છે. જેમાં આ બે બાળકી આરજુ અને મિસ્તીને દત્તક આપી. તો બાકી 12 બાળકોમાંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.