અમદાવાદની નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં
WatchGujarat.કોરોના કાળ બાદ માંડ-માંડ ધીમે-ધીમે સ્કૂલો ફરીથી શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલ શરૂ થઇ એવા જ બાળકોમાં કોરોના કેસ આવતા વાલીઓ તેમજ સ્કૂલ સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યનાં મહાનગરો વડોદરા,સુરત અને અમદાવાદમાં કોરોના સ્કૂલમાં પ્રવેશી જતાં સ્કૂલ બંધ કરવાનાં આદેશ આપ્યા છે.
સુરત બાદ અમદાવાદમાં પણ હવે વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે છારોડીની નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ધોરણ 9 અને 11ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. તો ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા ડીઇઓ દ્વારા બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ડીઇઓ કચેરીએથી આપવામાં આવેલા આદેશ અનુસાર આ બંને સ્કૂલોમાં 28 ડીસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની આ બે સ્કૂલોમાં કોરોના પોઝીટીવ આવેલા આ ચારેય વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. તકેદારીના ભાગરૂપે નિરમાં વિદ્યાવિહાર સ્કૂલને સેનીટાઈઝ કરવામાં આવી છે.
સુરતની વાત કરીએ તો સુરતનાં ડુમસમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં ધોરણ 1ના 2 બાળકો કોરોના સંક્રમિત થયાની માહિતી સામે આવી હતી જેના કારણે શાળા સંચાલકો શાળાને 7 દિવસ માટે બંધ કરી છે .
જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નવરચના શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવી આવ્યો છે.શાળામાં કેસ આવતા સંચાલકોએ શાળાને તાત્કાલિક રીતે 4 દિવસ માટે બંધ કરી છે.નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી.સંચાલકોએ શાળાનાં તમામ રૂમને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ઘરી હતી.
જ્યારે રાજકોટની વાત કરીએ તો નિર્મલા કોન્વેન્ટની એક ઓનલાઈન અભ્યાસ કરતી વિદ્યાર્થીની, નચિકેતા સ્કૂલ ખાતે ધોરણ 5નો વિધાર્થી એસ. એન. કણસાગરાનાં ધોરણ 10નાં ટ્વીન્સ વિદ્યાર્થીઓ તો ધુલેશિયાનાં એક શિક્ષકનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઈને ચારેય શાળાઓ એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરાયો છે. અને ત્યારબાદ પણ પરિસ્થિતિનો અભ્યાસ કરીને શાળાઓ ફરી શરૂ કરવાની વિચારણા કરવામાં આવનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યનાં મોટા ચાર શહેરોની સ્કૂલમાં કોરોનાનાં પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતુ થયુ છે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. તો આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.
- અમદાવાદની નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
- ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં
WatchGujarat.કોરોના કાળ બાદ માંડ-માંડ ધીમે-ધીમે સ્કૂલો ફરીથી શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલ શરૂ થઇ એવા જ બાળકોમાં કોરોના કેસ આવતા વાલીઓ તેમજ સ્કૂલ સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યનાં મહાનગરો વડોદરા,સુરત અને અમદાવાદમાં કોરોના સ્કૂલમાં પ્રવેશી જતાં સ્કૂલ બંધ કરવાનાં આદેશ આપ્યા છે.
સુરત બાદ અમદાવાદમાં પણ હવે વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે છારોડીની નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ધોરણ 9 અને 11ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. તો ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા ડીઇઓ દ્વારા બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ડીઇઓ કચેરીએથી આપવામાં આવેલા આદેશ અનુસાર આ બંને સ્કૂલોમાં 28 ડીસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની આ બે સ્કૂલોમાં કોરોના પોઝીટીવ આવેલા આ ચારેય વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. તકેદારીના ભાગરૂપે નિરમાં વિદ્યાવિહાર સ્કૂલને સેનીટાઈઝ કરવામાં આવી છે.
સુરતની વાત કરીએ તો સુરતનાં ડુમસમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં ધોરણ 1ના 2 બાળકો કોરોના સંક્રમિત થયાની માહિતી સામે આવી હતી જેના કારણે શાળા સંચાલકો શાળાને 7 દિવસ માટે બંધ કરી છે .
જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નવરચના શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવી આવ્યો છે.શાળામાં કેસ આવતા સંચાલકોએ શાળાને તાત્કાલિક રીતે 4 દિવસ માટે બંધ કરી છે.નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી.સંચાલકોએ શાળાનાં તમામ રૂમને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ઘરી હતી.
જ્યારે રાજકોટની વાત કરીએ તો નિર્મલા કોન્વેન્ટની એક ઓનલાઈન અભ્યાસ કરતી વિદ્યાર્થીની, નચિકેતા સ્કૂલ ખાતે ધોરણ 5નો વિધાર્થી એસ. એન. કણસાગરાનાં ધોરણ 10નાં ટ્વીન્સ વિદ્યાર્થીઓ તો ધુલેશિયાનાં એક શિક્ષકનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઈને ચારેય શાળાઓ એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરાયો છે. અને ત્યારબાદ પણ પરિસ્થિતિનો અભ્યાસ કરીને શાળાઓ ફરી શરૂ કરવાની વિચારણા કરવામાં આવનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યનાં મોટા ચાર શહેરોની સ્કૂલમાં કોરોનાનાં પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતુ થયુ છે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. તો આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.