સોલા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ, સસરા અને નણંદ વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
લગ્ન બાદ સપનાબહેનને નીરવને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ
સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા
WatchGujarat. ગાંધીનગરના યુવાનને આખા શરીરે ખરજવું તેમ જ દાદરની બીમારી હોવાની વાત છાની રાખીને અમદાવાદની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે પત્નીને પણ ખરજવું તેમજ ગુપ્ત રોગ થયા હતા. જ્યારે સસરા પુત્રવધૂની એકલતાનો લાભ લઈને તેની સાથે શારિરિક અડપલાં કરતા હતા. આ અંગે પત્નીએ પતિ અને નણંદને ફરિયાદ કરતા તે બંનેએ સસરાનો પક્ષ લઈને કહ્યું હતુ કે તારે પપ્પા કહે તેમ જ કરવાનું છે.
મીડિયા અહેવાલ અનુસાર, સોલા વિસ્તારમાં રહેતા સપનાબહેન (ઉં-31) એ પતિ, સસરા અને નણંદ વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે અનુસાર તેમના લગ્ન 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા નીરવભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ સપનાબહેનને નીરવને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી, દરમિયાન સપનાબહેનને પણ આ બીમારી લાગુ પડી હતી. પરંતુ તેઓ સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં-ટોણાં મારતી હતી. તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. જે અંગે પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો. અને સપનાબહેનને પીયર મુકી ગયા હતા. જેથી સપનાબહેને અંતે પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પતિને પાડોશી મહિલા સાથે સંબંધનો આક્ષેપ
સપનાબહેને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના 1 મહિના સુધી નીરવભાઈએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમની સાથે સરખી રીતે વાત કરતા ન હતા. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. જ્યારે થોડા સમય પછી સપનાબહેનને એ વાતની જાણ થઇ હતી કે, નીરવભાઈને પડોશમાં રહેતી એક મહિલા સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે નીરવભાઈને પૂછતા નીરવભાઈએ સપનાબહેન સાથે ઝગડો કરી મારઝુડ કરી હતી.
- સોલા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ, સસરા અને નણંદ વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- લગ્ન બાદ સપનાબહેનને નીરવને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ
- સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા
WatchGujarat. ગાંધીનગરના યુવાનને આખા શરીરે ખરજવું તેમ જ દાદરની બીમારી હોવાની વાત છાની રાખીને અમદાવાદની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે પત્નીને પણ ખરજવું તેમજ ગુપ્ત રોગ થયા હતા. જ્યારે સસરા પુત્રવધૂની એકલતાનો લાભ લઈને તેની સાથે શારિરિક અડપલાં કરતા હતા. આ અંગે પત્નીએ પતિ અને નણંદને ફરિયાદ કરતા તે બંનેએ સસરાનો પક્ષ લઈને કહ્યું હતુ કે તારે પપ્પા કહે તેમ જ કરવાનું છે.
મીડિયા અહેવાલ અનુસાર, સોલા વિસ્તારમાં રહેતા સપનાબહેન (ઉં-31) એ પતિ, સસરા અને નણંદ વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે અનુસાર તેમના લગ્ન 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા નીરવભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ સપનાબહેનને નીરવને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી, દરમિયાન સપનાબહેનને પણ આ બીમારી લાગુ પડી હતી. પરંતુ તેઓ સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં-ટોણાં મારતી હતી. તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. જે અંગે પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો. અને સપનાબહેનને પીયર મુકી ગયા હતા. જેથી સપનાબહેને અંતે પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પતિને પાડોશી મહિલા સાથે સંબંધનો આક્ષેપ
સપનાબહેને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના 1 મહિના સુધી નીરવભાઈએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમની સાથે સરખી રીતે વાત કરતા ન હતા. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. જ્યારે થોડા સમય પછી સપનાબહેનને એ વાતની જાણ થઇ હતી કે, નીરવભાઈને પડોશમાં રહેતી એક મહિલા સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે નીરવભાઈને પૂછતા નીરવભાઈએ સપનાબહેન સાથે ઝગડો કરી મારઝુડ કરી હતી.