સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો
ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો
છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ કરી દેવામાં આવ્યો, જેથી રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી
પોલીસ અને હોમગાર્ડના 5 હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા, મેડિકલની 7 ટિમો તૈનાત કરાઈ
WatchGujarat. રાજ્યમાં ભલે કોરોનાનાં કેસ ઘટી ગયા હોય પરંતુ કોરોના હજી ગયો નથી. હજુ પણ કોરોનાનાં કેસ આવતા જ રહે છે. તેમાં અંબાજીના ભાદરવી પૂનમનાં મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો છે. પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ભક્તો સરળતાથી માં અંબાના દર્શન કરી શકે અને ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાવિ ભક્તોનું આવવાનું શરૂ થઈ ગયું છે. જોકે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાને રદ કરવાનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.
અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. આ મેળામાં જેમ જેમ દિવસ વધે એ રીતે ભાવિ ભક્તોની ભીડ વધે છે. પરંતુ છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ કરી દેવામાં આવ્યો છે. જેથી રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી. પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જેના ભાગરૂપે પોલીસ અને હોમગાર્ડના 5 હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મેડિકલની 7 ટિમો તૈનાત કરાઈ છે. જ્યારે અંબાજી મંદિર પરિસર અને શહેરમાં 157 જેટલા સીસીટીવી કેમરા લગાવી દેવાયા છે. એટલું જ નહીં પ્રસાદ માટેના 3 કાઉન્ટર શરૂ કરાયા છે.
બનાસકાંઠા પોલીસ ખડેપગે તૈનાત
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રાસશન દ્વારા ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે, પરંતુ આ વર્ષે ભક્તો ખુબજ ઓછી સંખ્યામાં હજુ સુધી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા છે. આ વર્ષે મેળો બંધ રખાયો છે છતાં પણ દુરદુરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. જોકે બનાસકાંઠા પોલીસ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત રહે અને શાંતિથી દર્શન કરી શકે તે માટે ખડેપગે છે. પૂનમ સુધી ભક્તોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતાઓ છે. જેના કારણે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે. જોકે બાધા આખડી માનતા હોય તેવા લોકોને જ અંબાજી મંદિર માં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ પદયાત્રીઓ અને સંઘને મંજુરી આપવામાં આવી નથી.
સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો
ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો
છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ કરી દેવામાં આવ્યો, જેથી રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી
WatchGujarat. રાજ્યમાં ભલે કોરોનાનાં કેસ ઘટી ગયા હોય પરંતુ કોરોના હજી ગયો નથી. હજુ પણ કોરોનાનાં કેસ આવતા જ રહે છે. તેમાં અંબાજીના ભાદરવી પૂનમનાં મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજીમાં આ વર્ષે કોરોનાના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રખાયો છે. પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ભક્તો સરળતાથી માં અંબાના દર્શન કરી શકે અને ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાવિ ભક્તોનું આવવાનું શરૂ થઈ ગયું છે. જોકે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાને રદ કરવાનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.
અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. આ મેળામાં જેમ જેમ દિવસ વધે એ રીતે ભાવિ ભક્તોની ભીડ વધે છે. પરંતુ છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ કરી દેવામાં આવ્યો છે. જેથી રસ્તાઓમાં પદયાત્રીઓ માટેના કેમ્પ ખોલાયા નથી. પરંતુ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જેના ભાગરૂપે પોલીસ અને હોમગાર્ડના 5 હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મેડિકલની 7 ટિમો તૈનાત કરાઈ છે. જ્યારે અંબાજી મંદિર પરિસર અને શહેરમાં 157 જેટલા સીસીટીવી કેમરા લગાવી દેવાયા છે. એટલું જ નહીં પ્રસાદ માટેના 3 કાઉન્ટર શરૂ કરાયા છે.
બનાસકાંઠા પોલીસ ખડેપગે તૈનાત
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર પ્રાસશન દ્વારા ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે, પરંતુ આ વર્ષે ભક્તો ખુબજ ઓછી સંખ્યામાં હજુ સુધી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા છે. આ વર્ષે મેળો બંધ રખાયો છે છતાં પણ દુરદુરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. જોકે બનાસકાંઠા પોલીસ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત રહે અને શાંતિથી દર્શન કરી શકે તે માટે ખડેપગે છે. પૂનમ સુધી ભક્તોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતાઓ છે. જેના કારણે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે. જોકે બાધા આખડી માનતા હોય તેવા લોકોને જ અંબાજી મંદિર માં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ પદયાત્રીઓ અને સંઘને મંજુરી આપવામાં આવી નથી.