ગિરનારની લીલી પરિક્રમાની જેમ હવે અંબાજીના ગબ્બર પર બનાવાયેલ 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થશે
આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ 2022માં પરિક્રમા શરૂ થાય તેવું મંદિર ટ્રસ્ટનું આયોજન
શાસ્ત્રોમાં 51 શક્તિપીઠનું ખૂબ જ મહત્વ છે, માઈ ભક્તો એક જ જન્મમાં આ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકશે
ગબ્બરની પરિક્રમા કરતાં 3-4 કલાક જ લાગશે, ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા 5 દિવસ ચાલે છે
WatchGujarat. મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગિરનારની લીલીપરિક્રમાની જેમ હવે ગબ્બરના ડુંગર પર એક ખાસ પરિક્રમા શરૂ થશે. જેમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો માઈ ભક્તોને મળશે લ્હાવો. અત્રે ઉલ્લેખનીય છે કે ગબ્બરના ડુંગર પર તમામ 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ વિકસાવવામાં આવી છે. શાસ્ત્રોમાં પણ આ 51 શક્તિપીઠનું ખુબ જ મહત્વ રહેલું છે.
અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ
મીડિયા અહેવાલ અનુસાર માઈ ભક્તો આગામી વર્ષથી અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ છે. આગામી વર્ષેમા અંબાના કરોડો શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુ અંબાજી માં આવતા હોય છે. તેમજ જૂનાગઢના ગરવા ગિરનારીની ગોદમાં પણ દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ એમ પાંચ દિવસ સુધી લીલી પરિક્રમા યોજાય છે. તેવી જ રીતે હવે ગબ્બર પર્વત ઉપર પણ 51 શક્તિપીઠની પરિક્રમા શરૂ થશે.
કરોડોના ખર્ચે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
તમને જણાવી દઈએ કે અંબાજી ખાતે ગબ્બર પર આ અનોખો પ્રોજેક્ટ આકાર આપવામાં આવ્યો છે. જેમાં લગભગ રૂ. 61.57 કરોડના ખર્ચે તમામ 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ ખાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ 2008માં કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 47 મંદિરની પ્રતિકૃતિઓ અને ત્રણ ગુફાઓ સ્થાપવાનું કામ 2014માં પૂર્ણ થયું હતું. લગભગ એક દાયકા પહેલા, પગથિયાંની નજીક આ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી. આ પ્રતિકૃતિઓમાં પાકિસ્તાનમાં હિંગુલા, બાંગ્લાદેશમાં ચટ્ટલ, કર્તોપાટટ અને સુગંધા, શ્રીલંકામાં ઈન્દ્રાક્ષી, નેપાળમાં ગંડકી અને ગુહ્યશ્વરી પીઠ અને તિબેટમાં માનસરોવરનો સમાવેશ થાય છે.
51 શક્તિપીઠની પરિક્રમમાં માત્ર 3-4 કલાકનો સમય લાગશે
શાસ્ત્રોમાં તમામ 51 શક્તિપીઠોનું એક ખાસ મહત્વ છે. એટલું જ નહીં દંતકથા અનુસાર તમામ શક્તિપીઠોની મુલાકાત લેવી એ અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન છે. ત્યારે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટના આ આયોજનથી માત્ર ત્રણથી ચાર કલાકના સમયમાં આ તમામ 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકાશે. આ માટે મંદિરના સત્તાવાળાઓ યાત્રાળુઓને વર્ષમાં ત્રણથી ચાર દિવસના સમયગાળામાં આ યાત્રા કરવા દેવાનું આયોજન કરી રહ્યા છે. આ અંગે બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (SAAMDT) ના અધ્યક્ષ આનંદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે યાત્રાળુઓને આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચથી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા દેવાની યોજના બનાવીએ છીએ. આ કદાચ પ્રથમ સ્થાન હશે જ્યાં મા અંબાના ભક્તો પરિક્રમા દ્વારા શક્તિપીઠોની સંપૂર્ણ યાત્રા લઈ શકશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય સુધીમાં, વર્ષોથી જર્જરિત થયેલા પગથિયાંને પુનઃસ્થાપિત કરવાનું કામ પૂર્ણ થશે. ભવિષ્યમાં, અમે અંબાજીમાં દરેક શક્તિપીઠ પર યજ્ઞો યોજવા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવાની પણ યોજના બનાવીશું.
પ્રાપ્ત વિગતો મુજબ આ 51 શક્તિપીઠો માટે મંદિરના પૂજારીઓને દેવી અંબાના આ મંદિરો પર આરતીની વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા અને મૂર્તિઓનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જોકે ગબ્બર તીર્થ ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. આ પરિક્રમા શરૂ થતાં માઈ ભક્તો હવે અહીં શક્તિપીઠો અથવા મંદિરોની સંપૂર્ણ યાત્રા કરી શકે છે. ઘણા ભક્તો 51 શક્તિપીઠો વિશે જાણતા નથી જેથી આ પરિક્રમામાં તેમને માહિતી આપવામાં મદદ કરશે.
- ગિરનારની લીલી પરિક્રમાની જેમ હવે અંબાજીના ગબ્બર પર બનાવાયેલ 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થશે
- આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ 2022માં પરિક્રમા શરૂ થાય તેવું મંદિર ટ્રસ્ટનું આયોજન
- શાસ્ત્રોમાં 51 શક્તિપીઠનું ખૂબ જ મહત્વ છે, માઈ ભક્તો એક જ જન્મમાં આ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકશે
- ગબ્બરની પરિક્રમા કરતાં 3-4 કલાક જ લાગશે, ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા 5 દિવસ ચાલે છે
WatchGujarat. મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગિરનારની લીલીપરિક્રમાની જેમ હવે ગબ્બરના ડુંગર પર એક ખાસ પરિક્રમા શરૂ થશે. જેમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો માઈ ભક્તોને મળશે લ્હાવો. અત્રે ઉલ્લેખનીય છે કે ગબ્બરના ડુંગર પર તમામ 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ વિકસાવવામાં આવી છે. શાસ્ત્રોમાં પણ આ 51 શક્તિપીઠનું ખુબ જ મહત્વ રહેલું છે.
અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ
મીડિયા અહેવાલ અનુસાર માઈ ભક્તો આગામી વર્ષથી અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ છે. આગામી વર્ષેમા અંબાના કરોડો શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુ અંબાજી માં આવતા હોય છે. તેમજ જૂનાગઢના ગરવા ગિરનારીની ગોદમાં પણ દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ એમ પાંચ દિવસ સુધી લીલી પરિક્રમા યોજાય છે. તેવી જ રીતે હવે ગબ્બર પર્વત ઉપર પણ 51 શક્તિપીઠની પરિક્રમા શરૂ થશે.
કરોડોના ખર્ચે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
તમને જણાવી દઈએ કે અંબાજી ખાતે ગબ્બર પર આ અનોખો પ્રોજેક્ટ આકાર આપવામાં આવ્યો છે. જેમાં લગભગ રૂ. 61.57 કરોડના ખર્ચે તમામ 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ ખાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ 2008માં કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 47 મંદિરની પ્રતિકૃતિઓ અને ત્રણ ગુફાઓ સ્થાપવાનું કામ 2014માં પૂર્ણ થયું હતું. લગભગ એક દાયકા પહેલા, પગથિયાંની નજીક આ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી. આ પ્રતિકૃતિઓમાં પાકિસ્તાનમાં હિંગુલા, બાંગ્લાદેશમાં ચટ્ટલ, કર્તોપાટટ અને સુગંધા, શ્રીલંકામાં ઈન્દ્રાક્ષી, નેપાળમાં ગંડકી અને ગુહ્યશ્વરી પીઠ અને તિબેટમાં માનસરોવરનો સમાવેશ થાય છે.
51 શક્તિપીઠની પરિક્રમમાં માત્ર 3-4 કલાકનો સમય લાગશે
શાસ્ત્રોમાં તમામ 51 શક્તિપીઠોનું એક ખાસ મહત્વ છે. એટલું જ નહીં દંતકથા અનુસાર તમામ શક્તિપીઠોની મુલાકાત લેવી એ અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન છે. ત્યારે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટના આ આયોજનથી માત્ર ત્રણથી ચાર કલાકના સમયમાં આ તમામ 51 શક્તિપીઠની પરિક્રમા કરી શકાશે. આ માટે મંદિરના સત્તાવાળાઓ યાત્રાળુઓને વર્ષમાં ત્રણથી ચાર દિવસના સમયગાળામાં આ યાત્રા કરવા દેવાનું આયોજન કરી રહ્યા છે. આ અંગે બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (SAAMDT) ના અધ્યક્ષ આનંદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે યાત્રાળુઓને આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચથી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા દેવાની યોજના બનાવીએ છીએ. આ કદાચ પ્રથમ સ્થાન હશે જ્યાં મા અંબાના ભક્તો પરિક્રમા દ્વારા શક્તિપીઠોની સંપૂર્ણ યાત્રા લઈ શકશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય સુધીમાં, વર્ષોથી જર્જરિત થયેલા પગથિયાંને પુનઃસ્થાપિત કરવાનું કામ પૂર્ણ થશે. ભવિષ્યમાં, અમે અંબાજીમાં દરેક શક્તિપીઠ પર યજ્ઞો યોજવા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવાની પણ યોજના બનાવીશું.
પ્રાપ્ત વિગતો મુજબ આ 51 શક્તિપીઠો માટે મંદિરના પૂજારીઓને દેવી અંબાના આ મંદિરો પર આરતીની વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા અને મૂર્તિઓનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જોકે ગબ્બર તીર્થ ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. આ પરિક્રમા શરૂ થતાં માઈ ભક્તો હવે અહીં શક્તિપીઠો અથવા મંદિરોની સંપૂર્ણ યાત્રા કરી શકે છે. ઘણા ભક્તો 51 શક્તિપીઠો વિશે જાણતા નથી જેથી આ પરિક્રમામાં તેમને માહિતી આપવામાં મદદ કરશે.