મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં જોવા મળ્યા, અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કરી તપાસ
સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ, મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ
હાઈકોર્ટના વકીલની ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ બાદ મહેસૂલ મંત્રીએ જાતે તપાસ હાથ ધરી
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન, સાંજ સુધીમાં અધિકારીઓની બદલીના આદેશ
WatchGujarat. આજે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ પોલીટેક્નિક રેજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભામાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. આ મામલે મહેલૂસ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાતતપાસ કરી હતી. એટલું જ નહીં ત્યાં હાજર કચેરીના કડક ચેતવણી પણ આપી હતી.
મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ
નોંધનીય છે કે તાજેતરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા માટે સામાન્ય લોકોને અપીલ કરી હતી. આ અપીલનાં પગલે અમદાવાદ હાઇકોર્ટમાં વકીલે સમગ્ર મામલે સ્ટિંગ કર્યું હતું. જેમાં અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેક્ટર કે.કે શાહ અને કર્મચારી પંકજ શાહ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી.
ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ બાદ મહેસૂલ મંત્રીએ જાતે તપાસ હાથ ધરી
મહત્વનું છે કે આ ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શરૂ છે. ત્યારે માત્ર આ કાર્યવાહી કરીને સંતોષ નહી માનતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતે કચેરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓ અચાનક જ મહેસુલ કચેરી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેમની આ ઓચિંતિ મુલાકાતથી સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.
શહેરની મહેસુલ કચેરીની મુલાકાતે પહોંચેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધી જ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહી ચલાવી લેવાય. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાજર કર્મચારીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ થશે જ પરંતુ તમે પણ કોઇ વ્હેમમાં નહી રહેતા. જનતાનું કામ કરવા બેઠા છો અને તેનું પુરતુ મહેનતાણું તમને મળે છે. માટે નિષ્ઠાથી કામ કરો. જે નિષ્ઠાથી કામ કરે છે તેની પાછળ સરકાર ઉભી છે. ભ્રષ્ટાચારીઓને નહી છોડવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સ્થળ પર જ ઓફીસનાં એકે એક કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા. આ સમયે હાજર વકીલ દિપેન દવેએ મીડિયા સમક્ષ ફરિયાદો કરી હતી. તેમણે કહ્યું કે, અહિંયા દરેક કામ માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ હતી.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં જોવા મળ્યા, અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કરી તપાસ
સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ, મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ
હાઈકોર્ટના વકીલની ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ બાદ મહેસૂલ મંત્રીએ જાતે તપાસ હાથ ધરી
WatchGujarat. આજે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ પોલીટેક્નિક રેજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભામાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. આ મામલે મહેલૂસ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાતતપાસ કરી હતી. એટલું જ નહીં ત્યાં હાજર કચેરીના કડક ચેતવણી પણ આપી હતી.
મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ
નોંધનીય છે કે તાજેતરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા માટે સામાન્ય લોકોને અપીલ કરી હતી. આ અપીલનાં પગલે અમદાવાદ હાઇકોર્ટમાં વકીલે સમગ્ર મામલે સ્ટિંગ કર્યું હતું. જેમાં અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેક્ટર કે.કે શાહ અને કર્મચારી પંકજ શાહ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી.
ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ બાદ મહેસૂલ મંત્રીએ જાતે તપાસ હાથ ધરી
મહત્વનું છે કે આ ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શરૂ છે. ત્યારે માત્ર આ કાર્યવાહી કરીને સંતોષ નહી માનતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતે કચેરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓ અચાનક જ મહેસુલ કચેરી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. તેમની આ ઓચિંતિ મુલાકાતથી સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.
શહેરની મહેસુલ કચેરીની મુલાકાતે પહોંચેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધી જ વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહી ચલાવી લેવાય. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હાજર કર્મચારીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ થશે જ પરંતુ તમે પણ કોઇ વ્હેમમાં નહી રહેતા. જનતાનું કામ કરવા બેઠા છો અને તેનું પુરતુ મહેનતાણું તમને મળે છે. માટે નિષ્ઠાથી કામ કરો. જે નિષ્ઠાથી કામ કરે છે તેની પાછળ સરકાર ઉભી છે. ભ્રષ્ટાચારીઓને નહી છોડવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સ્થળ પર જ ઓફીસનાં એકે એક કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા. આ સમયે હાજર વકીલ દિપેન દવેએ મીડિયા સમક્ષ ફરિયાદો કરી હતી. તેમણે કહ્યું કે, અહિંયા દરેક કામ માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ હતી.