ઠક્કર ખમણ હાઉસ નામે વ્યવસાય કરતા વેપારીના પુત્રની 35 વર્ષીય પત્ની રોક્ષાનું શંકાસ્પદ મોત
ગળા પર દબાણ આવવાથી મૃત્યુ નીપજ્યુ હોવાનું જણાવાયું
બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યુ હોવાનું સાસરીયાપક્ષનું રટણ
WatchGujarat.આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઠક્કર ખમણ હાઉસ નામે વ્યવસાય કરતા વેપારીના પુત્રની 35 વર્ષીય પત્ની રોક્ષા ઉર્ફે નિશાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતુ. આ મામલે સુરત સ્થિત રહેતા મૃતકના ભાઇની શંકાના આધારે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતુ. જેમાં ગળા પર દબાણ આવવાથી મૃત્યુ નીપજ્યુ હોવાનું જણાવાયું છે . હાલમાં પોલીસ દ્વારા મૃતક પરિણીતાના સાસરીયાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જો કે તેણીના મોતને લઇને કોકડું હજુ પણ ગુંચવાયેલું જ છે.
આ અંગે વાત કરતા તપાસ અધિકારી પીએસઆઇ કે.એમ ચૌધરીએ જણાવ્યું હતુ કે મંગળવારે સવારે 10 વાગ્યે પત્નીનું ન્હાવા જતા સમયે બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાની ટેલિફોન વર્ધી બોરસદ પોલીસ મથકે મળી હતી. દરમિયાન, એ પછી સાંજના સમયે મૃતકના પિયરીયાઓ દ્વારા શંકા સેવવામાં આવી હતી અને તેમણે પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. કરમસદ ખાતે તેનું પેનલ પીએમ કરાવ્યું હતુ. જેમાં તબીબ દ્વારા fatal pressure over the neck લખેલો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય શરીરના અન્ય ભાગ પર કોઇ ઇજા મળી નથી.
પીએસઆઇ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતુ કે તબીબે આપેલા રિપોર્ટને જોઇએ તો એવું કહી શકાય કે ગળાના ભાગે દબાણ આવવાથી મોત થયું છે. પરંતુ મોત કેવી રીતે થયુ છે એ હાલ તપાસનો વિષય છે. સમગ્ર બનાવ સંદર્ભે હાલમાં સાસરીપક્ષના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનામાં હાલમાં સાસરીયા પક્ષની પૂછપરછ શરૂ કરાઇ છે. મૃતકના પતિ ઉપરાંત તેના જેઠ-જેઠાણીની પૂછપરથ કરાઇ છે. પરંતુ તેઓ બાથરૂમમાં પડી જવાથી તેનુ મોત નીપજ્યુ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. મૃતકના સંતાનોએ જણાવ્યું હતુ કે તેઓ જ્યારે ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમની મમ્મી બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા.
આ મામલે મૃતકના ભાઇ ધવલભાઈ ગંગદેવે મિડીયાને જણાવ્યું હતુ કે ગત નવમી ડિસેમ્બરે મારા લગ્ન હતા.બીજી ડિસેમ્બરે જ મારી બહેન ભાણા-ભાણી સાથે આવી ગઇ હતી. અને લગ્ન પછીના બે દિવસ સુધી રોકાઇ હતી. પરંતુ મારા બનેવી લગ્નમાં જ આવ્યા ન હોતા. મારી બહેન અને મેં સતત ફોન કર્યા હતા. પરંતુ તેઓ ફોન ઉપાડતા જ નહોતા. બાદમાં તેમણે તેઓની તબિયત સારી ન હોતી એટલે તેઓ આવી શક્યા ન હોતા તેમ જણાવ્યું હતુ.
ઠક્કર ખમણ હાઉસ નામે વ્યવસાય કરતા વેપારીના પુત્રની 35 વર્ષીય પત્ની રોક્ષાનું શંકાસ્પદ મોત
ગળા પર દબાણ આવવાથી મૃત્યુ નીપજ્યુ હોવાનું જણાવાયું
બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યુ હોવાનું સાસરીયાપક્ષનું રટણ
WatchGujarat.આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ઠક્કર ખમણ હાઉસ નામે વ્યવસાય કરતા વેપારીના પુત્રની 35 વર્ષીય પત્ની રોક્ષા ઉર્ફે નિશાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતુ. આ મામલે સુરત સ્થિત રહેતા મૃતકના ભાઇની શંકાના આધારે પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતુ. જેમાં ગળા પર દબાણ આવવાથી મૃત્યુ નીપજ્યુ હોવાનું જણાવાયું છે . હાલમાં પોલીસ દ્વારા મૃતક પરિણીતાના સાસરીયાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જો કે તેણીના મોતને લઇને કોકડું હજુ પણ ગુંચવાયેલું જ છે.
આ અંગે વાત કરતા તપાસ અધિકારી પીએસઆઇ કે.એમ ચૌધરીએ જણાવ્યું હતુ કે મંગળવારે સવારે 10 વાગ્યે પત્નીનું ન્હાવા જતા સમયે બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાની ટેલિફોન વર્ધી બોરસદ પોલીસ મથકે મળી હતી. દરમિયાન, એ પછી સાંજના સમયે મૃતકના પિયરીયાઓ દ્વારા શંકા સેવવામાં આવી હતી અને તેમણે પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. કરમસદ ખાતે તેનું પેનલ પીએમ કરાવ્યું હતુ. જેમાં તબીબ દ્વારા fatal pressure over the neck લખેલો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય શરીરના અન્ય ભાગ પર કોઇ ઇજા મળી નથી.
પીએસઆઇ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતુ કે તબીબે આપેલા રિપોર્ટને જોઇએ તો એવું કહી શકાય કે ગળાના ભાગે દબાણ આવવાથી મોત થયું છે. પરંતુ મોત કેવી રીતે થયુ છે એ હાલ તપાસનો વિષય છે. સમગ્ર બનાવ સંદર્ભે હાલમાં સાસરીપક્ષના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનામાં હાલમાં સાસરીયા પક્ષની પૂછપરછ શરૂ કરાઇ છે. મૃતકના પતિ ઉપરાંત તેના જેઠ-જેઠાણીની પૂછપરથ કરાઇ છે. પરંતુ તેઓ બાથરૂમમાં પડી જવાથી તેનુ મોત નીપજ્યુ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. મૃતકના સંતાનોએ જણાવ્યું હતુ કે તેઓ જ્યારે ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમની મમ્મી બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા.
આ મામલે મૃતકના ભાઇ ધવલભાઈ ગંગદેવે મિડીયાને જણાવ્યું હતુ કે ગત નવમી ડિસેમ્બરે મારા લગ્ન હતા.બીજી ડિસેમ્બરે જ મારી બહેન ભાણા-ભાણી સાથે આવી ગઇ હતી. અને લગ્ન પછીના બે દિવસ સુધી રોકાઇ હતી. પરંતુ મારા બનેવી લગ્નમાં જ આવ્યા ન હોતા. મારી બહેન અને મેં સતત ફોન કર્યા હતા. પરંતુ તેઓ ફોન ઉપાડતા જ નહોતા. બાદમાં તેમણે તેઓની તબિયત સારી ન હોતી એટલે તેઓ આવી શક્યા ન હોતા તેમ જણાવ્યું હતુ.