ગટરના દૂષિત પાણીનું નિકાલ કરનાર સોસાયટીઓના બિલ્ડરો સામે પગલાં ભરવા ટીડીઓને રજુઆત
આદિવાસી સમાજ સ્મશાનમાં અંતિમવિધિ કર્યા બાદ ખાડીમાં ધાર્મિક વિધિ અને સ્નાન કરે છે
WatchGujarat. અંકલેશ્વરમાં ઉદ્યોગો બાદ પ્રદૂષણ મુદ્દે બિલ્ડરો પણ બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દઢાલ ગામે આદિવાસી સ્મશાન નજીકથી વહેતી ખાડીમાં આસપાસની સોસાયટીઓના બિલ્ડરોએ ડ્રેનેજનું ગેરકાયદે આપેલ જોડાણ અંગે તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વરના દઢાલ ગામ નજીક નિર્માણ પામેલી વિવિધ સોસાયટીઓના બિલ્ડરોએ ડ્રેનેજ લાઇન ગામની ખાડીમાં જોડી દૂષિત પાણી છોડી મુક્તા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામ નજીક ગ્રીન વેલી, સનસિટી સહિતની સોસાયટીના બિલ્ડરોએ પોતાની મનમાંની ચલાવી ગામની ખાડીમાં જ સોસાયટીઓની ડ્રેનેજ લાઇન જોડી દૂષિત પાણીનું નિકાલ કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે. જે સ્થળે પાણી છોડવામાં આવે છે ત્યાં આદિવાસી સમાજના લોકોનું સ્મશાન પણ આવેલું છે આદિવાસી સમાજના લોકો અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાડીમાં સ્નાન કરતાં હૉય છે પરંતુ ગટરનું દૂષિત પાણી ખાડીમાં ભળતા ખાડી પણ દૂષિત બની છે. જેને પગલે વર્ષોથી ખાડીના પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં હતા જે પાણી હાલ પીવા લાયક નહિ રહેતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.
તાજેતરમાં ખાડીનું દૂષિત પાણી અંગે સરકાર માન્ય ટેસ્ટિંગ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતા લેબોરેટરીનો રિપોર્ટમાં પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો આવ્યો છે ત્યારે આ અંગે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી બેજવાબદાર બિલ્ડરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સાથે ગટરના પાણીનો ખાડીમાં થતો નિકાલ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી છે. જો પગલાં નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આદિવાસી સમાજ સ્મશાનમાં અંતિમવિધિ કર્યા બાદ ખાડીમાં ધાર્મિક વિધિ અને સ્નાન કરે છે
WatchGujarat. અંકલેશ્વરમાં ઉદ્યોગો બાદ પ્રદૂષણ મુદ્દે બિલ્ડરો પણ બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દઢાલ ગામે આદિવાસી સ્મશાન નજીકથી વહેતી ખાડીમાં આસપાસની સોસાયટીઓના બિલ્ડરોએ ડ્રેનેજનું ગેરકાયદે આપેલ જોડાણ અંગે તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વરના દઢાલ ગામ નજીક નિર્માણ પામેલી વિવિધ સોસાયટીઓના બિલ્ડરોએ ડ્રેનેજ લાઇન ગામની ખાડીમાં જોડી દૂષિત પાણી છોડી મુક્તા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામ નજીક ગ્રીન વેલી, સનસિટી સહિતની સોસાયટીના બિલ્ડરોએ પોતાની મનમાંની ચલાવી ગામની ખાડીમાં જ સોસાયટીઓની ડ્રેનેજ લાઇન જોડી દૂષિત પાણીનું નિકાલ કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે. જે સ્થળે પાણી છોડવામાં આવે છે ત્યાં આદિવાસી સમાજના લોકોનું સ્મશાન પણ આવેલું છે આદિવાસી સમાજના લોકો અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ ખાડીમાં સ્નાન કરતાં હૉય છે પરંતુ ગટરનું દૂષિત પાણી ખાડીમાં ભળતા ખાડી પણ દૂષિત બની છે. જેને પગલે વર્ષોથી ખાડીના પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં હતા જે પાણી હાલ પીવા લાયક નહિ રહેતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.
તાજેતરમાં ખાડીનું દૂષિત પાણી અંગે સરકાર માન્ય ટેસ્ટિંગ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતા લેબોરેટરીનો રિપોર્ટમાં પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો આવ્યો છે ત્યારે આ અંગે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી બેજવાબદાર બિલ્ડરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સાથે ગટરના પાણીનો ખાડીમાં થતો નિકાલ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી છે. જો પગલાં નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.