બજારમાં બેફિકર ભીડની જીવન જરૂરી ચીજવસ્તુઓ નહિ પણ કોરોનાની ખરીદારી
કોસમડી ખાતે શનિવારી બજારમાં ન માસ્ક ન સોશ્યલ ડિસ્ટન્સ ખરીદારીમાં બિન્દાસ લોકોનું માસ સંક્રમણને ખુલ્લું નોતરું
WatchGujarat. કોરોનનાં વધતા જતા કેસો વચ્ચે પણ પ્રજામાં ગંભીરતા જોવા મળી રહી નથી. અંકલેશ્વરના કોસમડી ગામે ભરાયેલી શનિવારી બજારમાં ભીડ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર સંક્રમણને જાણે સામુહિક નોતરું આપી રહી હોય તેમ નજરે પડ્યું હતું.
https://youtu.be/DAK7T8dAoNE
ત્રીજી લહેર ફરી આંગણે દસ્તક દઈ રહી છે ત્યારે રાજ્યમાં વધતા કેસો છતાં પ્રજામાં હજી સભાનતા જોવા મળી રહી નથી. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો પ્રજા સરેઆમ છેડ ઉડાવી રહી હોય જેના ગંભીર પરિણામો આગામી સમયમાં આવી શકે છે. અંકલેશ્વરના કોસમડી ગામે શનિવારી બજાર ભરાઈ હતી. જેમાં શકભાજી, જીવન જરૂરિયાત, મોજશોખ સહિતની ચીજવસ્તુઓ સાથે નાના વેપારીઓએ ઠેલા અને બિછાના નાખી પડાવ નાખ્યો હતો.
રોજગારી અને રોજીરોટી માટે શનિવારીમાં છૂટક ધંધો કરતા લોકો SOP ગાઈડલાઈનનું પાલન નહિ કરી પોતાના જ વેપાર- ધંધા સાથે જીવને પણ જોખમમાં મૂકતા નજરે પડ્યા હતા.
આટલું ઓછું હોય તેમ ખરીદારી કરવા ઉમટેલી લોકોની ભીડ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ખરીદારી કરતા નજરે પડી હતી. ભરૂચ જિલ્લામાં પણ રોજે રોજ કેસો જેતગતિએ વધી રહ્યા છે ત્યારે પ્રજા નિયમોનું પાલન નહિ કરે તો તેઓ પોતાને અને જિલ્લાને ફરી ગંભીર મહામારીમાં ધકેલવાના કારણભૂત બની શકે છે.
બજારમાં બેફિકર ભીડની જીવન જરૂરી ચીજવસ્તુઓ નહિ પણ કોરોનાની ખરીદારી
કોસમડી ખાતે શનિવારી બજારમાં ન માસ્ક ન સોશ્યલ ડિસ્ટન્સ ખરીદારીમાં બિન્દાસ લોકોનું માસ સંક્રમણને ખુલ્લું નોતરું
WatchGujarat. કોરોનનાં વધતા જતા કેસો વચ્ચે પણ પ્રજામાં ગંભીરતા જોવા મળી રહી નથી. અંકલેશ્વરના કોસમડી ગામે ભરાયેલી શનિવારી બજારમાં ભીડ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર સંક્રમણને જાણે સામુહિક નોતરું આપી રહી હોય તેમ નજરે પડ્યું હતું.
ત્રીજી લહેર ફરી આંગણે દસ્તક દઈ રહી છે ત્યારે રાજ્યમાં વધતા કેસો છતાં પ્રજામાં હજી સભાનતા જોવા મળી રહી નથી. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો પ્રજા સરેઆમ છેડ ઉડાવી રહી હોય જેના ગંભીર પરિણામો આગામી સમયમાં આવી શકે છે. અંકલેશ્વરના કોસમડી ગામે શનિવારી બજાર ભરાઈ હતી. જેમાં શકભાજી, જીવન જરૂરિયાત, મોજશોખ સહિતની ચીજવસ્તુઓ સાથે નાના વેપારીઓએ ઠેલા અને બિછાના નાખી પડાવ નાખ્યો હતો.
રોજગારી અને રોજીરોટી માટે શનિવારીમાં છૂટક ધંધો કરતા લોકો SOP ગાઈડલાઈનનું પાલન નહિ કરી પોતાના જ વેપાર- ધંધા સાથે જીવને પણ જોખમમાં મૂકતા નજરે પડ્યા હતા.
આટલું ઓછું હોય તેમ ખરીદારી કરવા ઉમટેલી લોકોની ભીડ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ખરીદારી કરતા નજરે પડી હતી. ભરૂચ જિલ્લામાં પણ રોજે રોજ કેસો જેતગતિએ વધી રહ્યા છે ત્યારે પ્રજા નિયમોનું પાલન નહિ કરે તો તેઓ પોતાને અને જિલ્લાને ફરી ગંભીર મહામારીમાં ધકેલવાના કારણભૂત બની શકે છે.