અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજીની શોભા યાત્રા બળદ ગાડામાં નીકળી
માટીની મૂર્તિ સાથે બળદ ગાડામાં નીકળેલી વિસર્જન યાત્રા સાચા અર્થમાં ઇકો ફ્રેન્ડલી બની રહી
શણગારાયેલા બળદગાળામાં બિરાજમાન શ્રીગણેશાએ જમાવ્યું અનોખું આકર્ષણ
મોંઘા ઇંધણ અને ટ્રાન્સપોટેશનને લઈ બળદ ગાડામાં વિસર્જનને લઈ અનોખો સંદેશો પણ અપાયો
ભક્તો ને પેટ્રોલ -ડીઝલ ના ભાવ વધારા નું ગ્રહણ નડ્યું
WatchGujarat. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજીની શોભાયાત્રા બળદ ગાડામાં કાઢવામાં આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી. વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ વાહનો ના ભાડા માં વધારો થતા ગામજનોએ પોતાના જ બળદ ગાડામાં શ્રીજી ની વિસર્જન યાત્રા કાઢી હતી.
https://youtu.be/devqigV4wKI
ભરૂચના અંકલેશ્વરમાં ગણેશજીને મોંઘવારીમાં પિતાની સવારી નંદી ઉપર વાહન તરીકે વિસર્જન યાત્રામાં સવાર થવાની ફરજ પડી હતી. જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજી ની શોભા યાત્રા બળદ ગાડા નીકળી હતી. ભક્તો ને પેટ્રોલ -ડીઝલ ના ભાવ વધારા નું ગ્રહણ નડ્યું હતું. જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજી ની શોભા યાત્રા બળદ ગાડામાં કાઢવામાં આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી. વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ વાહનો ના ભાડા માં વધારો માંગતા મંડળ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગામજનો એ પોતાના જ બળદ ગાડામાં શ્રીજી ની વિસર્જન યાત્રા કાઢી હતી.
પેટ્રોલ ડીઝલ અને મોંઘવારી માં ધરખમ વધારો થતાં તેની અસર વિઘ્નહર્તા શ્રીજી વિસર્જન માં પણ ભક્તોને નદી હતી. ભરૂચમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ હર્ષોલ્લાસથી ભક્તોએ શ્રીજીનું વિસર્જન કરવા કૃત્રિમ તળાવ અને ગામમાં આવેલા તળાવમાં વિસર્જન કરવા પહોંચ્યા હતા. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શ્રીજી વિસર્જન કરવા માટે લોકોએ ટેમ્પો અથવા તો કોઈ પણ વાહન શ્રીજી સવારી કાઢતા હોય છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના કારણે ટેમ્પા જેવા વાહનો નો ભાડા માં ધરખમ વધારો થતાં તેની સીધી અસર ગણેશ વિસર્જન માટે નીકળતી શોભાયાત્રામાં જોવા મળી હતી. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ખાતે આવેલા બેટ ફળિયામાંથી શ્રીજીનું વિસર્જન ની શોભાયાત્રા બળદ ગાડી પર કાઢવામાં આવી હતી.
ભક્તોએ વધારે પડતા ભાડાના કારણે પોતાના વાહનો અને મોટર સાયકલ ,લારીઓ પર ગણેશજીનું વિસર્જન કરવા માટે સ્થળ પર આવતા દ્રશ્ય શહેર ભરમાં જોવા મળ્યા હતા. ત્યારે દેશમાં થયેલા પેટ્રોલ ડિઝલના ભાવની અસર શ્રીજી વિસર્જન પર પણ જોવા મળી હતી. બોરભાથા બેટના શ્રીજી સાચા અર્થમાં જ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા હતા. જેમાં મૂર્તિ પણ માટીની હતી અને વિસર્જનમાં વાહન પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યું હતું.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજીની શોભા યાત્રા બળદ ગાડામાં નીકળી
માટીની મૂર્તિ સાથે બળદ ગાડામાં નીકળેલી વિસર્જન યાત્રા સાચા અર્થમાં ઇકો ફ્રેન્ડલી બની રહી
મોંઘા ઇંધણ અને ટ્રાન્સપોટેશનને લઈ બળદ ગાડામાં વિસર્જનને લઈ અનોખો સંદેશો પણ અપાયો
ભક્તો ને પેટ્રોલ -ડીઝલ ના ભાવ વધારા નું ગ્રહણ નડ્યું
WatchGujarat. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજીની શોભાયાત્રા બળદ ગાડામાં કાઢવામાં આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી. વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ વાહનો ના ભાડા માં વધારો થતા ગામજનોએ પોતાના જ બળદ ગાડામાં શ્રીજી ની વિસર્જન યાત્રા કાઢી હતી.
ભરૂચના અંકલેશ્વરમાં ગણેશજીને મોંઘવારીમાં પિતાની સવારી નંદી ઉપર વાહન તરીકે વિસર્જન યાત્રામાં સવાર થવાની ફરજ પડી હતી. જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજી ની શોભા યાત્રા બળદ ગાડા નીકળી હતી. ભક્તો ને પેટ્રોલ -ડીઝલ ના ભાવ વધારા નું ગ્રહણ નડ્યું હતું. જૂના બોરભાઠા બેટ ગામ ખાતે શ્રીજી ની શોભા યાત્રા બળદ ગાડામાં કાઢવામાં આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી. વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ વાહનો ના ભાડા માં વધારો માંગતા મંડળ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગામજનો એ પોતાના જ બળદ ગાડામાં શ્રીજી ની વિસર્જન યાત્રા કાઢી હતી.
પેટ્રોલ ડીઝલ અને મોંઘવારી માં ધરખમ વધારો થતાં તેની અસર વિઘ્નહર્તા શ્રીજી વિસર્જન માં પણ ભક્તોને નદી હતી. ભરૂચમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ હર્ષોલ્લાસથી ભક્તોએ શ્રીજીનું વિસર્જન કરવા કૃત્રિમ તળાવ અને ગામમાં આવેલા તળાવમાં વિસર્જન કરવા પહોંચ્યા હતા. પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ શ્રીજી વિસર્જન કરવા માટે લોકોએ ટેમ્પો અથવા તો કોઈ પણ વાહન શ્રીજી સવારી કાઢતા હોય છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ના કારણે ટેમ્પા જેવા વાહનો નો ભાડા માં ધરખમ વધારો થતાં તેની સીધી અસર ગણેશ વિસર્જન માટે નીકળતી શોભાયાત્રામાં જોવા મળી હતી. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ખાતે આવેલા બેટ ફળિયામાંથી શ્રીજીનું વિસર્જન ની શોભાયાત્રા બળદ ગાડી પર કાઢવામાં આવી હતી.
ભક્તોએ વધારે પડતા ભાડાના કારણે પોતાના વાહનો અને મોટર સાયકલ ,લારીઓ પર ગણેશજીનું વિસર્જન કરવા માટે સ્થળ પર આવતા દ્રશ્ય શહેર ભરમાં જોવા મળ્યા હતા. ત્યારે દેશમાં થયેલા પેટ્રોલ ડિઝલના ભાવની અસર શ્રીજી વિસર્જન પર પણ જોવા મળી હતી. બોરભાથા બેટના શ્રીજી સાચા અર્થમાં જ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા હતા. જેમાં મૂર્તિ પણ માટીની હતી અને વિસર્જનમાં વાહન પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યું હતું.