સારંગપુરની આદર્શનગરમાં પરપ્રાંતીય પતિએ પત્નીને મૂઢ માર મારતા મોત
પતિના મારથી પત્નીને મોઢા, ગળા અને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ થતા મોતને ભેટી
GIDC પોલીસે હત્યારા ફરાર પતિને ઝડપી પાડવા ટીમ રવાના કરી
WatchGujarat. અંકલેશ્વરમાં આડા સંબંધની શંકામાં જલ્લાદ બનેલા પરપ્રાંતીય પતિએ ગળા અને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી પત્નીનો જીવ લીધો હતો. સારંગપુરની આદર્શનગરમાં પત્નીને મૂઢ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિના મારથી પત્નીને મોઢા, ગળા અને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યુ હતું. જીઆઇડીસી પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવાના ટીમ રવાના કરી હતી.
ભરૂચ જિલ્લામાં 2022 ના વર્ષની પ્રથમ હત્યાની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર પાસે આવેલા આદર્શ નગરમાં રહેતા સદામ હુસેન સમસુલહુદા ચૌધરી એ તારીખ 8 મી જાન્યુઆરી શનિવારના રોજ વહેલી સવારના અરસામાં પોતાની 25 વર્ષીય પત્ની મોબસેરા ખાતુન ચૌધરીને આડા સંબંધની શંકા રાખી માર માર્યો હતો.
વહેમમાં જલ્લાદ બનેલા પતિ સદામહુસેન દ્વારા પત્ની મોબસેરા ખાતુનને મોઢા, ગળા અને ગુપ્ત ભાગે મુંઢ માર માર્યો હતો. પતિની અસહ્ય ક્રૂરતા સામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોબસેરા ખાતુનનું મોત નીપજ્યું હતું .બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતક મોબસેરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી હતી.
ફરાર હત્યારા પતિ સદ્દામ હુસેન ચૌધરી વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવાના માટે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પોલીસ દ્વારા મહિલા લનું પેનલ પી.એમ કરાવી મહિલાનું મોત ક્યાં કારણથી થયું તેની સાયન્ટિફિક તપાસ સાથે ઘટના સ્થળ પર ફોરેન્સિક તપાસ શરુ કરી હતી.
- સારંગપુરની આદર્શનગરમાં પરપ્રાંતીય પતિએ પત્નીને મૂઢ માર મારતા મોત
- પતિના મારથી પત્નીને મોઢા, ગળા અને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ થતા મોતને ભેટી
- GIDC પોલીસે હત્યારા ફરાર પતિને ઝડપી પાડવા ટીમ રવાના કરી
WatchGujarat. અંકલેશ્વરમાં આડા સંબંધની શંકામાં જલ્લાદ બનેલા પરપ્રાંતીય પતિએ ગળા અને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી પત્નીનો જીવ લીધો હતો. સારંગપુરની આદર્શનગરમાં પત્નીને મૂઢ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિના મારથી પત્નીને મોઢા, ગળા અને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યુ હતું. જીઆઇડીસી પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવાના ટીમ રવાના કરી હતી.
ભરૂચ જિલ્લામાં 2022 ના વર્ષની પ્રથમ હત્યાની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર પાસે આવેલા આદર્શ નગરમાં રહેતા સદામ હુસેન સમસુલહુદા ચૌધરી એ તારીખ 8 મી જાન્યુઆરી શનિવારના રોજ વહેલી સવારના અરસામાં પોતાની 25 વર્ષીય પત્ની મોબસેરા ખાતુન ચૌધરીને આડા સંબંધની શંકા રાખી માર માર્યો હતો.
વહેમમાં જલ્લાદ બનેલા પતિ સદામહુસેન દ્વારા પત્ની મોબસેરા ખાતુનને મોઢા, ગળા અને ગુપ્ત ભાગે મુંઢ માર માર્યો હતો. પતિની અસહ્ય ક્રૂરતા સામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોબસેરા ખાતુનનું મોત નીપજ્યું હતું .બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતક મોબસેરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી હતી.
ફરાર હત્યારા પતિ સદ્દામ હુસેન ચૌધરી વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવાના માટે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પોલીસ દ્વારા મહિલા લનું પેનલ પી.એમ કરાવી મહિલાનું મોત ક્યાં કારણથી થયું તેની સાયન્ટિફિક તપાસ સાથે ઘટના સ્થળ પર ફોરેન્સિક તપાસ શરુ કરી હતી.