બાકરોલ ગામની સીમમાં બનેલી ઘટના, મોરને ખોરાક બનાવવા જતા દીપડા અને બચાવવા જતા મોર, બન્નેનો જીવ ગયો
વનવિભાગે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અંતિમવિધિની તજવીજ હાથ ધરી
WatchGujarat.અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં શિકારી દીપડો અને બચવા જતા મોર બન્ને વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દીપડો અને મોરનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેસેલો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા ક્યાંકથી ત્રાટકેલા દીપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા.
વીજ કરંટ લાગવાથી મોતને ભેટેલા બન્ને શિડયુલ એકના પ્રાણી અને પક્ષીના મૃતદેહ વન વિભાગે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી. અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરી હતી. વીજ થાંભલા ઉપર ચઢવા જતા દીપડો જીવંત વીજ તારને અડકી જતા જમીન ઉપર પટકાયો હતો. જ્યાં સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે મોર પણ પોતાનો જીવ બચાવવા જતા વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો હતો.
- બાકરોલ ગામની સીમમાં બનેલી ઘટના, મોરને ખોરાક બનાવવા જતા દીપડા અને બચાવવા જતા મોર, બન્નેનો જીવ ગયો
- વનવિભાગે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અંતિમવિધિની તજવીજ હાથ ધરી
WatchGujarat.અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં શિકારી દીપડો અને બચવા જતા મોર બન્ને વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દીપડો અને મોરનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેસેલો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા ક્યાંકથી ત્રાટકેલા દીપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા.
વીજ કરંટ લાગવાથી મોતને ભેટેલા બન્ને શિડયુલ એકના પ્રાણી અને પક્ષીના મૃતદેહ વન વિભાગે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી. અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરી હતી. વીજ થાંભલા ઉપર ચઢવા જતા દીપડો જીવંત વીજ તારને અડકી જતા જમીન ઉપર પટકાયો હતો. જ્યાં સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે મોર પણ પોતાનો જીવ બચાવવા જતા વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો હતો.