પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી
ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે વડોદરામાં પંચ જળ સેતું પ્રોજેક્ટ શરૂ કરાયો હતો
વડોદરા જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ તથા કલેકટર અતુલ ગોરને નવી દિલ્હી ખાતે પુરસ્કાર એનાયત કરાયો
WatchGujarat. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2020ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ હતી.
નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ તથા કલેકટર અતુલ ગોરને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે 1100 બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે. જેને વર્ષ 2050 સુધીમાં 1447 બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે. એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 18 ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા, વ્યક્તિઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2018 થી વિવિધ 11 કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.
પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે. આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ, સૌનો વિકાસનું પ્રધાનમંત્રીનું સૂત્ર સાકાર કર્યું હતું. પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે. તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે. વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે.
આયોજનની અન્ય કડીઓ
વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની 1000 થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા
જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન
સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની 22 ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક 355 યુનિટ જેટલું વીજ ઉત્પાદન
આ વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો
સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો, ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ
હયાત તળાવો ઉંડા કરવા, નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનો
ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન
લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણથી જળ સંરક્ષણની જાગૃતિના આયામ
આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને માન.પ્રધાનમંત્રીએ તેમના રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તથા નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો. વડોદરા જિલ્લાને 2019 માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરીમાં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે વડોદરામાં પંચ જળ સેતું પ્રોજેક્ટ શરૂ કરાયો હતો
વડોદરા જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ તથા કલેકટર અતુલ ગોરને નવી દિલ્હી ખાતે પુરસ્કાર એનાયત કરાયો
WatchGujarat. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2020ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ હતી.
નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ તથા કલેકટર અતુલ ગોરને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. પાણી એ જીવનનું મૂળ છે. ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે 1100 બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે. જેને વર્ષ 2050 સુધીમાં 1447 બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે. એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 18 ટકા લોકો રહે છે. જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા, વ્યક્તિઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2018 થી વિવિધ 11 કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.
પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે. આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ, સૌનો વિકાસનું પ્રધાનમંત્રીનું સૂત્ર સાકાર કર્યું હતું. પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે. તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે. વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે.
આયોજનની અન્ય કડીઓ
વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની 1000 થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા
જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન
સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની 22 ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક 355 યુનિટ જેટલું વીજ ઉત્પાદન
આ વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો
સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો, ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ
હયાત તળાવો ઉંડા કરવા, નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનો
ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન
લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણથી જળ સંરક્ષણની જાગૃતિના આયામ
આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને માન.પ્રધાનમંત્રીએ તેમના રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તથા નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો. વડોદરા જિલ્લાને 2019 માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરીમાં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.