તક્ષશિલા હોનારતમાં 15થી વધુ બાળકોના જીવ બચાવનાર યુવકને નોટીસ
બેંક તરફથી મળી રહી છે ઘર ખાલી કરવાની નોટિસ
પરિવારની આર્થિક સ્થિતિ પણ થઇ કફોડી
WatchGujarat.તક્ષશિલા નું નામ આવે એટલે સુરતના એ કાળા દિવસની યાદ તાજી થઇ જાય જે દુર્ઘટનામાં 22 માસૂમોનાં જીવ ગયા હતા. આગથી બચવા માટે ચાર માળની તક્ષશિલા બિલ્ડિંગમાંથી ટપોટપ કુદતા અને બિલ્ડિંગના એ માળ પર જીવતા હોમાઈ ગયેલા નિર્દોષ ભુલકાંઓના એ દ્રશ્યો યાદ કરતા આજે પણ આંખ ભીની થઇ જાય. પોતાના વ્હાલસોયાઓને ગુમાવનારા પરિવારો આજે પણ એ સદમામાંથી બહાર આવી શક્યા નથી. જોકે આ પરિવારો એકલા નથી, જે પરિવારોના સંતાનોના જીવ બચ્યા છે એ પણ જીવતી લાશ સમાન જિંદગી ગુજારવા મજબુર બન્યા છે.
આવો જ એક પરિવાર છે નાકરાણી પરિવાર. સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા ભરતભાઈ નાકરાણીનો જુવાનજોધ દીકરો જતીન નાકરાણી પણ આ જ બિલ્ડિંગમાં ફેશન ડિઝાઇનિંગમાં ક્રિયેટિવ હેડ તરીકે બાળકોને અભ્યાસ કરાવતો હતો. 23 મે 2019ના આજના જ દિવસે જયારે આ ઇમારતમાં આગ લાગી હતી ત્યારે જતીન પણ આ જ બિલ્ડિંગમાં હતો. પછી શું થયું એ તેના પિતાના શબ્દોમાં વાંચીએ.
ભરત નાકરાણી (જતીનના પિતા)એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે જતીન મારા ઘરે મોટો દીકરો છે. મારે બીજી બે દીકરીઓ હતી. જેના હાલમાં જ અમે કોરોના સમયમાં લગ્ન કર્યા છે. જતીન કમાનાર દીકરો હોવાના નાતે ઘરનો બધો આર્થિક વહીવટ તેના હાથમાં હતો. ઘર ગીરવે મૂકીને જતીને તક્ષશિલામાં ફેશન ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટે આખો માળ લોન પર લઈને ભાડેથી લીધો હતો. બધું બરાબર ચાલતું હતું અને આ ઘટના બની. જતીનને એ દિવસે બહારથી ખબર પડી કે બિલ્ડિંગમાં આગ લાગી છે. તેણે સૌથી પહેલા તેના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા. તે પછી તે તેના જીવની ચિંતા કરવાને બદલે બીજા માળે એલોહાણા ક્લાસીસમાં ગયો, જ્યાંથી પણ તેણે વિધાર્થીઓને બહાર કાઢ્યા. આગ ઉપરના માળ સુધી પ્રસરતી રહી હતી. જતીન ધારતે તો તે અહીંથી પોતાનો જીવ બચાવવા ભાગી શકતે. પણ તેણે તેવું ન કર્યું.
જ્યાંથી ફક્ત મોત જ દેખાતું હતું એ તક્ષશિલાના ત્રીજા માળે ગયો. જ્યાં મોતનું તાંડવ ખેલાવાની તૈયારી હતી. જતીને ત્યાં વિદ્યાર્થીઓને એલર્ટ કર્યા, અને વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે તેણે કાચ તોડ્યા, એક પછી એક વિદ્યાર્થીઓને તેણે ત્યાંથી પણ બહાર કાઢ્યા, જયારે આગ વધુ પ્રસરી ચુકી હતી, અને અન્ય બિદ્યાર્થીઓને આગે ચપેટમાં લઇ લીધા હતા, ત્યારે જતીને પણ છેલ્લે પોતાનો જીવ બચાવવા બારીની બહાર કૂદકો માર્યો. આ દરમ્યાન જતીનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી. અને તેને બ્રેઈન હેમરેજ થઇ ગયું.
ખાનગી હોસ્પિટલમાં લગભગ છ મહિના કરતા પણ વધુ સારવાર ચાલી. જતીન જીવતી લાશ બનીને રહ્યો હતો. છ મહિનાની સારવાર પછી આજે જયારે જતીન તેના પરિવાર સાથે રહી રહ્યો છે છતાં એક એક દિવસ તેના પરિવારને તે દિવસની યાદ અપાવતો હોય તે રીતે જ જીવે છે. કારણ કે જતીન એ દિવસની ઘટના પછી ભૂતકાળનું બધું જ ભૂલી ચુક્યો છે. એટલું જ નહીં તે પોતાના માતા પિતાને ફક્ત ઓળખી શકે છે પણ યાદ રાખી શકતો નથી. જોકે તક્ષશિલાના એ દિવસને યાદ કરીને તે ગભરાઈ જાય છે. ક્યારેક ઊંઘમાં તે ચીસિયારી પાડીને ઉઠી પણ જાય છે.
શું છે પરિવારની આર્થિક સ્થિતિ ?
જતીનના પિતાના જણાવ્યા પ્રમાણે જતીને ઘર ગીરવે મુકેલી જે લોન લીધી હતી, તે નાણાં ચૂકવી નહીં શકતા બેન્ક દ્વારા ઘરની બહાર નોટિસો આપવામાં આવી રહી છે. ઘર ગમે તે ઘડીએ ખાલી કરવું પડે તેવી હાલત છે. ઘરમાં કમાનાર એકમાત્ર જતીન હોવાથી પરિવારના અન્ય સભ્યો હવે નિઃસહાય થઇ ગયા છે. જે કંઈ મદદ મળે તેનાથી ઘર ચાલ્યા કરે છે. જોકે આ હાલતમા પરિવારે જતીનની કાળજી લેવાનું છોડ્યું નથી. માતા પિતા જેને હાલ સંભાળની જરૂર છે, તે માતા પિતા જતીનને નિયમિત કસરત કરાવે છે. તેપ પહેલા જેવા જ જતીનને જોવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
એક તરફ ઘર છોડાવવા માટે લોનની ચુકવણી કરવાની છે, તો બીજી બાજુ જતીનને સાજો કરવા માટે હજી એક ઓપરેશન ની જરૂર છે, જેના નાના માટે તેઓ મદદ પણ શોધી રહ્યા છે. જતીનની યાદશકિત માટે હજી તેના મગજનું એક ઓપરેશન બાકી છે, તેના આંખ માટે પણ હજી એક સર્જરી જરૂરી છે, જેના માટે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાની જરૂર છે. આટલા રૂપિયા ક્યાંથી આવશે આ પરિવારને નથી ખબર. પણ પ્રશ્ન એક ઉપસ્થિત થાય કે તક્ષશિલા જેવી દુર્ઘટનામાં પોતાના જીવની પરવા કર્યા વિના બીજા 15 થી 17 માસૂમોનાં જીવ બચાવનાર આ અનસીન હીરોને ભલે કોઈ બહાદુરી પુરસ્કાર સરકાર તરફથી ન મળે, પણ આ ઘટનાને ભૂલી જઈ દોજખની જિંદગી જીવવા મજબુર બનનાર આવા યુવાનોને ભૂલી જવું માનવતાની દ્રષ્ટિએ કેટલું યોગ્ય કહેવાય ? એ સવાલનો જવાબ આ સંવેદનશીલ સરકારે આપવો જ રહ્યો.
તક્ષશિલા હોનારતમાં 15થી વધુ બાળકોના જીવ બચાવનાર યુવકને નોટીસ
બેંક તરફથી મળી રહી છે ઘર ખાલી કરવાની નોટિસ
પરિવારની આર્થિક સ્થિતિ પણ થઇ કફોડી
WatchGujarat.તક્ષશિલા નું નામ આવે એટલે સુરતના એ કાળા દિવસની યાદ તાજી થઇ જાય જે દુર્ઘટનામાં 22 માસૂમોનાં જીવ ગયા હતા. આગથી બચવા માટે ચાર માળની તક્ષશિલા બિલ્ડિંગમાંથી ટપોટપ કુદતા અને બિલ્ડિંગના એ માળ પર જીવતા હોમાઈ ગયેલા નિર્દોષ ભુલકાંઓના એ દ્રશ્યો યાદ કરતા આજે પણ આંખ ભીની થઇ જાય. પોતાના વ્હાલસોયાઓને ગુમાવનારા પરિવારો આજે પણ એ સદમામાંથી બહાર આવી શક્યા નથી. જોકે આ પરિવારો એકલા નથી, જે પરિવારોના સંતાનોના જીવ બચ્યા છે એ પણ જીવતી લાશ સમાન જિંદગી ગુજારવા મજબુર બન્યા છે.
આવો જ એક પરિવાર છે નાકરાણી પરિવાર. સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા ભરતભાઈ નાકરાણીનો જુવાનજોધ દીકરો જતીન નાકરાણી પણ આ જ બિલ્ડિંગમાં ફેશન ડિઝાઇનિંગમાં ક્રિયેટિવ હેડ તરીકે બાળકોને અભ્યાસ કરાવતો હતો. 23 મે 2019ના આજના જ દિવસે જયારે આ ઇમારતમાં આગ લાગી હતી ત્યારે જતીન પણ આ જ બિલ્ડિંગમાં હતો. પછી શું થયું એ તેના પિતાના શબ્દોમાં વાંચીએ.
ભરત નાકરાણી (જતીનના પિતા)એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે જતીન મારા ઘરે મોટો દીકરો છે. મારે બીજી બે દીકરીઓ હતી. જેના હાલમાં જ અમે કોરોના સમયમાં લગ્ન કર્યા છે. જતીન કમાનાર દીકરો હોવાના નાતે ઘરનો બધો આર્થિક વહીવટ તેના હાથમાં હતો. ઘર ગીરવે મૂકીને જતીને તક્ષશિલામાં ફેશન ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટે આખો માળ લોન પર લઈને ભાડેથી લીધો હતો. બધું બરાબર ચાલતું હતું અને આ ઘટના બની. જતીનને એ દિવસે બહારથી ખબર પડી કે બિલ્ડિંગમાં આગ લાગી છે. તેણે સૌથી પહેલા તેના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા. તે પછી તે તેના જીવની ચિંતા કરવાને બદલે બીજા માળે એલોહાણા ક્લાસીસમાં ગયો, જ્યાંથી પણ તેણે વિધાર્થીઓને બહાર કાઢ્યા. આગ ઉપરના માળ સુધી પ્રસરતી રહી હતી. જતીન ધારતે તો તે અહીંથી પોતાનો જીવ બચાવવા ભાગી શકતે. પણ તેણે તેવું ન કર્યું.
જ્યાંથી ફક્ત મોત જ દેખાતું હતું એ તક્ષશિલાના ત્રીજા માળે ગયો. જ્યાં મોતનું તાંડવ ખેલાવાની તૈયારી હતી. જતીને ત્યાં વિદ્યાર્થીઓને એલર્ટ કર્યા, અને વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે તેણે કાચ તોડ્યા, એક પછી એક વિદ્યાર્થીઓને તેણે ત્યાંથી પણ બહાર કાઢ્યા, જયારે આગ વધુ પ્રસરી ચુકી હતી, અને અન્ય બિદ્યાર્થીઓને આગે ચપેટમાં લઇ લીધા હતા, ત્યારે જતીને પણ છેલ્લે પોતાનો જીવ બચાવવા બારીની બહાર કૂદકો માર્યો. આ દરમ્યાન જતીનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી. અને તેને બ્રેઈન હેમરેજ થઇ ગયું.
ખાનગી હોસ્પિટલમાં લગભગ છ મહિના કરતા પણ વધુ સારવાર ચાલી. જતીન જીવતી લાશ બનીને રહ્યો હતો. છ મહિનાની સારવાર પછી આજે જયારે જતીન તેના પરિવાર સાથે રહી રહ્યો છે છતાં એક એક દિવસ તેના પરિવારને તે દિવસની યાદ અપાવતો હોય તે રીતે જ જીવે છે. કારણ કે જતીન એ દિવસની ઘટના પછી ભૂતકાળનું બધું જ ભૂલી ચુક્યો છે. એટલું જ નહીં તે પોતાના માતા પિતાને ફક્ત ઓળખી શકે છે પણ યાદ રાખી શકતો નથી. જોકે તક્ષશિલાના એ દિવસને યાદ કરીને તે ગભરાઈ જાય છે. ક્યારેક ઊંઘમાં તે ચીસિયારી પાડીને ઉઠી પણ જાય છે.
શું છે પરિવારની આર્થિક સ્થિતિ ?
જતીનના પિતાના જણાવ્યા પ્રમાણે જતીને ઘર ગીરવે મુકેલી જે લોન લીધી હતી, તે નાણાં ચૂકવી નહીં શકતા બેન્ક દ્વારા ઘરની બહાર નોટિસો આપવામાં આવી રહી છે. ઘર ગમે તે ઘડીએ ખાલી કરવું પડે તેવી હાલત છે. ઘરમાં કમાનાર એકમાત્ર જતીન હોવાથી પરિવારના અન્ય સભ્યો હવે નિઃસહાય થઇ ગયા છે. જે કંઈ મદદ મળે તેનાથી ઘર ચાલ્યા કરે છે. જોકે આ હાલતમા પરિવારે જતીનની કાળજી લેવાનું છોડ્યું નથી. માતા પિતા જેને હાલ સંભાળની જરૂર છે, તે માતા પિતા જતીનને નિયમિત કસરત કરાવે છે. તેપ પહેલા જેવા જ જતીનને જોવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
એક તરફ ઘર છોડાવવા માટે લોનની ચુકવણી કરવાની છે, તો બીજી બાજુ જતીનને સાજો કરવા માટે હજી એક ઓપરેશન ની જરૂર છે, જેના નાના માટે તેઓ મદદ પણ શોધી રહ્યા છે. જતીનની યાદશકિત માટે હજી તેના મગજનું એક ઓપરેશન બાકી છે, તેના આંખ માટે પણ હજી એક સર્જરી જરૂરી છે, જેના માટે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાની જરૂર છે. આટલા રૂપિયા ક્યાંથી આવશે આ પરિવારને નથી ખબર. પણ પ્રશ્ન એક ઉપસ્થિત થાય કે તક્ષશિલા જેવી દુર્ઘટનામાં પોતાના જીવની પરવા કર્યા વિના બીજા 15 થી 17 માસૂમોનાં જીવ બચાવનાર આ અનસીન હીરોને ભલે કોઈ બહાદુરી પુરસ્કાર સરકાર તરફથી ન મળે, પણ આ ઘટનાને ભૂલી જઈ દોજખની જિંદગી જીવવા મજબુર બનનાર આવા યુવાનોને ભૂલી જવું માનવતાની દ્રષ્ટિએ કેટલું યોગ્ય કહેવાય ? એ સવાલનો જવાબ આ સંવેદનશીલ સરકારે આપવો જ રહ્યો.