બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે
બરોડા ડેરી સામે બાયો ચડાવનાર કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું
બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શનમાં આવ્યા, ધારાસભ્ય કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી
પક્ષમાં વિરોધનો વંટોળ ના ફૂંકાય તે માટે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે
WatchGujarat. વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે. ત્યારે વડોદરાના દૂધ ઉત્પાદકોના આંદોલનના પ્રત્યાઘાત હવે છેક ગાંધીનગર જઈને પહોંચ્યા છે. બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શનમાં આવ્યા છે. સી. આર. પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. આવતીકાલ સુધીમાં ભાવફેરને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે.
બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એક્શનમાં આવ્યા છે. બરોડા ડેરીના વિવાદ મામલે સી.આર.પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. ત્યારે હવે કેતન ઈનામદાર સહિના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય કેતન ઈનામદાર સહિત જિલ્લા ભાજપના ધારાસભ્યો આજે સાંજે કે સી આર પાટીલ સાથે મુલાકાત કરશે. આ વાતને કેતન ઈનામદારે સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે બરોડા ડેરી સામે બાયો ચડાવવા ધારાસભ્યોની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળવા પામી હતી. જે અંગે મંજૂરી ન હોવા છતાં 50થી વધુ પશુપાલકો સમર્થન માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ડેરી વિરુદ્ધ લડત ચલાવવા રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ પક્ષમાં વિરોધનો વંટોળ ના ફૂંકાય તે માટે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. હવે પ્રદેશ અધ્યક્ષ સાથે આ મુદ્દે બેઠક મળવા પામશે. જેમાં કેતન ઈનામદાર સહિતના જિલ્લા ભાજપના ધારાસભ્યો ગાંધીનગર જઈ આ મામલે રજૂઆત કરશે. આ અંગે વાત કરતાં કેતન ઈનામદારે મીડિયાને જણાવ્યું હતું કે, અમારી વાત વિસ્તૃતવાર પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચી છે. જેથી હવે સારા પરિણામ આવે તેવી આશા છે. મને વિશ્વાસ છે કે દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવાની અમારી માંગણી પર ગાંધીનગરમાં બેઠકથી અમને સારૂ પરિણામ મળશે. જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ જાતે જ આ મામલે બેઠક કરે ત્યારે અમને વિશ્વાસ છે કે પરિણામ સારૂ જ આવશે.
કેતન ઈનામદારે વધુમાં જણાવ્યું હતું કે, અમારી આ લડતનો અંત માત્ર સારૂ પરિણામ જ છે. ડેરીના સત્તાધીશો જાડી ચામડીના માણસો છે. પ્રદેશ અધ્યક્ષ સાથેની બેઠક પછી પણ જો દૂધ ઉત્પાદકોને ભાવફેર નહીં મળે તો અમારી આ લડત અવિરત ચાલું જ રહેશે. પરિણામ સિવાય તેનો અંત નથી. આ ગૂરૂવારે સવારે વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પશુ પાલકો હલ્લાબોલનો કાર્યક્રમ કરશે અને ના ભતો ના ભવિષ્યતી બરોડા ડેરીની વિરોધમાં પશુપાલકો આવશે. મહત્વનું છે કે બરોડા ડેરીમાં દૂધના ભાવફેર રકમની ચુકવણી મુદ્દે પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી વિરુદ્ધ લડત ચલાવવા મેદાનમાં ઉતર્યા છે. તેમના સમર્થનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, શૈલેષભાઈ મહેતા પણ જોડાયા છે. હવે આ સમગ્ર મામલો મોવડીમંડળ સુધી પહોંચતા આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી શકે છે. હાલ કેતન ઇનામદારને સી.આર.પાટીલ તરફથી આશ્વાસન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે
બરોડા ડેરી સામે બાયો ચડાવનાર કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું
બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શનમાં આવ્યા, ધારાસભ્ય કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી
પક્ષમાં વિરોધનો વંટોળ ના ફૂંકાય તે માટે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે
WatchGujarat. વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે. ત્યારે વડોદરાના દૂધ ઉત્પાદકોના આંદોલનના પ્રત્યાઘાત હવે છેક ગાંધીનગર જઈને પહોંચ્યા છે. બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શનમાં આવ્યા છે. સી. આર. પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. આવતીકાલ સુધીમાં ભાવફેરને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે.
બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એક્શનમાં આવ્યા છે. બરોડા ડેરીના વિવાદ મામલે સી.આર.પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. ત્યારે હવે કેતન ઈનામદાર સહિના ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય કેતન ઈનામદાર સહિત જિલ્લા ભાજપના ધારાસભ્યો આજે સાંજે કે સી આર પાટીલ સાથે મુલાકાત કરશે. આ વાતને કેતન ઈનામદારે સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે બરોડા ડેરી સામે બાયો ચડાવવા ધારાસભ્યોની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળવા પામી હતી. જે અંગે મંજૂરી ન હોવા છતાં 50થી વધુ પશુપાલકો સમર્થન માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ડેરી વિરુદ્ધ લડત ચલાવવા રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ પક્ષમાં વિરોધનો વંટોળ ના ફૂંકાય તે માટે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. હવે પ્રદેશ અધ્યક્ષ સાથે આ મુદ્દે બેઠક મળવા પામશે. જેમાં કેતન ઈનામદાર સહિતના જિલ્લા ભાજપના ધારાસભ્યો ગાંધીનગર જઈ આ મામલે રજૂઆત કરશે. આ અંગે વાત કરતાં કેતન ઈનામદારે મીડિયાને જણાવ્યું હતું કે, અમારી વાત વિસ્તૃતવાર પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચી છે. જેથી હવે સારા પરિણામ આવે તેવી આશા છે. મને વિશ્વાસ છે કે દૂધ ઉત્પાદકોને ભાવફેર આપવાની અમારી માંગણી પર ગાંધીનગરમાં બેઠકથી અમને સારૂ પરિણામ મળશે. જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ જાતે જ આ મામલે બેઠક કરે ત્યારે અમને વિશ્વાસ છે કે પરિણામ સારૂ જ આવશે.
કેતન ઈનામદારે વધુમાં જણાવ્યું હતું કે, અમારી આ લડતનો અંત માત્ર સારૂ પરિણામ જ છે. ડેરીના સત્તાધીશો જાડી ચામડીના માણસો છે. પ્રદેશ અધ્યક્ષ સાથેની બેઠક પછી પણ જો દૂધ ઉત્પાદકોને ભાવફેર નહીં મળે તો અમારી આ લડત અવિરત ચાલું જ રહેશે. પરિણામ સિવાય તેનો અંત નથી. આ ગૂરૂવારે સવારે વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પશુ પાલકો હલ્લાબોલનો કાર્યક્રમ કરશે અને ના ભતો ના ભવિષ્યતી બરોડા ડેરીની વિરોધમાં પશુપાલકો આવશે. મહત્વનું છે કે બરોડા ડેરીમાં દૂધના ભાવફેર રકમની ચુકવણી મુદ્દે પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી વિરુદ્ધ લડત ચલાવવા મેદાનમાં ઉતર્યા છે. તેમના સમર્થનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, શૈલેષભાઈ મહેતા પણ જોડાયા છે. હવે આ સમગ્ર મામલો મોવડીમંડળ સુધી પહોંચતા આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી શકે છે. હાલ કેતન ઇનામદારને સી.આર.પાટીલ તરફથી આશ્વાસન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.