કેવડિયા એરોડ્રોમ ખાતે 24 કલાક 15 સુરક્ષા જવાનોનો પહેરો, પ્રવાસીઓ માત્ર લટાર મારી ફરતા પરત
ક્યારે ફરી સાબરમતી અને કેવડિયા વચ્ચે સી-પ્લેન ઉડાન ભરશે, અનિશ્ચિતતાઓ હજી અકબંધ
કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલા બનેલા વોટર એરોડ્રામ પાછળ હજુ કેટલો ખર્ચ
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2 વર્ષ પહેલાં 50 વર્ષ જુના સી-પ્લેનથી શરૂ કરાયેલી દેશની પેહલી સી-પ્લેન સર્વિસ એક વર્ષથી બંધ છે. કેવડિયા SOU અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે ફરી ક્યારે સી-પ્લેન ઉડાન ભરશે તેના ઉપર અનિશ્ચિતતા હજી અકબંધ છે. આવા સમયે કેવડિયા વોટર એરોડ્રોમને અપાઈ રહેલા નવા રંગરૂપથી પ્રવાસીઓની ઉત્સુકતા વધી છે. વોટર એરોડ્રોમની સુરક્ષા માટે 24 કલાક 15 જવાનો તહેનાત રહે છે ત્યારે સી-પ્લેન ફરી તેની સફર ક્યારે શરૂ કરે છે તેના પર પ્રવાસીઓ નજર કેન્દ્રિત કરી બેઠા છે.
SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરી હતી. દેશની પેહલી સી પ્લેન સર્વિસ છેલ્લા એક વર્ષથી માલદીવ્સમાં 50 વર્ષ જૂનું પ્લેન મેઇન્ટેનન્સ લઈ રહ્યું હોય બંધ છે. ત્યારે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફરી સી પ્લેન તેની સફર ખેડશે કે નહીં.
સી પ્લેન ક્યારે શરૂ થશે ની અટકળો વચ્ચે કેવડીયા વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. સુના પડેલા વોટર એરોડ્રોમ ખાતે હાલ નવી છત, પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. હાલ આ વોટર એરોડ્રામને નવા રૂપરંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે. જે જગ્યાએ ફ્લાઇટ આવતી ન હોવા છતાં 24 કલાક 15 જેટલા સુરક્ષાકર્મી ફરજ બજાવી રહયા છે.
SOU ના આ વોટર એરોડ્રામને જોવા હાલ તો માત્ર પ્રવાસીઓ આવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2020ના દિવસે કેવડિયા થી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે જૂના પ્લેન સાથે સી પ્લેન સેવાનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ મોટર માર્ગે તો આવી શકે છે ત્યારે તેઓ સમય બગડ્યા વગર ઝડપથી હવાઈ માર્ગે પણ આવે તે માટે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી.
સી પ્લેનને પ્રવાસીઓનો મોટી સંખ્યામાં પ્રતિસાદ જોઈએ તે તો મળ્યો ન હતો તેવામાં સી પ્લેનના મેન્ટેનન્સ માટે અમુક કલાક ઉડાન બાદ તેને મેન્ટેનન્સ ની જરૂરિયાત વર્તાતી હતી. મેન્ટેનન્સ માટે કેવડિયા કે અમદાવાદ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવતું હતું. આ વખતે માલદિવ મોકલ્યા બાદ સી પ્લેન ફરી પરત નથી આવ્યું.
નવા સી પ્લેન અને રૂટ માટે ગુજરાત સરકારે કેન્દ્રમાં પ્રસ્તાવ મુક્યો છે. હવે કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ નવા સી પ્લેનની ખરીદી કે ભેટ ગુજરાતને ક્યારે મળે છે અને ક્યારે કેવડીયામાં ફરી સી પ્લેન સેવા કાર્યરત કરાઈ છે તેના ઉપર પ્રવાસીઓનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
કેવડિયા એરોડ્રોમ ખાતે 24 કલાક 15 સુરક્ષા જવાનોનો પહેરો, પ્રવાસીઓ માત્ર લટાર મારી ફરતા પરત
ક્યારે ફરી સાબરમતી અને કેવડિયા વચ્ચે સી-પ્લેન ઉડાન ભરશે, અનિશ્ચિતતાઓ હજી અકબંધ
કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલા બનેલા વોટર એરોડ્રામ પાછળ હજુ કેટલો ખર્ચ
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2 વર્ષ પહેલાં 50 વર્ષ જુના સી-પ્લેનથી શરૂ કરાયેલી દેશની પેહલી સી-પ્લેન સર્વિસ એક વર્ષથી બંધ છે. કેવડિયા SOU અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે ફરી ક્યારે સી-પ્લેન ઉડાન ભરશે તેના ઉપર અનિશ્ચિતતા હજી અકબંધ છે. આવા સમયે કેવડિયા વોટર એરોડ્રોમને અપાઈ રહેલા નવા રંગરૂપથી પ્રવાસીઓની ઉત્સુકતા વધી છે. વોટર એરોડ્રોમની સુરક્ષા માટે 24 કલાક 15 જવાનો તહેનાત રહે છે ત્યારે સી-પ્લેન ફરી તેની સફર ક્યારે શરૂ કરે છે તેના પર પ્રવાસીઓ નજર કેન્દ્રિત કરી બેઠા છે.
SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરી હતી. દેશની પેહલી સી પ્લેન સર્વિસ છેલ્લા એક વર્ષથી માલદીવ્સમાં 50 વર્ષ જૂનું પ્લેન મેઇન્ટેનન્સ લઈ રહ્યું હોય બંધ છે. ત્યારે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફરી સી પ્લેન તેની સફર ખેડશે કે નહીં.
સી પ્લેન ક્યારે શરૂ થશે ની અટકળો વચ્ચે કેવડીયા વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે. સુના પડેલા વોટર એરોડ્રોમ ખાતે હાલ નવી છત, પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. હાલ આ વોટર એરોડ્રામને નવા રૂપરંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે. જે જગ્યાએ ફ્લાઇટ આવતી ન હોવા છતાં 24 કલાક 15 જેટલા સુરક્ષાકર્મી ફરજ બજાવી રહયા છે.
SOU ના આ વોટર એરોડ્રામને જોવા હાલ તો માત્ર પ્રવાસીઓ આવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2020ના દિવસે કેવડિયા થી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે જૂના પ્લેન સાથે સી પ્લેન સેવાનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ મોટર માર્ગે તો આવી શકે છે ત્યારે તેઓ સમય બગડ્યા વગર ઝડપથી હવાઈ માર્ગે પણ આવે તે માટે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી.
સી પ્લેનને પ્રવાસીઓનો મોટી સંખ્યામાં પ્રતિસાદ જોઈએ તે તો મળ્યો ન હતો તેવામાં સી પ્લેનના મેન્ટેનન્સ માટે અમુક કલાક ઉડાન બાદ તેને મેન્ટેનન્સ ની જરૂરિયાત વર્તાતી હતી. મેન્ટેનન્સ માટે કેવડિયા કે અમદાવાદ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવતું હતું. આ વખતે માલદિવ મોકલ્યા બાદ સી પ્લેન ફરી પરત નથી આવ્યું.
નવા સી પ્લેન અને રૂટ માટે ગુજરાત સરકારે કેન્દ્રમાં પ્રસ્તાવ મુક્યો છે. હવે કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ નવા સી પ્લેનની ખરીદી કે ભેટ ગુજરાતને ક્યારે મળે છે અને ક્યારે કેવડીયામાં ફરી સી પ્લેન સેવા કાર્યરત કરાઈ છે તેના ઉપર પ્રવાસીઓનું ધ્યાન કેન્દ્રિત થયું છે.