WatchGujarat. બ્લડ ડોનેટ કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. બ્લડ ડોનેટ કરવાથી ઘણા લોકોના જીવન બચાવી શકાય છે.પરંતુ ઘણા લોકો તેમનું રક્તદાન કરવાથી ડરતા હોય છે.સ્વાસ્થ્ય એક્સપર્ટસનું કહેવું છે કે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહીત સ્વાસ્થ્યને કેટલાય ફાયદા થાય છે.બ્લડ ડોનેટ કરવાથી રક્તદાતાના શરીરના અને મન આમ બંને પર સકારાત્મક અસર પડે છે. તો ચાલો આપણે જાણીયે બ્લડ ડોનેટ કરવાથી સ્વાસ્થ્ય પર કેટલી સકારાત્મક અસર પડે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે :- રક્તદાન કરવું તમારા હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને તે દિલની બીમારીઓ અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. માનવામાં આવે છે કે લોહીમાં આયર્નનું વધારે પ્રમાણ દિલના જોખમને વધારી શકે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી આયર્નનું વધુ પડતું પ્રમાણ નિયંત્રણમાં આવી જાય છે જે દિલના સ્વાસ્થ્ય માટે સારું છે.
રેડ સેલ્સ પ્રોડક્શન વધે છે:- રક્તદાન પછી તમારું શરીર બ્લડ પ્રોડ્ક્શનના કામમાં લાગી જાય છે. તેનાથી શરીરની કોશિકાઓ વધારે રેડ બ્લડ સેલ્સના નિર્માણ માટે પ્રેરિત થાય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને શરીરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
વજન કંટ્રોલમાં રહે છે :- રક્તદાન કેલોરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ થોડાક મહીનામાં ઠીક થઇ જાય છે. આ દરમિયાન સ્વસ્થ ડાયેટ અને નિયમિત વ્યાયામથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. જો કે, રક્તદાનને વજન ઘટાડવા માટેનો વિકલ્પ ન કહી શકાય. આ માત્ર તંદુરસ્ત સ્વાસ્થ્યનું માધ્યમ છે, વજન ઓછું કરવાના પ્લાનનો ભાગ નથી. એટલા માટે રક્તદાનના જાણકાર લોકોની સલાહ માનવી જોઇએ.
કેન્સરનું જોખમ ઘટી જાય છે :- નિયમિત સમયગાળામાં રક્તદાન કરવાથી તમે પોતાના શરીરને વધુ પડતા આયર્નથી બચાવી શકો છો. આ કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સરના જોખમને પણ ઘટાડે છે.
સ્વાસ્થ્ય સારું રહે છે:- નિયમિત રીતે રક્તદાન શરીરની કોશિકાઓને પ્રોત્સાહિત કરે છે, જેનાથી શરીરની ફિટનેસ સુધરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આ સાથે જ બ્લડ ડોનેશન મારફતે એક સારું કામ કર્યાનો સંતોષ પણ મળે છે.
હેલ્થ ચેકઅપ થાય છે :- સ્વાસ્થ્યને થતાં આ ફાયદાઓ ઉપરાંત રક્તદાનની પ્રક્રિયામાં રક્તદાન થતાં પહેલા તમારા લોહી અને તમારા સ્વાસ્થ્યની તપાસ પણ કરી લેવામાં આવે છે. લોહીની તપાસ કરીને હીમોગ્લોબિનના સ્તર વિશે પણ જાણી શકાય છે અને કેટલાક સંક્રમણો, બીમારીઓની શંકા વિશે પણ તપાસી શકાય છે. લોહીની તપાસથી જાણી શકાય છે કે વ્યક્તિ રક્તદાન માટે તૈયાર છે કે નહીં. એટલા માટે નિયમિત રીતે રક્તદાનથી તમે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન રાખી શકો છો.
હીમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય હોય અને સ્વાસ્થ્યના માપદંડો પર યોગ્ય સાબિત થયા બાદ મહિલાઓ પણ રક્તદાન કરી શકે છે. પરંતુ માસિક ધર્મ, ગર્ભાવસ્થા અને સ્તનપાનની પરિસ્થિતિમાં મહિલાઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઇએ.
ઘણા ડૉક્ટર્સ કહે છે કે 18 થી 60 વર્ષની ઉંમરનું કોઇ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તે રક્તદાન કરનાર વ્યક્તિ પોતે સ્વસ્થ હોય અને તે રક્તદાન કરવા માટે અમુક નિયમોનુસાર સક્ષમ હોય. જો તમને કોઇ બીમારી હોય અથવા તો કોઇ પણ દવા લઇ રહ્યા છો તો યોગ્ય રહેશે કે તમે રક્તદાન કરતાં પહેલા પોતાના ડોક્ટરની સલાહ લઇ લો અને રક્તદાન માટે કરવામાં આવતી તપાસના સમયે સંપૂર્ણ માહિતી આપો.સાવધાનીથી કરવામાં આવતું રક્તદાન જ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને કોઇ જરૂરિયાતમંદને તમારા તરફથી આપવામાં આવતી સૌથી સર્વશ્રેષ્ઠ ભેટ સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે લોહીને પ્લાઝ્મા, પ્લેટલેટ અને રેડ બ્લડ સેલ્સ જેવા ઘટકોમાં તોડી શકાય છે. તેને અલગ-અલગ કરીને એક જ રક્તદાનથી ત્રણ જીવન બચાવી શકાય છે.
WatchGujarat. બ્લડ ડોનેટ કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. બ્લડ ડોનેટ કરવાથી ઘણા લોકોના જીવન બચાવી શકાય છે.પરંતુ ઘણા લોકો તેમનું રક્તદાન કરવાથી ડરતા હોય છે.સ્વાસ્થ્ય એક્સપર્ટસનું કહેવું છે કે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહીત સ્વાસ્થ્યને કેટલાય ફાયદા થાય છે.બ્લડ ડોનેટ કરવાથી રક્તદાતાના શરીરના અને મન આમ બંને પર સકારાત્મક અસર પડે છે. તો ચાલો આપણે જાણીયે બ્લડ ડોનેટ કરવાથી સ્વાસ્થ્ય પર કેટલી સકારાત્મક અસર પડે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે :- રક્તદાન કરવું તમારા હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને તે દિલની બીમારીઓ અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. માનવામાં આવે છે કે લોહીમાં આયર્નનું વધારે પ્રમાણ દિલના જોખમને વધારી શકે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી આયર્નનું વધુ પડતું પ્રમાણ નિયંત્રણમાં આવી જાય છે જે દિલના સ્વાસ્થ્ય માટે સારું છે.
રેડ સેલ્સ પ્રોડક્શન વધે છે:- રક્તદાન પછી તમારું શરીર બ્લડ પ્રોડ્ક્શનના કામમાં લાગી જાય છે. તેનાથી શરીરની કોશિકાઓ વધારે રેડ બ્લડ સેલ્સના નિર્માણ માટે પ્રેરિત થાય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને શરીરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
વજન કંટ્રોલમાં રહે છે :- રક્તદાન કેલોરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ થોડાક મહીનામાં ઠીક થઇ જાય છે. આ દરમિયાન સ્વસ્થ ડાયેટ અને નિયમિત વ્યાયામથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. જો કે, રક્તદાનને વજન ઘટાડવા માટેનો વિકલ્પ ન કહી શકાય. આ માત્ર તંદુરસ્ત સ્વાસ્થ્યનું માધ્યમ છે, વજન ઓછું કરવાના પ્લાનનો ભાગ નથી. એટલા માટે રક્તદાનના જાણકાર લોકોની સલાહ માનવી જોઇએ.
કેન્સરનું જોખમ ઘટી જાય છે :-નિયમિત સમયગાળામાં રક્તદાન કરવાથી તમે પોતાના શરીરને વધુ પડતા આયર્નથી બચાવી શકો છો. આ કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સરના જોખમને પણ ઘટાડે છે.
સ્વાસ્થ્ય સારું રહે છે:-નિયમિત રીતે રક્તદાન શરીરની કોશિકાઓને પ્રોત્સાહિત કરે છે, જેનાથી શરીરની ફિટનેસ સુધરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આ સાથે જ બ્લડ ડોનેશન મારફતે એક સારું કામ કર્યાનો સંતોષ પણ મળે છે.
હેલ્થ ચેકઅપ થાય છે :- સ્વાસ્થ્યને થતાં આ ફાયદાઓ ઉપરાંત રક્તદાનની પ્રક્રિયામાં રક્તદાન થતાં પહેલા તમારા લોહી અને તમારા સ્વાસ્થ્યની તપાસ પણ કરી લેવામાં આવે છે. લોહીની તપાસ કરીને હીમોગ્લોબિનના સ્તર વિશે પણ જાણી શકાય છે અને કેટલાક સંક્રમણો, બીમારીઓની શંકા વિશે પણ તપાસી શકાય છે. લોહીની તપાસથી જાણી શકાય છે કે વ્યક્તિ રક્તદાન માટે તૈયાર છે કે નહીં. એટલા માટે નિયમિત રીતે રક્તદાનથી તમે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન રાખી શકો છો.
હીમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય હોય અને સ્વાસ્થ્યના માપદંડો પર યોગ્ય સાબિત થયા બાદ મહિલાઓ પણ રક્તદાન કરી શકે છે. પરંતુ માસિક ધર્મ, ગર્ભાવસ્થા અને સ્તનપાનની પરિસ્થિતિમાં મહિલાઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઇએ.
ઘણા ડૉક્ટર્સ કહે છે કે 18 થી 60 વર્ષની ઉંમરનું કોઇ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તે રક્તદાન કરનાર વ્યક્તિ પોતે સ્વસ્થ હોય અને તે રક્તદાન કરવા માટે અમુક નિયમોનુસાર સક્ષમ હોય. જો તમને કોઇ બીમારી હોય અથવા તો કોઇ પણ દવા લઇ રહ્યા છો તો યોગ્ય રહેશે કે તમે રક્તદાન કરતાં પહેલા પોતાના ડોક્ટરની સલાહ લઇ લો અને રક્તદાન માટે કરવામાં આવતી તપાસના સમયે સંપૂર્ણ માહિતી આપો.સાવધાનીથી કરવામાં આવતું રક્તદાન જ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને કોઇ જરૂરિયાતમંદને તમારા તરફથી આપવામાં આવતી સૌથી સર્વશ્રેષ્ઠ ભેટ સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે લોહીને પ્લાઝ્મા, પ્લેટલેટ અને રેડ બ્લડ સેલ્સ જેવા ઘટકોમાં તોડી શકાય છે. તેને અલગ-અલગ કરીને એક જ રક્તદાનથી ત્રણ જીવન બચાવી શકાય છે.