પાણી પુરી દેશની ગલી ગલીએ મળે છે અને એનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. જેમાં પાણીપુરી નાના બાળકોથી લઈને વૃધો સુધી બધાને પસંદ પડે છે. આપ સૌએ પાણી પુરીતો ઘણી વાર ખાધી હશે. જે એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો છે.પરંપરાગત રીતે પાણીપુરીની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા અને ચણામાં ફુદીના-માર્ચની તીખી તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. પુરીની અંદર સેવ, ડુંગળી, કોથમીર, બુંદી અને દહીં પણ નાખવામાં આવે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી પાણીપૂરીમાં આવા સુકા માવાને બદલે અન્ય વાનગી, રગડા-પેટીસનો ગરમાગરમ રગડો ભરીને વેચવામાં આવે છે. જેને અલગ-અલગ સ્વાદવાળા પાણી સાથે ખાવામાં આવે છે, જેમ કે આમલીનું પાણી, લસણનું પાણી, જલજીરા પાણી, લીંબુનું પાણી, ફુદીનાનું પાણી અને ખજૂરનું પાણી વગેરે.
જાણો પાણી-પુરીના જુદાજુદા નામ
પાણીપુરીનું ઉદગમસ્થાન ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે અને પાણીપૂરી કે પકોડીપૂરીનાં બીજા નામ પણ છે જેમ કે, ઉત્તર ભારતમાં ગોલ-ગપ્પા, પશ્ચિમ બંગાળમાં પુચકા, બિહારમાં ફુલ્કી અને ઓરિસ્સામાં બતાશા કે ગુપ-ચુપ કહે છે
પાણીપુરી ખાવાના ફાયદા
પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેનાં સેવનથી એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરીનાં સેવનથી પાચનક્રિયા સુધરે છે. બીમારી દરમિયાન મોઢાનો સ્વાદ બગડી ગયો હોય તો પાણીપુરી ખાવાથી સ્વાદ પ્રાપ્ત થાય છે. યોગ્ય સમયે હાઇજેનિક અને સ્વાદિષ્ટ પાણીપુરી ખાવાથી વજન વધતો નથી. પાણીપુરીના ચટાકેદાર પાણીને લીધે કબજિયાત કે અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તેમજ પેટ સાફ રહે છે. અને મુસાફરી દરમિયાન પાણીપુરી ખાવાથી ઉલટી, ગભરામણ અને બેચેની જેવી તકલીફોથી બચી શકાય છે.
પાણી પુરી દેશની ગલી ગલીએ મળે છે અને એનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. જેમાં પાણીપુરી નાના બાળકોથી લઈને વૃધો સુધી બધાને પસંદ પડે છે. આપ સૌએ પાણી પુરીતો ઘણી વાર ખાધી હશે. જે એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો છે.પરંપરાગત રીતે પાણીપુરીની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા અને ચણામાં ફુદીના-માર્ચની તીખી તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. પુરીની અંદર સેવ, ડુંગળી, કોથમીર, બુંદી અને દહીં પણ નાખવામાં આવે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી પાણીપૂરીમાં આવા સુકા માવાને બદલે અન્ય વાનગી, રગડા-પેટીસનો ગરમાગરમ રગડો ભરીને વેચવામાં આવે છે. જેને અલગ-અલગ સ્વાદવાળા પાણી સાથે ખાવામાં આવે છે, જેમ કે આમલીનું પાણી, લસણનું પાણી, જલજીરા પાણી, લીંબુનું પાણી, ફુદીનાનું પાણી અને ખજૂરનું પાણી વગેરે.
જાણો પાણી-પુરીના જુદાજુદા નામ
પાણીપુરીનું ઉદગમસ્થાન ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે અને પાણીપૂરી કે પકોડીપૂરીનાં બીજા નામ પણ છે જેમ કે, ઉત્તર ભારતમાં ગોલ-ગપ્પા, પશ્ચિમ બંગાળમાં પુચકા, બિહારમાં ફુલ્કી અને ઓરિસ્સામાં બતાશા કે ગુપ-ચુપ કહે છે
પાણીપુરી ખાવાના ફાયદા
પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેનાં સેવનથી એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરીનાં સેવનથી પાચનક્રિયા સુધરે છે. બીમારી દરમિયાન મોઢાનો સ્વાદ બગડી ગયો હોય તો પાણીપુરી ખાવાથી સ્વાદ પ્રાપ્ત થાય છે. યોગ્ય સમયે હાઇજેનિક અને સ્વાદિષ્ટ પાણીપુરી ખાવાથી વજન વધતો નથી. પાણીપુરીના ચટાકેદાર પાણીને લીધે કબજિયાત કે અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તેમજ પેટ સાફ રહે છે. અને મુસાફરી દરમિયાન પાણીપુરી ખાવાથી ઉલટી, ગભરામણ અને બેચેની જેવી તકલીફોથી બચી શકાય છે.