ઘટનાને એક મહિનો થવા આવવા છતાં હજી આરોપી નહિ પકડાતા માતા અને સમાજની ધીરજ ખૂટી
આમોદના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાઈ કરાઈ હતી હત્યા
WatchGujarat. આમોદ તાલુકાના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી આદિવાસી બાળા ઉપર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી કરાયેલી હત્યામાં એક મહિનો વીતવા આવવા છતાં આરોપીઓ નહિ પકડાતા હવે પીડિતાની માતા સાથે આદિવાસી સમાજની ધીરજ ખૂટી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે સોમવારે કેલકટરને રજુઆત કરી ન્યાય અપાવવા માંગ કરી છે.
આમોદ તાલુકાના સરભાણ ગામે આદિવાસી સગીરા ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરવાના મામલામાં આદિવાસી સમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સરભાણ ગામ ખાતે લાકડા વીણવા ગયેલી આદિવાસી સગીરા ઉપર કેટલાક નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેણીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.
મામલાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરાઈ હતી. જોકે મહિના જેટલો સમય વીતવા છતાં આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી. ત્યારે આજરોજ આદિવાસી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમોને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરવામાં આવી હતી. મૃતક સગીરાના પિતા ન હોય માતા અને દાદી સાથે રહેતી હતી. બાળકીને ન્યાય અપાવવા તેણીની માતાએ પણ તપાસ વહેલી કરાય તેવી માંગ કરી છે.
ઘટનાને એક મહિનો થવા આવવા છતાં હજી આરોપી નહિ પકડાતા માતા અને સમાજની ધીરજ ખૂટી
આમોદના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાઈ કરાઈ હતી હત્યા
WatchGujarat. આમોદ તાલુકાના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી આદિવાસી બાળા ઉપર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી કરાયેલી હત્યામાં એક મહિનો વીતવા આવવા છતાં આરોપીઓ નહિ પકડાતા હવે પીડિતાની માતા સાથે આદિવાસી સમાજની ધીરજ ખૂટી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે સોમવારે કેલકટરને રજુઆત કરી ન્યાય અપાવવા માંગ કરી છે.
આમોદ તાલુકાના સરભાણ ગામે આદિવાસી સગીરા ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરવાના મામલામાં આદિવાસી સમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સરભાણ ગામ ખાતે લાકડા વીણવા ગયેલી આદિવાસી સગીરા ઉપર કેટલાક નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેણીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.
મામલાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરાઈ હતી. જોકે મહિના જેટલો સમય વીતવા છતાં આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી. ત્યારે આજરોજ આદિવાસી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમોને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરવામાં આવી હતી. મૃતક સગીરાના પિતા ન હોય માતા અને દાદી સાથે રહેતી હતી. બાળકીને ન્યાય અપાવવા તેણીની માતાએ પણ તપાસ વહેલી કરાય તેવી માંગ કરી છે.